SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 182 હવાસગ દસાઓ- 18 તે પછી ચતુષ્પાદિ વિધિનું પરિમાણ કરે છે. દશ હજાર ગાયનું એક વજ તેવાં ચાર વ્રજ સિવાય બાકીના ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારબાદ ક્ષેત્ર-વાસ્તુનું પરિમાણ કરે છે. જેનાથી સો વીઘા ખેડી શકાય એવું એક હળ, એવા પાંચસો હળો સિવાય અન્ય બધા-ક્ષેત્ર-વાસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યારપછી ગાડાનું પરિમાણ કરે છે. બહાર દેશાન્તરમાં ગમન કરવા યોગ્ય પાંચસો ગાડી અને માલને વહન કરનારા પાંચસો ગાડા ઉપરાંત બધા શક્ટોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ વહાણનું પ્રત્યાખ્યાન કરે છે. દેશાન્તરમાં મોકલવા યોગ્ય વહાણો સિવાય બાકીના વહાણોનું પ્રત્યાખ્યાન કરું છું ત્યારબાદ ઉપભોગ-પરિમોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં અંગનું પણ-શરીર લુંછવાના યુવાલ આદિનું પરિમાણ કરે છે. એક સુગંધી લાલ ટુવાલ સિવાય બાકી બધા શરીર લુંછવાના બધા ટુવાલ આદિના પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર પછી દાતણની વિધિનું પરિમાણ કરે છે. એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણનો ત્યાગ કરું છું. એક મધુર આમળાના ફળ સિવાય બાકીના ફળોનો ત્યાગ કરું છું. શતપાકસૌ વસ્તુઓ ભેળવી અને સૌ વાર ઉકાળીને તૈયાર કરેલ અને સહસ્ત્રપાક તેલ સિવાય બીજું માલિશ કરવાના તેલોનું પ્રત્યાખ્યાન કરું છું. ત્યાર બાદ ઉદવર્તન વિધિનું પરિમાણ કરે છે. એક સુગન્ધી-ગબ્ધ ચૂર્ણ સિવાય બાકીના ઉદ્વર્તન વિધિનો ત્યાગ કરું છું. આઠ ઔષ્ટ્રિક ઘડા પાણી સિવાય વધારે પાણી વડે સ્નાન કરવાનો ત્યાગ કરું છું. ત્યાર બાદ વસ્ત્રની વિધિનું પરિમાણ કરે છે. એક ક્ષૌમયુગલ સિવાય બાકીનાં વસ્ત્રોનો ત્યાગ કરું છું. અગર-કુંકુમ કેસર અને ચંદનાદિ સિવાય બાકીના વિલેપનનો ત્યાગ કરું છું. એક શુદ્ધ કમળ અને માલતીના પુષ્પોની માળા સિવાય બાકીના પુષ્પ વિધિનો ત્યાગ કરું છું. કાનનાં આભરણ અને નામવાળી મુદ્રિકા સિવાય બાકીના અલંકા રોનો ત્યાગ કરું છું. અગર શિલારસ, લોબાનના ધૂપ વગેરે સિવાય બાકીના ધૂપ વિધિનો ત્યાગ કરું છું. તેના પછી ભોજનવિધિનું પરિણાણ કરતો પેયવિધિનું પરિમાણ કરે છે. એક કાષ્ઠપેય સિવાય બાકીના પેયવિધિનો ત્યાગ કરું છું. ત્યારપછી પકવાનોનું પરિમાણ કરે છે. એક ઘેવર અને ખાંડનાં ખાજાં સિવાય બીજા ભક્ષ્યનો ત્યાગ કરું છું. એક બાસમતી ચોખા સિવાય બાકીના ચોખાનો ત્યાગ કરું છું. વટાણાનો સૂપ, મગનો સૂપ અને અડદના સૂપ સિવાય બાકીના બધા દાળનો ત્યાગ કરું છું. ત્યાર બાદ ઘીનું પરિમાણ કરે છે. એક શરદોતુના ગાયના સારભૂત થી સિવાય બાકીનાં ઘીનો ત્યાગ કરું છું. ત્યાર પછી શાકવિધિનું પરિમાણ કરે છે. વાસ્તુ ચૂર્ અને દુધીના શાક સિવાય શેષને ત્યાગ કરું છું. ત્યાર પછી મધુર રસના પીણાની વિધિનું પરિમાણ કરે છે. પાલિકા માધુર સિવાય બાકીના બધા મધુર રસોનો ત્યાગ કરું છું. સેધાશ્ત-કાંજીવડા-દાલવડા સિવાય શેષ જેમવિધિનો ત્યાગ કરું છું. એક વરસાદનું પાણી સિવાય બાકીનાં બધાં પાણીનો ત્યાગ કરું છું. પાંચ સુગંધી પદાર્થ સહિત તાંબુલ સિવાય બાકીના બધાં મુખ વાસ વિધિનો ત્યાગ કરું છું. ત્યાર પછી ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ કરે છે. તે આ પ્રમાણે અપધ્યાનાચરિત-દુધ્યાન કરવું. પ્રમાદાચરીત-પ્રમાદ સેવવા, હિંસ્ત્ર પ્રદાનહિંસા કરનાર શસ્ત્રાદિ આપવા અને પાપકર્મનો ઉપદેશ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005067
Book TitleAgam Deep 07 Uvasagdasao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages43
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 07, & agam_upasakdasha
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy