SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૪, અધ્યયન-૧ થી 10 223 (કા વર્ગ૪ ક અધ્યયઃ૧-૧૦) [15-1] હે ભગવન્! તેઓએ ચોથા વર્ગનો શો અર્થ પ્રતિપાદન કર્યો છે? જેબૂ! મહાવીર સ્વામીએ ચોથા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે. તે આ પ્રમાણે- જલિ, માલિ, પયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન, શામ્બ, અનિરુદ્ધ, સત્યનેમિ અને દ્રઢનેમિ. [17] હે જંબૂ! તે કાળે તે સમયે દ્વારિકા નામની નગરી હતી. તે નગરીમાં જેવી રીતે પ્રથમ અધ્યયનમાં કહેવાયું છે તેવી રીતે કૃષ્ણ વાસુદેવ શાસન કરતા થકા યાવતું વિચરતા હતા. તે દ્વારિકા નગરીમાં વસુદેવ રાજા હતા. તેની ધારિણી નામની રાણી હતી. પુત્ર જન્મ્યો આ બાળકનું નામ “જાલિકુમાર” રાખવામાં આવ્યું. તેના પચાસ રાજ કન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યા, તેને પચાસ પ્રકારનો દહેજ દેવામાં આવ્યો. તેણે અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષા લીધી અને બાર અંગોનું અધ્યયન કર્યું. સોળ વર્ષ સુધી દીક્ષા પાળી. યાવત્ શત્રુંજ્ય પર્વત પર સિદ્ધપદને પામ્યા. તેવી જ રીતે માલિકુમાર, ઉવયાલિકુમાર, પુરુષસેનકુમાર, વારિ સેણકુમારનું વૃત્તાન્ત સમજી લેવો. પ્રદ્યુમ્નકુમારનું જીવન પણ એવું જ છે. અંતર એટલું છે કે તેના પિતા કૃણ હતા. માતા રુક્ષ્મણી હતા. એવી રીત શામ્બ કુમારનું જીવન પણ સમજી લેવું. તેમની માતાનું નામ જામ્બવતી હતું. એવી રીતે અનિરુદ્ધ રાજકુમારનું જીવન પણ જાણી લેવું. તેમાં એ વિશેષતા છે કે તેના પિતા પ્રદ્યુમ્ન હતા. માતાનું નામ વૈદર્ભી હતું. તે જ પ્રમાણે સત્ય નેમિનું વર્ણન છે. તેમાં વિશેષતા એ છે કે તેના પિતા સમુદ્રવિજય હતા. અને માતાનું નામ શિવા હતું. તેજ પ્રમાણે વૃઢનેમિનું વર્ણન જાણવું. | વર્ગ-૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ક વર્ગ પ ક (અધ્યયન 1) [18-19 જંબૂ ! શ્રમણ યાવતું મોક્ષપ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ અંતગડ સૂત્રના પાંચમાં વર્ગના 10 અધ્યનનો પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે છે. પદ્માવતી દેવી, ગૌરી ગાધારી લક્ષ્મણા સુસીમા જામ્બવતી સત્યભામા રૂક્ષ્મણી મૂલશ્રી મૂલદત્તા 20 હે જંબૂ ! તે કાળે અને તે સમયે દ્વારિકા નગરી હતી. જેવી રીતે પ્રથમ અધ્યયનમાં વર્ણન કર્યું છે. યાવત્ તે જ રીતે કૃષ્ણ વાસુદેવ ત્યાં રાજ્ય કરતા હતા. તે કૃષ્ણ વાસુદેવને પદ્માવતી નામની રાણી હતી. તે કાલે તે સમયે અહત અરિષ્ટનેમિ પધાર્યા વાવતું વિચ રવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવ દ્વારિકાથી નીકળી પ્રભુના ચરણ વંદન કરવા ગયા. યાવતું ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી તે પદ્માવતીદેવી આ વૃત્તાન્તને જાણી ઘણી પ્રસન્ન થઈ દેવકી દેવી ની જેમ પદ્માવતીદેવી પણ ગયા અને ભગ વાનની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી અહંત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણ વાસુ દેવને, પદ્માવતી દેવીને અને અન્ય સમૂહને ધર્મકથા સંભળાવે છે. જનતા પાછી જાય છે. ત્યાર પછી કષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન-નમસ્કાર કરે છે અને કહે છે- ભંતે! નવ યોજન વિસ્તૃત અને બાર યોજન લાંબી યાવતુ સાક્ષાત્ દેવલોક જેવી આ દ્વારિકા નગરીનો વિનાશ ક્યાં નિમિત્તથી થશે ? અહત અરિષ્ટનેમિએ વાસુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy