________________ આશ્રવ, અધ્યયન-૪ 29 કરે છે, મારા મનુષ્યોએ વર્જવા યોગ્ય છે, દેવલોક-નરકલોક-મનુષ્યલોક ત્રણે લોકમાં તેનું સ્થાન છે, જરા-મરણ- -રોગ-શોકને વધારનાર છે, વધ-બંધન-વિધાતા છતાં તેની લાલસા શાન્ત થતી નથી, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના કારણરુપ છે. લાંબા કાળથી પરિચિત છે. પરંપરાથી ચાલ્યું આવે છે અનેદુઃખે કરીને અંત પામી શકાય તેવું છે. 18 અબ્રહ્મચર્યનાં ગુણનિષ્પન્ન ત્રીસ નામો કહ્યાં છે. અબ્રહ્મચર્ય, મૈથુન, ચરંત, સંસગ-અવકાર્યનું સેવન, સંકલ્પનો હેતું, બાધાનો હેતું, દર્પકારી મોહ હેતુ, સંક્ષોભ ઉપજાવનાર, અનિગ્રહ-ક્લેશનો હેતું, ગુણઘાતનો હેતું, ગુણની વિરાધનાનો હેતું, વિશ્વમનો હેતું, અધર્મ શીલનું વિનાશક, કામગુણ શોધનાર, કામસેવા, સ્નેહ ચિંતાનો હેતું, કામભોગમાં મરણ નીપજાવનાર, વેરનો હેતું, છાનું કર્તવ્ય છુપાવવાયોગ્ય, ધણાને મનમાન્યું, બ્રહ્મચર્યનું ધાતક, ગુણનું ધાતક, ચારિત્ર્યની વિરાધના કરનાર, કામાસક્તિ, કંદર્પના ગુણકાર્ય પ. [૧૯]હવે બ્રહ્મચર્યને કોણ સેવે છે, તે કહે છે -વૈમાનિક ભવનપતિઓ- વાણવ્યંતર-જ્યોતિષી, વૈમાનિક, મનુષ્યગણ, તિર્યંચ મોહથી આસક્ત ચિત્તવાળા થાય છે, કામ ભોગના તૃષ્ણાતુર છે, બળવાન અને મોટી વિષયતૃષ્ણાથી પીડિત થયા છે, વિષયથી ગુંથાઈ ગયા છે. અતિ મુચ્છિત થયા છે. અબ્રહ્મચર્યમાં ખુંચેલા છે, અજ્ઞાન ભાવે કરીને યુક્ત છે, દર્શન અને ચારિત્ર મોહનીય કર્મરુપી પિંજરમાં પુરાયા છે. તેઓ અન્યોન્ય કામભોગનું સેવન કરે છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવતાઓ, તીર્થંચ અને મનુષ્ય કામભોગમાં આસક્તિથી ચિત્રવિચિત્ર ક્રીડા કરે છે. વળી દેવ તથા રાજાઓને પૂજનિક એવો ચક્રવર્તી પણ અબ્રહ્મચર્યને સેવે છે. પર્વતો, નગર, વણિકવાસ, જનપદ પુર, જળ સ્થળના પંથ, માટીનાં કોટવાળાં ગામ, ગામડાં, મંડપ સંવાહ પાટણ, એવાં હજારો સ્થાનો આવી રહેલાં છે, એવી પરચક્રના ભયથી રહિત પૃથ્વીને એક છત્રે સાગરસહિત ભોગવતો ચક્રવર્તી નગરમાં સિંહ જેવો, મનુષ્યો માં ઈદ્ર જેવો, નરવૃષભ જેવો, સમર્થ છે. અતિશય રાજતેજ અને લક્ષ્મીએ કરી દેદીપ્ય માન છે. સૌમ્ય છે અને રાજવંશમાં તિલક સમાન છે. વળી તેના શરીર ઉપર વિધવિધ પ્રકારનાં મંગલ ચિન્હો-લક્ષ્યો હોય છે. જેવા કે, સૂર્ય, ચંદ્ર, શંખ, ઉત્તમ ચક. સાથીયો. ધ્વજા.જવ. મત્સ્ય, કૂર્મકાચબો. રથ, ભગ, ભવન. વિમાન. અશ્વ, તોરણ. ગોપુર. મણિી. રત્ન. નંદાવર્ત. મૂશળ. હળ. સુંદર કલ્પવૃક્ષ. મૃગપતિ. ભદ્રાસન. સુચિ સૂપ સુંદર મુકુટ. મુક્તાવલિ. કુંડલ, હાથી. સુંદર વૃષભ. દ્વીપ. મેરુ પર્વત. ગ. પર્ણ- ઈદ્રસ્થંભ, દર્પણ. અષ્ટાપદ-ધનુષ્ય. બાણ. નક્ષત્ર. મેઘ. સ્ત્રીની કટિમેખલા. વીણા. ઘોસરું. છત્ર. માળા. દામણી. કમંડલ. કમળ. ઘંટા. સુંદર વહાણ. સોમ. સમુદ્ર. કુમુદનું વન. મગર. હાર, ઘાઘરો. ઝાંઝર, પર્વત. નગર.વજ.કિન્નર.મોર. રાજહંસ. સારસ. ચકોર. ચક્ર વાકનું પૃથ્વી. ખગ. અંકુશ. નિર્મલ કળશ. બુંદાક શરાવલાનો સંપુટ ઈત્યાદિ જુદાં જૂદાં પ્રશસ્ત પુરુષલક્ષણોને ધારણ કરનારા એ ચક્રવર્તી હોય છે. બત્રીસ હજાર રાજા ઓ તેમની પાછળ પાછળ ચાલતા હોય છે. ચોસઠ હજાર સુંદર યુવતીઓનાં તે નયના ભિરામ છે-તે સ્ત્રીઓની કાન્તિ લાલ છે, કમળના ગર્ભ સરખો તેમનો ગૌર દેહ છે, કોદંડ પુષ્પની માળા ગળે ધારણ કરે છે. ચંપાના ફૂલ અને કસોટીના પત્થર ઉપર તપાવેલા સોનાની રેખા કરી જેવો તેમના શરીરનો વર્ણ છે, સર્વ અવયવો સુઘટિત હોવાથી તેમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.