SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 153 હતાં, ત્યાં જવાને માટે ઉદ્યત થયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતો જોયો. જોઈને તે પાંચ પાંડવી પ્રતિ બોલ્યા-અરે બાળકો ! તમે પાનાભની સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે પાંચ પાંડવો એ કૃષ્ણ વાસુદેવને કહ્યું “હે સ્વામિનું! અમે યુદ્ધ કરીએ અને આપ અમારું યુદ્ધ જુઓ. ત્યાર પછી પાંચે પાંડવો તૈયાર થઈને યાવતુ શસ્ત્ર લઇને રથ પર સવાર થયા અને જ્યાં પાનાભ હતો, ત્યાં પહોંચ્યા. પહોંચીને આજ અમે છીએ અથવા પદ્મનાભ રાજા છે' એમ કહીને તે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજાએ તે પાંચ પાંડવો પર શીઘ્રતાથી શસ્ત્રનો પ્રહાર કર્યો તેના અહંકારને મસળી નાખ્યો અને તેમના ઉત્તમ ચિહ્ન પર પતાકા પાડી દીધી. ધાવતુ તેમને આમ-તેમ ભગાડી દીધા. ત્યારે તે પાંચે પાંડવો પદ્મનાભ રાજા દ્વારા શસ્ત્રથી હતા થયેલા, મતિ અહંકારવાળા અને પતિત પતાકા વાળા થઈને યાવતુ પદ્મનાભ દ્વારા ભગાડેલા શત્રુ સેનાનો નિરાકરણ કરવામાં અમર્થ થઈને વાસુદેવ કૃણ પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવોને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે પદ્મનાભ રાજાની સાથે કેવી રીતે યુદ્ધમાં સંલગ્ન થયા હતા?” ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા મેળવીને સૂસજ્જિત થઈને રથ પર આરૂઢ થયા. ઈિત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. પાંડવોનો ઉત્તર સાંભળીને કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને કહ્યું- દેવાનુપ્રિયો ! અગર તમે એમ બોલ્યા હોત કે “અમે છીએ, પદ્મનાભ રાજા નથી' આમ કહીને પાનાભ રાજાની સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા હોત તો પદ્મનાભ રાજા તમારું હન ન કરી શકત, મથન ન કરી શકત અને તમને યાવત્ દિશાઓમાં ભગાડી ન શકત હવે હે દેવાનુપ્રિયો ! તમે જુઓ, હું છું, પાનાભ રાજા નહી એમ કહીને હું પદ્મનાભની સાથે યુદ્ધ કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થયા. આરૂઢ થઈને પદ્મનાભ રાજાની પાસે પહોંચ્યા. પહોંચીને તેણે શ્વેત ગાયના દૂધ અને મોતીઓની હારની સમાન ઉજ્જવલ, મલ્લિકાના ફૂલ, માલતી, કુસુમ, સિન્દુરવાર પુષ્પ, કુન્દ પુષ્પ અને ચંદ્રની સમાન શ્વેત, પોતાની સેનાને હર્ષ ઉત્પન્ન કરનાર અને શત્રુ સેનાનો વિનાશ કરનાર પાંચજન્ય શંખ હાથમાં લીધો અને મુખના પવનથી તેને પૂર્ણ કર્યો જંક્યો. ત્યાર પછી શંખના શબ્દથી પાનાભની સેના ભય પામી યાવત્ દિશાવિદિ. શામાં ભાગી ગઈ. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સારંગ નામનું ધનુષ હાથમાં લીધું, ધનુષ પર પ્રત્યંચા ચઢાવી. પ્રત્યંચા ચઢાવી ટંકાર કર્યો. ત્યારે પાનાભની સેનાનો બીજો કાફલો ભાગ્યો તે ધનુષની ટંકારથી હત-મથિત થઇ ગયો યાવતુ આમ તેમ ભાગવા લાગ્યો. ત્યારે પદ્મનાભની સેનાનો એક કાફલો જ શેષ રહી ગયો. તેથી તે સામર્થ્યહીન, બલ હીન વીર્યહીન અને પરાક્રમથી હીન થઈ ગયો. તે કૃષ્ણના પ્રહારને સહન કરવામાં યા નિવારણ કરવામાં અસમર્થ થઈને શીઘ્રતાપૂર્વક ઉતાવળથી ત્વરાથી અમરકંકા રાજ ધાનીમાં જઈ પહોંચ્યો. તેણે અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કર્યો. અને બારણું બંધ કરી દીધું. દ્વાર બંધ કરીને તે નગરરોધ માટે સજ્જ થઈને સ્થિત થઈ ગયો. ત્યાર પછી કૃષ્ણ, વાસુદેવ જ્યાં અમરકંકા રાજધાની હતી, ત્યાં ગયા ત્યાં જઈને રથ ઉભો રાખ્યો. વૈક્રિય સમુદ્રઘાતથી મહાન નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું. પછી રોરથી શબ્દ કરીને પગો નું આફાટન કર્યું પછાડ્યા. કૃષ્ણ વાસુદેવના જોર જોરની ગર્જનાની સાથે પગ પછાડ વાથી અમરકંકા રાજધાનીના પ્રકાર, ગોપુર, અટ્ટાલિકા ચારિયઅને તોરણ પડી ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy