SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-, અધ્યયન-૩ 231 મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરવા તેમજ તેમની પર્યાપાસના માટે જાઉં છું ત્યારે અર્જુન માળીએ કહ્યું-હું પણ આપની સાથે વાવતું પત્યુપાસના કરવા માટે આવવા ઈચ્છું છું. સુદર્શન શેઠે કહ્યું જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી તે શ્રમણોપાસક સુદર્શન શેઠ અર્જુનમાળીને પોતાની સાથે લઈ ગુણશિલક નામના ઉદ્યાનમાં જ્યાં શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં આવે છે. આવીને અર્જુનમાળી સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને યાવત વંદન-નમસ્કાર કર્યા પછી તેનું પર્વપાસના કરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રમણોપાસક સુદર્શન શેઠને અને અર્જુનમાળીને તેમજ પરિષદને ધદિશના સંભળાવે છે. ત્યાર પછી અર્જુનમાળી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભ બીને અને હૃદયંગમ કરીને અત્યંત હર્ષિત થયો, સંતુષ્ટ થયો અને કહેવા લાગ્યો, ભંતે! હું નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, રૂચિ કરું છું. પ્રતીતિ કરું છું. તેની આરાધના માટે ઉપસ્થિત થાઉં છું. ભગવાને કહ્યું હે દેવાનુપ્રિયાં જેમ તમારા આત્માને સુખ ઊપજે તેમ કરો. ભગવાનની અનુમતિ મેળવી અર્જુન માળી ઉત્તર-પૂર્વ દિશામાં એટલે ઈશાન ખૂણામાં જાય છે અને ત્યાં જઈ પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કરીને વાવતું સાધુ બનીને વિચરે છે. અર્જુન મુનિએ જે દિવસે દીક્ષિત થયા હતા તે જ દિવસથી શ્રમણ ભગવાન મહા વીર સ્વામીને વંદના-નમસ્કાર કરીને આ અભિગ્રહ ગ્રહણ કર્યો હતો કે ભગવન! આજ થી લઈ જીવનપર્યન્ત નિરન્તર કચ્છ-ભક્તની તપસ્યા કરીને આત્માને ભાવિત કરતો થકો જીવન વ્યતીત કરીશ. અર્જુન મુનિ પારણા ના દિવસે પહેલા પહોરે સ્વા ધ્યાય, બીજા પહોરે ધ્યાન કરે છે ગૌતમ સ્વામી પેઠે ભ્રમણ કરે છે. - રાજગૃહ નગરમાં ગોચરી માટે ભ્રમણ કરતા અર્જુન મુનિને જોઈને ઘણી સ્ત્રીઓ, અનેક પુરુષો તથા બાળકો, વૃદ્ધો તેમજ યુવકો આ પ્રમાણે કહેવા લાગ્યા - આણે મારા પિતાને મારી નાખ્યા હતા. કોઈક કહેવા લાગ્યા-આણે મારી માતાને મારી નાંખી હતી. એવી જ રીતે મારી બહેન, સ્ત્રી, પુત્ર, પુત્રી અને મારી પુત્રવધૂને મારી નાંખ્યા હતા, આણે મારા બીજા સ્વજનોને, સગા સંબંધી ઓને, ભાગીદારોને તેમજ દાસ-દાસીઓની ઘાત. કરેલ છે. આ પ્રમાણે બોલતાં તેમાંથી કેટલાંક તેને કડવા વચનો કહી ફટકારે છે, અવહેલના કરે છે. નિંદા કરે છે. દુર્વચન કહીને તેને ક્રોધિત કરવાનો પ્રયત્ન કરે છે, તેના દોષ બતાવે છે, તેનો તિરસ્કાર કરે છે. લાઠી ઈટ આદિથી મારે છે. ત્યારે ઘણી સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો તથા યુવકો દ્વારા આક્રોશિત થયેલ યાવતું તાડિત થયેલ અર્જુન મુનિ તેઓ ઉપર મનથી પણ દ્વેષ કરતા ન હતા. સહન કરે છે, ખમે છે, ક્ષમા કરતા, સહન કરતા, નિર્જરાની ભાવનાથી સહન કરતા હતા. અનાદિ પ્રાપ્ત નહિ થવા છતાં પણ અર્જુનમુનિ મનમાં દીનતાં ઉત્પન્ન ન થવા દેતા, નારાજ થતા નહિ, ક્રોધ કરતા નહિ, અંતઃકરણને નિર્મળ રાખતા, નિરાશ થતા નહિ અને થાક્યા વિના સમાધિ ભાવથી ગોચરી માટે ભ્રમણ કરતા હતા. આ રીતે ભ્રમણ કરીને તે રાજગૃહ નગરમાંથી નીકળે છે. નીકળીને જ્યાં ગુણશીલક નામનું ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં આવ્યા. જેવી રીતે ગૌતમ સ્વામી યાવતું ભગવાનને આહાર બતાવે છે. બતાવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી આજ્ઞા મેળવી, મૂચ્છભાવથી રહિત, ગૃદ્ધિરહિત, ભોજનમાં રાગ રહિત, આસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy