SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 198 ઉવાસગ દસાઓ - 38 ઉત્થાન કર્મ, બલ વીર્ય પુરુષકાર અને પરાક્રમ નથી. સર્વ ભાવો નિયત છે. શ્રમણ ભગ વંતમહાવીરનેધર્મપ્રજ્ઞપ્તિસુંદરનથીકે-ઉત્થાનવાવપુરુષાર્થ છે,સર્વભાવોઅનિયત છે, ત્યાર બાદ તે કુંડકોલિક શ્રમણોપાસકે તે દેવને આ પ્રમાણે કહ્યું. હે દેવી છે મંખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ (જેમાં ઉથાન નથી, યાવતું સર્વભાવો નિયત છે, એ સુંદર હોય અને શ્રમણ ભગવંત મહાવીરની ઉત્થાન છે યાવત્ સર્વ ભાવો અનિયત છે. એ ધર્મપ્રજ્ઞપ્તિ મિથ્યા હોય તો, હે દેવી તમોએ દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દેવદુત દિવ્ય દેવાનું ભાવશાથી મેળવ્યો? શાથી પ્રાપ્ત કર્યો ? શાથી અભિમુખપણે પ્રાપ્ત કર્યો? કુંડકોલિકનું કથન સાંભળ્યા પછી તે દેવે કુંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયા મેં આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ ઉત્થાન વગર જ યાવતુ પરા ક્રમ વગર જ મેળવી છે. પ્રાપ્ત કરી છે, અભિમુખપણે પ્રાપ્ત કરી છે. ત્યારે કુંડકોલિક શ્રાવકે દેવને કહ્યું, હે દેવ! જો તમોએ આ દિવ્ય દેવદ્ધિ ઉત્થાન વગર યાવતુ પુરુષાર્થ-પરાક્રમ કર્યા વગર જ પ્રાપ્ત કરી છે યાવત્ તમારી સામે આવી છે તો જે જીવોમાં ઉત્થાન આદિ નથી તે બધા દેવ કેમ ન થયા? અને હે દેવ ! જો દિવ્યદ્ધિ તમને ઉત્થાન યાવતું પરાક્રમથી લબ્ધ પ્રાપ્ત અને સમન્વાગત થઈ છે. તો પછી તમે જે કહો છે કે મુખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણ કે, ઉત્થાન નથી, યાવતું સર્વ ભાવો નિયત છે, શ્રમણ ભગવંત મહાવીરની પ્રજ્ઞપ્તિ મિથ્યા છે કે ઉત્થાન છે, યાવતું સર્વ ભાવો અનિયત છે, તે તમારું કથન મિથ્યા થઈ જાય છે. જ્યારે કુંડકોલિક શ્રમણો પાસકે એ પ્રમાણે કહ્યું ત્યારે તે દેવ શકિત થયો, યાવતુ કલુષને પ્રાપ્ત થયો, કુંડકોડિલ શ્રમણોપાસકને કંઈપણ ઉત્તર આપી ન શક્યો. તેણે નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપર મૂકી દીધો અને જે દિશાથી આવ્યો હતો તે દિશા તરફ ચાલ્યો ગયો. તે કાળે અને તે સમયે મહાવીરસ્વામી સમોસર્યા. કુંડકોલિક શ્રમણોપાસક આ સાંભળી પ્રસન્ન થયો અને કામદેવની જેમ ભગવાનની ધમદશના સાંભળવા નીકળ્યો, થાવતું પર્ફપાસના કીધી. [39] હે કંડકોલિક' એમ સંબોધી શ્રમણ ભગવાન મહાવીરે કુંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કુંડકોલિકી ખરેખર કાલે તારી પાસે મધ્યાહ્ન સમયે અશોક વનિકામાં એક દેવ આવ્યો હતો. આવીને તે દેવે તારી નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્ર લઈ લીધું. યાવતુ તે પાછો ગયો ઈત્યાદિ સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો. પછી પૂછ્યું. કંડકોલિક ! ખરેખલ આ વાત સત્ય છે? કુંડકોલિકઃ હા, સત્ય છે. ભગવાન્ તો કુંડકોલિક ! તું ધન્ય છે, વગેરે કામદેવની પેઠે કહેવું. હે આર્યો’ એમ સંબોધી શ્રમણ ભગવંત મહાવીરે નિર્ગળ્યો અને નિર્ચથીઓને આ પ્રમાણે કહ્યું: હે આર્યો ! જો ગૃહસ્થાવાસમાં રહેતો ગૃહસ્થો અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને ઉત્તર વડે અન્ય તીર્થિકોને નિરુત્તર કરવા સમર્થ છે તો દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનાર નિર્મન્થ શ્રમણોને માટે અર્થ, હેતુ, અને યુક્તિઓ દ્વારા અન્ય યૂથિકોને નિરુત્તર કરવું તો શક્ય જ છે. ત્યાર પછી શ્રમણ નિર્ગળ્યો અને નિર્ચન્થીઓ શ્રમણ ભગવંત મહાવીરના એ અર્થને “તહત્તિ કહી વિનય વડે સ્વીકારે છે. ત્યારબાદ કુંડકોલિક શ્રમણોપાસ શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરી પ્રશ્નો પૂછે છે, પૂછીને તેઓના અર્થને ગ્રહણ કરે છે. અર્થ ગ્રહણ કર્યા પછી જે દિશાથી આવ્યો હતો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005067
Book TitleAgam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy