________________ - - અતર્ક-૧, અધ્યયન-૧૬ 159 કરાય છે યાવતુ તે પ્રયોજનને સિદ્ધ કર્યું. તેમણે અનંત ચાવતું શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું. વાવત્ તેઓ સિદ્ધ થયા. [183] દક્ષા અંગીકાર કર્યા પછી દ્રોપદી આર્યાએ સવ્રતા આની પાસે સામા. યિકથી લઈને અગ્યાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમય પર્યાયનું પાલન કર્યું. અંતમાં એક માસની સંલેખના કરીને, આલોચના તેમજ પ્રતિક્રમણ કરીને, તથા કાળ માસમાં કાળ કરીને બ્રહ્મલોક નામના સ્વર્ગમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવરૂપે જન્મ લીધો. “ભગવાન ! તે દ્રૌપદી દેવ ત્યાંથી પછી ક્યાં જન્મ લેશે ?" “તે ત્યાંથી આવીને વાવતું મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈને યાવત્ કમનો અંત કરશે.' | અધ્યયન-૧દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૭-અધ્યાપન) [184] શ્રમણ ભગવાન મહાવીર યાવતુ નિવણને પ્રાપ્ત જિનેશ્વર દેવે સોળમાં જ્ઞાત-અધ્યયનનો પૂવોક્ત અર્થ ફરમાવેલ છે તો હે ભગવન! સત્તરમાં જ્ઞાતઅધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે? હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં હતિશીર્ષ નામનું નગર હતું. તે નગરમાં કનકકેતુ નામનો રાજા હતો. તે હસ્તિ શીર્ષ નગરમાં ઘણા સાયંત્રિક નૌકાવણિક રહેતા હતા. તે ધનાઢ્ય હતા થાવતુ કોઇથી પણ પરાભવ પામતા ન હતા. એક વાર કોઈ સમયે તે સાયંત્રિક નૌકાવ ણિકો આપસમાં મળ્યા. તેમણે અહનકની જેમ વિચાર કર્યો. યાવતુ લવણસમુદ્રમાં તેઓ સેંકડો યોજન સુધી અવગાહન પણ કરી ગયા. તે સમયે તે વણિકોને માકંદી પુત્રોની સમાન ઘણા સેંકડો ઉત્પાત થયા. યાવતુ તોફાન પણ ઉત્પન્ન થયું. તે સમયે તે નૌકા તે તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, વારંવાર ચલાયમાન થવા લાગી, વારે વાર ક્ષુબ્ધ થવા લાગી અને તે સ્થાન પર ચક્કર ખાવા લાગી. તે સમયે નૌકાના નિયમકિની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. શ્રુતિ પણ નષ્ટ થઈ ગઈ અને સંજ્ઞા પણ ગાયબ થઈ ગઈ. તે દિશા મૂઢ થઇ ગયા. તેમને આ જ્ઞાન પણ ન રહ્યું કે પોતવાહન કયા પ્રદેશમાં અથવા કઈ દિશાવિદિશામાં ચાલી રહ્યું છે? તેમના મનનો સંકલ્પ ભાંગી ગયો. યાવતુ તે ચિંતામાં લીન થઈ ગયા. તે સમયે કુક્ષિધાર, કર્ણધાર, ગર્મિલ્લક. તથા સાયાંત્રિક નૌકાવણિક નિય મકની પાસે આવ્યા. આવીને તેને કહ્યું- દેવાનુપ્રિયીમનમાં નષ્ટ સંકલ્પવાળા થઈને ચિંતા કેમ કરી કહ્યા છો?” ત્યારે તે નિયમિકે તે ઘણા કુક્ષિધારો ને, કર્ણધારોને, ગર્ભિલ્લકોને તથા સાયાંત્રિક નૌકાવણિકોને કહ્યું- દેવાનુપ્રિયો ! મારી મતિ નષ્ટ થઈ ગઈ છે. યાવત્ પોતવહન કઈ દિશા યા વિદિશામાં જઈ રહ્યું છે તેની પણ ખબર પડતી નથી. તેથી હું ભગ્નમનોરથ થઈને ચિંતા કરી રહ્યો છું.' ત્યારે તે કર્ણધાર તે નિયમિકની તે વાત સાંભળીને અને સમજીને ભયભીત થયા. તેમણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને હાથ જોડીને ઘણા ઈન્દ્ર, સ્કંદ, આદિ દેવો ને, જેમ મલ્લિ અધ્યયનમાં કહ્યું છે તેમ મનાવવા લાગ્યા. થોડીવાર પછી તે નિયમિક લબ્ધમતિ લબ્ધશ્રુતિ, લબ્ધસંજ્ઞા અને અદિમૂઢ થઈ ગયો. ત્યારે તે નિયમકે તે બહુસંખ્યક કુક્ષિ ધારો, આદિને કહ્યું -દેવાનુપ્રિયો! મને બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે. યાવતું મારી દિશા-મૂઢતા નષ્ટ થઈ ગઈ છે. દેવાનુપ્રિયો! આપણે લોકો કાલિક દ્વીપની નજીક આવી પહોંચ્યા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org