SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 188 ઉવાસગ દસાઓ - 118 તમે જ એ સ્થાનકની આલોચના કરો, યાવતું પરૂપ પ્રાયશ્ચિત કરો. ત્યાર બાદ આનંદ શ્રાવક દ્વારા આ પ્રમાણે કહેવા પર શંકિત-કાંક્ષિત અને વિચિ કિત્સા-વાળા ભગવાન ગૌતમ આનંદ શ્રાવક પાસેથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય અને શ્રમણ ભગવાન મહા વીર છે ત્યાં આવે છે. ત્યાં આવીને શ્રમણ ભગવાનથી થોડે દૂર રહી ગમનાગમન પડિકમે છે. એષણા-અનેષણાની આલોચના કરે છે. ભગવાનૂને આહાર-પાણી દેખાડે છે. શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરીને એ પ્રમાણે કહે છેઃ ભગવન્! આપની અનુજ્ઞા મેળવી ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહે છે. તો હે ભગવન્! આનંદ શ્રમણોપાસકે તે સ્થાનની આલોચના કરવી જોઈએ. વાવતું પ્રાયશ્ચિત કરવું જોઈએ અથવા મારે કરવું જોઈએ ? શ્રમણ ભગવંત મહાવીરે ભગવાન ગૌતમને એ પ્રમાણે કહ્યું તું જ તે સ્થાનની આલોચના કર, યાવતુ તપ કર્મ પ્રાયશ્ચિતને સ્વીકાર કર અને આનંદ શ્રમણોપાસકને આ સંબંધે ખાવ. ત્યાર બાદ ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને ‘તહત્તિ કહી આ કથનને વિનય પૂર્વક સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરે છે. વાવતું પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે છે અને શ્રમણોપાસકને એ બાબત ખમાવે છે. ત્યાર બાદ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ત્યાંથી વિહાર કરી બહારના દેશ-દેશાન્તરમાં વિચરણ કરે છે. [૧૯]ત્યાર પછી તે આનંદ શ્રમણોપાસક ઘણાં શીલવ્રતો વડે વાવતુ આત્માને ભાવિત કરતાં વીસ વરસ સુધી શ્રમણોપાસકની પર્યાય પાળીને શ્રાવકની અગિયાર પ્રતિમાઓને સમ્યક કાયા વડે સ્પર્શીને, માસિક સંલેખના વડે આત્માને શુદ્ધ કરી સાઠ ભક્ત અનશન વડે પૂર્ણ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત થઈ યથાસમય કાળ કરીને સૌધર્મ દેવલોકમાં સૌધવતતંસક મહાવિમનના ઉત્તર પૂર્વદિશાએ અરુણ વિમાનને વિશે ચાર પલ્યો પમની સ્થિતિ વાળા દેવપણે ઉત્પન્ન થયો. ભગવન! આનંદ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષય પછી ઍવી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિ પદ પામશે. અહીં નિક્ષેપ ઉપસંહાર કરવો અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાધાપૂર્ણ (અધ્યયન-૨-કામદેવ) [૨૦]હે ભગવન્! શ્રમણ યાવતું નિવણને પ્રાપ્ત ભગવન્ત મહાવીરે જે સાતમાં ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનનો આ(પૂવક્ત) અર્થ કહ્યો છે. તો ભગવન્! બીજા અધ્યયનમાં શો અર્થ કહ્યો છે? હે જંબૂનિશ્ચયથી તે કાળે અને તે સમયે ચંપાનગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચેત્ય હતું. જિતશત્રુ રાજા હતો. કામદેવ ગૃહપતિ હતો. તેને ભદ્રા નામે ભાય હતી. તેને ત્યાં છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજમાં અને છ ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી હતી. તેને દશ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વજે એટલે સાઠ હજાર ગાયો હતી. ભગવાનું સમોસય. આનંદની જેમ(કામદેવ વંદન કરવા નીકળ્યો. અને આનંદની જેમ જ શ્રાવકધર્મ સ્વીકાર કરે છે. ઈત્યાદિ [૨૧]ત્યાર પછી કામદેવ શ્રમણોપાસકની પાસે મધ્યરાત્રિના સમયે એક માયી મિથ્યાષ્ટિ દેવ પ્રગટ થયો. તે દેવે એક મોટા પિશાચના રૂપની વિક્રિયા કરી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005067
Book TitleAgam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy