SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 298 વિવાગસૂર્ય-૧૧/૧૦ પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા બાદ તે કોઈ સ્થવિર સાધુઓની પાસે ધર્મ સાંભળશે, સાંભળીને મનન કરશે, ત્યાર પછી મુંડિત થઈને અગારવૃત્તિનો ત્યાગ કરી અણગાર ધર્મને પ્રાપ્ત કરશે. તે અણગાર ઈય સમિતિ યુક્ત યાવતુ બ્રહ્મચારી થશે. ત્યાં ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પયયનું પાલન કરીને આલોચના અને પ્રતિક્રમણથી આત્મશુદ્ધિ કરતો સમાધિભાવને પ્રાપ્ત કરીને કાળ કરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન થશે. ત્યાર પછી દેવભવની સ્થિતિ પૂર્ણ થઈ જવા પર ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સમ્પન્ન કાળમાં ઉત્પન્ન થશે. ત્યાં તેનો કલાભ્યાસ, પ્રવજ્યાગ્રહણ યાવતું મોક્ષગમન ઈત્યાદિ બધો વૃત્તાન્ત દ્દઢ પ્રતિજ્ઞ’ની જેમ જાણી લેવો. | અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૨-ઉઝિક) [11] ભગવન્! વિપાકશ્રુતના દ્વિતીય અધ્યયનનો મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શું અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળ અને તે સમયમાં વાણિજગ્રામ નગર હતું. તે નગરમાં ઇશાન ખૂણામાં દુતિપલાશ ચૈત્ય હતું. તે ઉદ્યાનમાં ‘સુધર્મ' નામના યક્ષનું એક યક્ષાયતન હતું. મિત્ર રાજા અને તેની શ્રી નામની રાણી હતી. તથા તે નગરમાં અન્યૂન પંચેન્દ્રિય શરીરયુક્ત ધાવતુ રૂપવતી, 72 કળાઓમાં પ્રવીણ, ગણિ કાના 64 ગુણોથી યુક્ત, ર૯ પ્રકારના વિષયોના ગુણોમાં રમણ કરનારી, 31 પ્રકારના રતિ ગુણોમાં પ્રધાન 32 પ્રકારના પુરુષ સમ્બન્ધી ઉપચારોમાં નિપુણ કામધ્વજા નામની. વેશ્યા હતી. તેના પ્રમુખ નવ અંગો જાગૃત હતા. તે 18 દેશી ભાષાઓમાં વિશારદ હતી. તે સુન્દર વેષભૂષા અને શૃંગાર રસનું ઘર બનેલી હતી, તેમ જ ગતિ, રતિ અને ગાન્ધર્વ, નાટય તથા નૃત્ય કળામાં પ્રવીણ, સુન્દર ગમન કરનારી, કુચાદિત સૌન્દર્યથી સુશોભિત, ગતિ, નૃત્ય આદિ કળાઓથી હજાર મુદ્રા પરિમિત શુલ્ક કમાનારી, જેના વિલાસ-ભવન ઉપર ઊંચી ધ્વજા લહેરાઈ રહી હતી, તેને રાજા તરફથી છત્ર, ચામર અને બાલધ્વજન મળ્યા હતા અને જે કણરથમાં ગમનાગમન કયાં કરતી હતી, તે કામધ્વજા નામની ગણકા હજારો ગણિકાઓ પર આધિપત્ય કરી ત્યાં રહી હતી. [12] તે વાણિજગ્રામ નગરમાં વિજય મિત્ર નામનો એક ધનવાનું સાર્થવાહ નિવાસ કરતો હતો.તે વિજય મિત્રને સવાંગ સંપન્ન સુભદ્રા નામની પત્ની હતી.તે વિજય મિત્રનો પુત્ર અને સુભદ્રાનો આત્મજ ઉક્ઝિતક નામનો એક સવાંગ સંપન્ન અને રૂપવાન બાળક હતો. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી વાણિજ ગ્રામ નગરમાં પધાર્યા. પર્ષદા નીકળી અને ત્યાંનો રાજા પણ કોણિક નરેશની માફક ચાલ્યો. ભગવાને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને જનતા અને રાજા બને પાછા ચાલ્યા ગયા. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય ઇન્દ્રભૂતિ નામના અણગાર ભિક્ષા માટે વાણિજગ્રામનગરામાં ગયા. ઊંચ નીચ બધા ઘરોમાં ભિક્ષા માટે બ્રમણ કરતા રાજમાર્ગ પર પધાર્યા. ત્યાં રાજમાર્ગ પર તેમણે અનેક હાથીઓ જોયો કે જે યુદ્ધને માટે તૈયાર હતા. તે હાથીઓને કવચ પહેરાવ્યો હતા અને તે શરીર રક્ષક, ઉપકરણ, ઝૂલ આદિથી યુક્ત હતા, તેઓના પેટ દ્દઢ બંધનથી બાંધેલા હતા. તેમના ઝૂલાની બન્ને બાજુ મોટા મોટા ઘંટા લટકી રહ્યા હતા. તેમજ તે Jain Education International i For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005071
Book TitleAgam Deep 11 Vivaagsuyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy