SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 206 ઉવાસમ દસાઓ - ૮પ૦ સ્વયમેવ ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને મહાશતક શ્રમણોપાસક સાથે ઉદાર ભોગોને ભોગવતી રહે છે. તે પછી તે રેવતી ગૃહપત્ની માંસને વિષે લોલુપ થયેલી, મૂર્શિત થયેલી યાવતુ અત્યંત આસક્ત થયેલી, બહુ પ્રકારનાં શેકેલા, તળેલા અને ભૂજેલા માંસની સાથે સુર, મધુ, મેરક, મધ, સીધુ અને પ્રસન્ના મદિરાથી આસ્વાદ કરતી, તથા પરિવારને વહેચતી વિચરે છે. [૫૧]તત્પશ્ચાત રાગૃહ નગરમાં અન્ય કોઈ દિવસે અમારિ ઘોષણા થઈ. ત્યારે તે માંસમાં લોલુપ. માંસમાં મૂર્શિત થયેલી રેવતી ગૃહપત્ની કૌલગૃહ- પુરુષોને બોલાવે છે. કહે છેઃ હે દેવાનુપ્રિયો ! તમે મારા પિતૃગૃહ સંબંધી વ્રજમાંથી દરેક પ્રભાતે બબ્બે વાછરડાંનો વધ કરો અને વધ કરીને મને આપો. તદનન્તર તેના પિયરના તે પુરુષો રેવતીગૃહપત્નીનાએઅર્થને તહત્તિ કહીને વિનય વડે સ્વીકારે છે,બળેવાછરડાંઓનો વધ કરીને રેવતી ગૃહપત્નીને આપે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની તે શેકેલા તળેલા અને ભૂજેલા વાછરડાના માંસની સાથે સુરા-મદિરાનો આસ્વાદ કરતી વિચરે છે. પિ૨]તે મહાશતક શ્રમણોપાસકને ઘણાં શીલવ્રતો વગેરે વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વરસ વ્યતીત થયા, ત્યારે તે આનંદની પેઠે પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સંભળાવે છે. યાવતું પોષધશાલામાં જઈ ધર્મપ્રજ્ઞતિને સ્વીકારીને વિચરે છે. ત્યાર પછી તે રેવતી ગૃહપત્ની મત્ત-ઉન્મત્ત થયેલી, ખલના પામતી, છૂટા કેશવાળી, ઉપરનાં વસ્ત્રને દૂર કરતી કરતી, જ્યાં પોષધશાલા છે, અને જ્યાં મહાશતક શ્રમણોપાસક છે, ત્યાં આવે છે, ત્યાં આવીને મોહોન્માદ ઉત્પન્ન કરનારા, શૃંગાર રસવાળા સ્ત્રીભાવકટાક્ષ આદિને પ્રદર્શિત કરે છે, અને મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહે છે : ધર્મની ઈચ્છાવાળા, પુણ્યની ઈચ્છાવાળા, સ્વર્ગની ઈચ્છાવાળા, મોક્ષની ઈચ્છાવાળા, ધર્મની કાંક્ષાવાળા, ધર્મઆદિની પિપાસાવાળા, હે મહાશતક શ્રમણોપાસક ! હે દેવાનું પ્રિય ! તમારે ધર્મ, પુણ્ય, સ્વર્ગ કે મોક્ષનું શું કામ છે, કે જે તમે મારી સાથે ઉદાર યાવતુ. ભોગવવા લાયક ભોગો ભોગવતા નથી? [53] તે પછી તે મહાશતક શ્રમણોપાસક રેવતી ગૃહપત્નીની આ વાતનો આદર કરતો નથી અને તે તરફ ધ્યાન આપતો નથી. તે મૌન ધારણ કરી ધર્મધ્યાનમાં સ્થિર રહે છે. ત્યાર બાદ તે રેવતી ગૃહપત્નીએ મહાશતક શ્રમણોપાસકને બીજી વાર અને ત્રીજી વાર આ પ્રમાણે કહ્યું: યાવતું આદર નહિ કરતો, નહિ ધ્યાન આપતો ધ્યાનમગ્ન રહે છે. તે પછી જ્યારે મહાશતક શ્રમણોપાસકે આદર ન કર્યો અને ધ્યાન ન દીધું ત્યારે તે રેવતી જે દિશા તરફથી આવી હતી તે દિશા તરફ ચાલી ગઈ. - ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે. સૂત્રમાં કહ્યા પ્રમાણે પૂર્ણ કરે છે. એમ અગિયાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તત્પશ્ચાત મહાશતક શ્રમણોપાસક તે ઉદાર તપ વડે યાવત્ કુશ-દુર્બળ થયો અને ધમનીઓ વડે વ્યાપ્ત થઈ ગયો ત્યાર પછી તે મહાશતક શ્રમણોપાસકને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરણ કરતાં આવા પ્રકારનો વિચાર થયોઃ આ ઉદાર તપ વડે હું કૃશ થયો છે. ઈત્યાદિ આનંદની જેમ બધું કહેવું. અને તે છેલ્લી મારણાત્તિક સંલેખના અંગીકાર કરીને, શરીરનો ત્યાગ કરીને અને ભાત-પાણીના પણ પ્રત્યાખ્યાન કરીને કાળની દરકાર કર્યા વિના વિચારવા લાગ્યો. તદત્તર મહાશતક શ્રમણોપાસકે શુભ અધ્યવસાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005067
Book TitleAgam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy