SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 15. નાયાધામ કહાઓ- 1-16176 રાજાને આ પ્રમાણે કહ્યું- “આ પ્રમાણે હે તાત! હું અગાસી ઉપર સુતો હતો. મારી પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ દેવ, દાનવ, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, હરણ કરી ગયો, લઈ ગયો, ખેંચી ગયો. તો હે તાત! હું ઈચ્છું છું કે દ્રોપદી દેવીની ચારે તરફ માર્ગણા કરાય.” ત્યારે પાંડુ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું હે દેવાનું પ્રિયો! હસ્તિનાપુર નગરમાં શ્રાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને પથ આદિમાં ઊંચા ઊંચા શબ્દોની ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો-આ પ્રમાણે નિશ્ચયથી આકાશ તલ પર સુખે સુતેલી યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ હરણ કરેલ છે, લઈ ગયો છે યા ખેંચી ગયો છે? તો હે દેવાનુપ્રિયો કોઈ દ્રૌપદી દેવીની કૃતિ, ક્ષતિ યા પ્રવૃત્તિ બતાવશે તે મનુષ્યને પાંડુ રાજા વિપુલ સંપદાનું દાન આપશે, ઈનામ ઓપશે. આ પ્રમાણેની ઘોષણા કરો. પૂર્વોક્ત ઘોષણા કરાવવા છતાં પણ પાંડુ રાજા દ્રૌપદી દેવીની ક્યાંય પણ શ્રતિ યાવતું સમાચાર ન મેળવી શક્યા. ત્યારે કુંતી દેવીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે દ્વારવતી નગરી જાઓ અને કુષણ વાસુદેવને આ અર્થ નિવેદન કરો. કૃષ્ણ વાસુદેવ જ દ્રોપદીદેવીની માગણા-ગવેષણા કરશે. અન્યથા દ્રૌપદી દેવીની શ્રુતિ, શ્રુતિ યા પ્રવૃત્તિ આપણે જાણી શકીશું. એવું ન માની શકાય. પાંડુ રાજાથી દ્વારિકા જવા માટે કહેવા પર કુન્તી દેવી તેની વાત યાવતું સ્વીકાર કરીને સ્નાન કરીને, બાલકર્મ કરીને, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને નીકળી. નીકળીને કુરુદેશની વચ્ચો વચ્ચે થઈને જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું જ્યાં તારવતી નગરી હતી અને નગરની બહાર શ્રેષ્ઠ ઉદ્યાન હતું, ત્યાં આવી. આવીને હાથીના સ્કંધથી નીચે ઉતરી. ઉતરીને કૌટુમ્બિક પરુષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તમે જ્યાં દ્વારિકા નગરી છેઃ ત્યાં જાઓ. દ્વારિકા નગરીની અંદર પ્રવેશ કરો. પ્રવેશ કરીને કૃષણ વાસુદેવને બંને હાથ જોડી આ પ્રમાણે કહેવું, હે સ્વામિનું! આપના પિતાની બહેન કુન્તી દેવી હસ્તિના પુરથી શીધ્ર અહીં આવેલ છે અને તમારા દર્શનની ઈચ્છા કરે છે. તમને મળવા ઇચ્છે છે.” ત્યારે કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષો પાસેથી કુન્તી દેવીના આગમનના સમાચાર સાંભળીને હાથીના સ્કંધ પર આરૂઢ થઈને ઘોડાઓ, હાથીઓ આદિની સેનાની સાથે થાવતુ દ્વારવતી નગરીની મધ્યમાં થઇને જ્યાં કુન્તી દેવી હતી, ત્યાં આવ્યા. આવીને હાથીના અંધ ઉપરથી ઉતર્યા. નીચે ઉતરીને તેણે કુન્તી દેવીના ચરણને ગ્રહણ કર્યા. ચરણનો સ્પર્શ કર્યો. પછી કુન્તી દેવીની સાથે હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. આરૂઢ થઈને દ્વારવતી નગરીના મધ્ય ભાગમાં થઈને જ્યાં પોતાનો મહેલ હતો, ત્યાં આવ્યા, આવીને પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. કુન્તી દેવી જ્યારે સ્નાન કરીને, બલિકમ કરીને અને ભોજન કરીને પછી યાવતું સુખાસન ઉપર બેઠી, ત્યારે કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું- હે પિતૃભગિની ! કહો આપનું અહીં આવવાનું શું પ્રયોજન છે?' ત્યાર પછી કુન્તી દેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! હસ્તિનાપુર નગરમાં, યુધિષ્ઠિર આકાશતલ પર સુખે સુતો હતો. તેની પાસેથી દ્રૌપદી દેવીને ન જાણે કોણ અપહરણ કરી ગયો હું ઈચ્છું છું કે તેની માર્ગણા કરો-ગવેષણા કરો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પોતાની પિતૃભગિની કુન્તીને કહ્યું-જો હું ક્યાંય પણ દ્રૌપદી દેવીની શ્રુતિ આદિ મેળવું તો હું તેને પાતાલથી, ભવનમાંથી યા અર્ધભરત ક્ષેત્રમાંથી, દરેક સ્થાનેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy