SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 26 અંતગડ દસાઓ-૭૮/૧૩ થાવતુ સાત-આઠ પગલાં સામે જઈને ત્રણવાર પ્રદક્ષિણા કરે છે. વંદના નમસ્કાર કરી ને જ્યાં રસોડું હતું ત્યાં આવી. આવીને સિંહ કેસર લાડવાનો થાળ ભરે છે. ભરીને તે સાધુ ઓને વહોરાવે છે. ત્યાર પછી વંદના નમસ્કાર કરે છે. ત્યાર પછી બીજો સંઘાટક દ્વારિકા નગરીના સધન, નિર્ધનાદિ ઘરો માં વાવતુ ગૌચરી કરતા થકા દેવકીના ઘરમાં પધાર્યા. દેવકી તેઓને પણ સિંહકેસરીયા લાડુ વહોરાવીને વિદાય કરે છે. ત્યાર પછી તે સાધુ ઓનો ત્રીજો સંઘાટક તેજ રીતેના સાધારણ અસાધારણ તેમજ મધ્યમ શ્રેણીના ઘરોમાં ભિક્ષા માટે ફરતાં-ફરતાં દેવકી દેવીના ઘરે આવ્યાં. દેવકીદેવી તેઓને પણ વહોરાવે છે. વહોરાવ્યા પછી તે આ પ્રમાણે બોલી- દેવાનુપ્રિય! કૃષ્ણ વાસુદેવની આ દ્વારિકા નગરી નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી છે. પ્રત્યક્ષ દેવલોક જેવી છે સાધારણ અસા ધારણ તેમજ મધ્યમ શ્રેણીનાં લોકોના ઘરોમાં ભ્રમણ કરતાં થકા શ્રમણ નિગ્રન્થોને શું આહાર-પાણી મળતું નથી ? જેનાથી શ્રમણોને આહાર પાણી માટે વારંવાર એકજ ઘરે આવવું પડે છે? ત્યાર પછી તે મુનિ દેવકી દેવીને કહ્યું દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવની નગર ઘણી વિશાળ છે અને દેવલોક સમાન છે. ભિક્ષા માટે બ્રમણ કરતાં શ્રમણો, સાધુઓને આહાર પાણી નથી મળતું એમ નથી. અને એમ પણ નથી કે સાધુઓ તેને તેજ ઘરોમાં બે વાર અથવા ત્રણ વાર પ્રવેશ કરતા હોય દેવાનુપ્રિયે ! અમે ભક્િલપુર નગરનાં નિવાસી નાગ ગૃહપતિના પુત્ર છીએ, તેની સુલસા નામક ધર્મપત્નીના આત્મજ છીએ. અમે, છએ સહોદર ભાઈઓ છીએ. એક સરખી આકૃતિવાળાંછીએ,યાવતુવૈશ્રમણદેવનાપુત્રજેવા છીએ.અરિહંત અરિષ્ટનેમિ પાસેથી ધર્મ સાંભળીને અમે સંસારના ભયથી ઉદ્વિગ્ન બન્યા. જન્મ અને મરણથી ભયભીત થયા. યાવતું મુંડિત થઈને દીક્ષિત થયા તે જ દિવસે અભિ ગ્રહ ગ્રહણ કર્યો. આ પ્રમાણે અરિહંત ભગવાન અરિષ્ટનેમિની આજ્ઞા મલી જવાથી અમે એ ષષ્ઠભક્ત તપ આરંભ કર્યો અને તેનું પાલન કરી રહ્યા છીએ. આજે અમારે છઠ્ઠ નું પારણું હતું પહેલા પહોરમાં અમે સ્વાધ્યાય કર્યો, બીજા પહોરમાં ધ્યાન કર્યું. ત્રીજા પહોરમાં અમે છીએ ભાઈઓ ત્રણ ટોળી બનાવી છઠનાં પારણા નિમિત્તે ગોચરી માટે દ્વારિકા નગરીના સાધારણ અસાધારણ આદિ બધા ઘરોમાં ભ્રમણ કરતાં આપનાં ઘરે આવી ગયા છીએ. તેથી હે દેવાનુપ્રિયે ! અમે બીજ છીએ. આ પ્રમાણે દેવકી દેવીને પોતાની વાત કહી જે દિશા માંથી બંને મુનિ આવ્યા હતા તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. મુનિઓ ચાલ્યા ગયા પછી દેવકી દેવીનાં મનમાં આવા પ્રકારનો આધ્યાત્મિક માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે મને પોલાસપુર નગરમાં અતિમુક્તકુમાર શ્રમણે બાલ્યાવસ્થામાં કહ્યું હતું કે-દેવાનુપ્રિયે ! તું વૈશ્રમણ કુમાર જેવા અને સમાન આકૃતિ અને વર્ણવાળા આઠ એવા પુત્રનો જન્મ આપીશ કે ભારત વર્ષમાં બીજી માતા આવા પ્રકારના પુત્રોને જન્મ નહી આપે, તે કથન તો મિથ્યા થયું. કારણકે આ પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે ભારત વર્ષમાં અન્ય માતાઓએ પણ એવા પ્રકારના પુત્રોને જન્મ આપ્યો છે. તો હવે હું અહિંત અરિષ્ટનેમિ ભગવાન પાસે જાઉં અને તેમને વંદના નમસ્કાર કરીને પ્રશ્ન પૂછું. જેવી રીતે દેવાનંદ બ્રાહ્મણી ભગવાન મહાવીરના ચરણોમાં ઉપસ્થિત થઈ હતી. તેવી રીતે દેવકી દેવી પણ ગઈ અને ઉપાસના કરવા લાગી. અરિહંત અરિષ્ટનેમિ દેવકી દેવીને જોતાં જ બોલ્યા- હે દેવકી! આ છ અણગારોને જોઈને તમારા મનમાં આ સંલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005068
Book TitleAgam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 08, & agam_antkrutdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy