SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 221 વર્ગ-૩, અધ્યયન-૮ નષ્ટ કરનાર અપૂર્વકરણમાં પ્રવેશ કર્યા પછી તેઓને અનંત અનુત્તર યાવતું શ્રેષ્ઠ કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થઈ ગયા. તે સિદ્ધ, કૃતકૃત્ય, સર્વ દુઃખોથી રહિત લાવતું મુક્ત થઈ ગયા. ત્યાર પછી ત્યાં સમીપવતી દેવતાઓએ “ચારિત્રની સમ્યક આરાધના કરી છે” એ પ્રમાણે કહીને દિવ્ય સુગંધીત ગંધોદકની વર્ષા કરી. પંચવર્ણ પુષ્પોની વર્ષા કરી. વસ્ત્રોની વર્ષા કરી. દિવ્ય ગીતો તથા મૃદંગોના સ્વરોથી આકાશ ગુંજી ઉઠ્યું. દીક્ષાના બીજા દિવસે પ્રભાત થવા પર યાવતું સૂર્યોદય થવા પર કૃષ્ણ વાસુદેવે સ્નાન કર્યું. વસ્ત્રાલંકારથી શરીરને વિભૂષિત કર્યું. હાથીના ઉત્તમ સ્કંધ પર બેઠા. કોરંટ નામના ફૂલોની માળાથી યુક્ત છત્રને ધારણ કર્યું. શ્રેષ્ઠ શ્વેત ચામર ઢોળાવા લાગ્યા. મહાન યોદ્ધાઓના વિશાળ સમુદાયથી ઘેરાયેલ દ્વારિકાનગરીની મધ્યમાંથી થઈને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં જવાનો નિશ્ચય કર્યો. જઈ રહ્યા હતા ત્યાં તેણે એક વૃદ્ધ પુરુષને જોયો. વૃદ્ધાવસ્થાને કારણે તેનું શરીર જર્જરિત થઈ ગયું હતું તે વૃદ્ધ ગલીમાં પડેલ ઈટોના મોટા ઢગલામાંથી એક એક ઈટ ઉપાડી ઘરમાં મૂકી રહ્યો હતો. કૃષ્ણ વાસુદેવને તે વૃદ્ધને જોઈ તેના પર ઘણી દયા આવી. કૃષ્ણ વાસુદેવ તે પુરુષની અનુકંપા માટે હાથીના શ્રેષ્ઠ કાંધા પર બેઠા બેઠા જ ગલીમાંથી એક ઈટને લે છે. લઈને ઘરમાં મૂકે છે. કૃષ્ણ વાસુદેવે એક ઈટ લીધી તેથી સેંકડો પુરુષોએ તે ઈટોના મોટા ઢગલાને ગલીમાંથી લઈ ઘરમાં રાખી દીધો. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચથી આગળ ચાલ્યા જ્યાં ભગવાન અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં આવ્યાં. મહારાજા કૃષ્ણ વાસુદેવે ત્રણવાર ભગવાનને પ્રદક્ષિણા કરી. વંદન-નમસ્કાર કર્યો. ત્યાર પછી ગજસુકુમારને ત્યાં ન જોતાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન-નમસ્કાર કરી પૂછવા લાગ્યા. હે ભગવન્! મારો સહોદર નાનો ભાઈ ગજસુકુમાર મુનિ ક્યાં છે? હું તેને વંદન-નમસ્કાર કરવા ઈચ્છું છું. અરિહંત અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહે છે - હે કૃષ્ણ! ગજસુકુમાર મુનિએ પોતાનું મોક્ષપ્રાપ્તિરૂપ પ્રયોજન સિદ્ધ કરી લીધું છે. ભગવન્! કેવી રીતે ત્યારે અરિહંત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણ વાસુદેવને સર્વ વૃતાંત કહ્યો ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને આ પ્રમાણે કહ્યું - ભંતે ! મૃત્યુનો અભિલાષી તથા લજ્જારહિત તે પુરુષ કોણ છે, જેણે મારા સહોદર નાનાભાઈ ગજસુકુમારને અકાલે જ જીવનથી રહિત કરી દીધો? ત્યારે અરિહંત અરિષ્ટ નેમિ ભગવાને કહ્યું - હે કૃષ્ણ! તે પુરુષ ઉપર ક્રોધ ન કરો. આમ કરીને તે પુરુષે ગજસુ કુમાર મુનિને સહાયતા કરી છે. ભગવન્! તે પુરુષે મુનિ ગજસુકુમારને કેવી રીતે સહાયતા કરી ? અરિહંત અરિષ્ટનેમિ ભગવાને કહ્યું - તમે હમણાં મને ચરણ-વંદન કરવા આવતા હતા ત્યારે દ્વારિકા નગરીમા એક વૃદ્ધ પુરુષને છૂટો ઉપાડતો જોયો. યાવતું ઈટો તેના ઘરમાં તમે મૂકી. હે કૃણ જેવી રીતે તમે તે પુરુષને સહાયતા આપી છે. બસ એવી જ રીતે હે કૃષ્ણ ! તે પુરૂષે અણગાર ગજસુકુમારનાં લાખો જન્મના સંચિત કરેલા કર્મોની ઉદીરણા કરવાથી ઘણા કર્મોની નિર્જરા માટે સહાયતા કરી છે. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અરિષ્ટનેમિને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તે પુરુષને હું કેવી રીતે જાણી શકીશ ? ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે કૃષ્ણ દ્વારિકા નગરીમાં તમને પ્રવેશ કરતાં જોઈને જે પુરુષ ઊભો ઊભો જ આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy