SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 38 નાયાધમ્માઓ-૧-૧૩૫ દયમાં ધારણ કરીને સમ્યક પ્રકારે તેને અંગીકાર કર્યો. તે ભગવાનની આજ્ઞા પ્રમાણે ગમન કરતા તેજ પ્રમાણે બેસતા, યાવતુ ઉઠીને અથતુિ પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરી પ્રાણો, ભૂતો જીવો અને સત્વોની યતના કરી સંયમની આરાધના કરવા લાગ્યા. 36] જે દિવસે મેઘકુમાર મંડિત થઈને ગૃહત્યાગ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. તેજ દિવસે સંધ્યા કાળના સમયે, શત્રિક અનુક્રમથી શ્રમણ નિગ્રંથોની શય્યાસંસ્કારકોનું વિભાજન કરતાં સમયે મેઘકુમારનો શય્યા તારક દ્વાર ની પાસે થયો. ત્યાર પછી શ્રમણ નિગ્રંથ રાત્રિના પહેલા અને પાછલા સમયમાં વાચના, પૃચ્છના, પરાવર્તન ધર્મના વ્યાખ્યાનના ચિંતન, ઉચ્ચાર, પાસવણને માટે પ્રવેશ કરતા હતા અને બહાર નિકળતા હતા, તેમાં કેટલાક સાધુઓના હાથનો મેઘકુમારની સાથે સંઘટ્ટન થતું એજ રીતે કોઇના પગનો, કોઈના મસ્તકનો તો કોઈના પેટની ટક્કર થયો. કોઈ કોઈ તો મેઘ કુમારની ઉપરથી ટપીને જતાં કોઈ કોઈએ તો પોતાના પગની ૨જથી મેઘકુમારને ભરી દીધો. આ પ્રમાણે લાંબી રાત્રિમાં મેઘકુમાર ક્ષણભર પણ આંખ બંધ ન કરી શક્યો. ત્યારે મેઘકુમારને મનમાં આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો. હું શ્રેણિક રાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ મેઘકુમાર છું યાવતું જ્યારે હું ઘરમાં હતો. ત્યારે શ્રમણ નિગ્રંથ મારો આદર કરતા હતા. આ કુમાર આવી છે. આ પ્રમાણે જાણતા હતા. સત્કાર સન્માન કરતા હતા. જીવાદિ પદાર્થોને તેણે સિદ્ધ કરવાવાળા હેતુઓને પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણો ને કહેતા હતા. ઈષ્ટ અને મનોહર વાણીથી આલાપસંલાપ કરતા હતા. પરંતુ જ્યારથી મે મુંડિત થઈ ગૃહવાસથી નિકળીને સાધુ દીક્ષા અંગીકાર કરેલ છે. ત્યારથી સાધુ મારો આદર નથી કરતા યાવત્ આલાપ સંતાપ નથી કરતા અને આ શ્રમણ નિગ્રંથો જતાં આવતાં મારા સંતારેકને ઓળંગે છે અને હું આટલી લાંબી રાત્રિમાં આંખ પણ બંધ ન કરી શક્યો તેથી કાલે રાત્રિના પ્રભાત રૂપ થવા પર યાવતું સૂર્ય તેજથી જાજ્વલ્યમાન થવાપર શ્રમણ ભગવાન મહાવીરની આશા લઈને ફરીથી ગૃહવાસમાં રહેવું મારા માટે શ્રેયસ્કર છે, વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડીત અને વિકલ્પ યુક્ત થઈને તે રાત્રિ મેઘકુમારે નરકની જેમ વ્યતીત કરી. રાત્રિ, વ્યતીત કરીને પ્રભાત થવા પર, સૂર્યનું તેજ જાજ્વલ્યમાન થવા પર જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી. વંદન નમસ્કાર કરીને ભાવતું ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા. [37] શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને આ પ્રમાણે કહ્યું - “હે મેઘ” તું રાત્રિના પહેલા અને પાછલા કાળના અવસર પર શ્રમણ નિગ્રંથોના આવાગમન કર વાના કારણે લાંબી રાત્રિ પર્યત થોડા સમય માટે પણ આખ ન મીંચી શક્યો મેઘ ! ત્યારે તારા મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો વાવતું જ્યારથી મુંડિત થઈને ગૃહ વાસથી નિકળીને મેં સાધુતાની દીક્ષા લીધી છે. ત્યારથી શ્રમણ નિગ્રંથો નથી મારો આદર કરતા કે નથી મને જાણતા. તેને બદલે વાવતુ પગની ધૂળથી ભરી દે છે. તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે કાલે પ્રભાત થવા પર શ્રમણ ભગવાન મહાવીરને પૂછીને ગૃહવાસમાં રહેવા લાગુ તમે તે પ્રમાણે વિચાર કર્યો છે અને વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખથી પીડિત તેમજ સંકલ્પ વિકલ્પ યુક્ત માનસ વાળા થઈને યાવત્ રાત્રિ વ્યતીત કરીને જ્યાં હું છું ત્યાં શીવ્રતાપૂર્વક આવ્યા છો. હે મેઘ ! આ અર્થ સમર્થ છે? મેઘકુમારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy