SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 90 નાયાધમ કહાઓ - 15890 વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને તે ઉપહાર રાજાની સામે રાખીને શંખ રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું.- હે સ્વામિનું ! રાજા કુંભના દ્વારા મિથિલા નગરીથી નિકાસિતુ કરેલ અમો અહીં આવ્યા છીએ. હે સ્વામિનું ! અમે આપની ભૂજાઓની છાયાને ગ્રહણ કરીને સુખપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ.' ત્યારે કાશીરાજ શંખે તે સુવર્ણકારોને કહ્યું- ‘દેવાનુપ્રિયો કુંભ રાજાએ તમને દેશનિકાલની આજ્ઞા કેમ આપી?” ત્યારે સુવર્ણ કારોએ શંખ રાજાને સર્વવાન કહી ત્યાર પછી શંખ રાજાએ સુવર્ણકારોને કહ્યું : દેવાનુપ્રિયો ! કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી વિદેહરાની શ્રેષ્ઠ કન્યા કેવી છે?” ત્યારે સુવર્ણકારોએ શંખ રાજાને કહ્યું- “સ્વામિનું! જેવી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે તેવી દેવ કન્યા કે ગંધર્વ કન્યા પણ ન હોય. ત્યાર પછી શંખ રાજાએ દૂતને બોલાવ્યો ઈત્યાદિ બધો વૃત્તાન્ત પહેલાની જેમ જાણવો. 91) તે કાળ અને તે સમયમાં કુરુ નામક જનપદ હતું. તેમાં હસ્તીનાપુર નામક નગર હતું, અદીનશત્રુ રાજા હતો, યાવતુ તે સુખ પૂર્વક વિચરતો હતો. તે મિથિલા નગરીમાં કુંભ રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ અને મલ્લી કુમારીનો અનુજ મલ્લદિન કુમાર યાવતું યુવરાજ હતો. તે સમયે એકવાર મલ્લદિન કુમારે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- “તમે જાઓ અને મારા પ્રમાદ વન માં એક મોટી ચિત્ર સભાનું નિમણિ કરો, જે અનેક સ્તંભોથી યુક્ત હોય ઇત્યાદિ ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની શ્રેણીને બોલાવી. બોલાવીને આ પ્રમાણે કહ્યું - દેવાનું પ્રિયો ! તમે લોકો ચિત્ર સભાને હાવ, ભાવ, વિલાસ અને વિમ્બક યુક્ત ચિત્રોથી ચિત્રિત કરો. ઘરે જઈને તેઓએ પીંછી અને રંગ લીધો. લઇને જ્યાં ચિત્રસભા હતી, ત્યાં આવ્યા. આવીને ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ભૂમિના વિભાગોનું વિભાજન કર્યું. વિભાજન કરીને પોત પોતાની ભૂમિને સજ્જિત કરી. ચિત્રને યોગ્ય બનાવી. સર્જિત કરીને ચિત્ર સભામાં હાવ-ભાવ આદિથી યુક્ત ચિત્ર અંકિત કરવામાં લાગી ગયા. તે ચિત્રકારોમાંથી એક ચિત્રકારને એવી ચિત્રકળાલબ્ધિ પ્રાપ્ત થઈ હતી અને વારંવાર ઉપયોગમાં આવી હતી કે જે કોઈ દ્વિપદ, ચતુષ્પદ અથવા અપદનું એક અવયવ પણ જોઈ લે તો તે અવયવના આધારે તેનું આખું ચિત્ર બનાવી શકે. તે સમયે એકવાર એક ચિત્રકાર દારકે યવનિકાની ઓટમાં રહેલ મલ્લી કુમારીના પગનો અંગુઠો જાળી માંથી જોયો. ત્યાર પછી તે ચિત્રકારદારકને એવો વિચાર આવ્યો. યાવતુ તેનું આબેહૂબ થાવત્ ગુણયુક્ત સુંદર ચિત્ર બનાવવું ઉચિત છે. તેણે તેવો વિચાર કર્યો વિચાર કરીને ભૂમિના પગના અંગુઠાનું અનુસરણ કરીને વાવતુ ચિત્ર બનાવ્યું. ત્યાર પછી ચિત્રકા રોની તે મંડલીએ ચિત્રભાસાને યાવતુ હાવ-ભાવ આદિથી ચિત્રિત કરી. ચિત્રિત કરીને જ્યાં મલ્લદિન કુમાર હતો, ત્યાં ગઈ. ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની મંડલી નો સત્કાર સન્માન કર્યું.સત્કાર સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. આપીને વિદાય કર્યો. ત્યાર પછી સમયે મલ્લદિન કુમાર સ્નાન કરીને વસ્ત્રાભૂષણ ધારણ કરીને, અંતપુર તેમજ પરિવાર સહિત, ધાયમાતાને સાથે લઈને, જ્યાં ચિત્રસભ, હતી, ત્યાં આવ્યા. આવીને ચિત્રસભાની અંદર પ્રવેશ કર્યો પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને વિબ્લોક યુક્ત ચિત્રો જોતાં જોતાં જ્યાં વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીનું તેના અનુરુપ ચિત્ર હતું, ત્યાં આવવાને માટે તૈયાર થયા. ત્યારે મલ્લદિન કુમારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy