SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 146 નાયાધમ્મ કહાઓ - 14-1172 સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠપુરુષોમાં અને રૂપથી સુશોભિત છે અને શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તી સમાન છે. તેમાંથી કોઈ તારા હૃદયને પ્રિય હોય તો વરણ કરીલે. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદી પણ હજાર શ્રેષ્ઠ રાજાઓની મધ્યમાં થઇને, તેઓનું અતિક્રમણ કરતી-કરતી, પૂર્વકત નિયાણાથી પ્રેરિત થતી જ્યાં પાંચ પાંડવો હતા. ત્યાં આવી. ત્યાં આવીને તેણીએ તે પાંચે પાંડવોને પંચરંગી કુસુમધમથી ચારે તરફથી વેષ્ટિત કરી દધા. વેષ્ટિત કરીને કહ્યું - મેં આ પાંચે પાંડવોને વરણ કર્યા છે. ત્યાર પછી તે વાસુદેવ પ્રભુતિ બહુ હજાર રાજાઓએ ઊંચા-ઊંચા શબ્દોથી વારંવાર ઉઘોષણા કરતાં કહ્યું-“અહો ! રાજવરકન્યા દ્રૌપદીએ સારું વરણ કર્યું.' એ પ્રમાણે કહીને તેઓ સ્વયંવરમંડપથી બહાર નીકળ્યા. નીકળીને પોતપોતાના આવાસોમાં ચાલ્યા ગયા. - ત્યાર પછી ધૃષ્ટદ્યુમ્ન કુમારે પાંચે પાંડવોને, રાજવકન્યા દ્રૌપદીને ચારઘંટા, વાળા અશ્વરથ પર આરૂઢ કર્યા અને કાંપિલ્યપુરની મધ્યમાં થઈને યાવતુ પોતાના ભવન માં પ્રવેશ કર્યો. ત્યાર પછી દ્રપદ રાજાએ પાંચે પાંડવોને અને રાજવરકન્યા દ્રૌપદીને પટ્ટ પર આસીન કર્યા. આસીન કરીને ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવ્યું. અગ્નિહોમ કરાવ્યો. પછી પાંચે પાંડવોને દ્રોપદીની સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યાર પછી દ્રુપદ રાજાએ રાજવરકન્યા દ્રોપદીને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું આઠ કરોડ હિરણ્ય આદિ યાવતુ આઠ પ્રેષણ કરણી દાસ ચેટિક. તે સિવાય અન્ય પણ ઘણું ધન કનક આદિ થાવતું પ્રદાન કર્યું. ત્યાર પછી દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રભૂતિ રાજાઓને વિપુલ અશન, આદિથી સત્કાર કરીને વિદાય કર્યો. [17] ત્યાર પછી પાડુ રાજાએ તે વાસુદેવ પ્રસૃતિ ઘણા હજાર રાજાઓને હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીનો કલ્યાણકારક મહોત્સવ થશે. તેથી દેવાનુપ્રિયો ! તમે અમારા પર અનુ ગ્રહ કરીને બધા યથા સમયવિલંબ કર્યા વિના પધારજો.' ત્યાર પછી તે વાસુદેવ આદિ સર્વ નૃપતિગણ અલગ અલગ યાવતુ ગમન કરવાને માટે ઉઘત થયા. ત્યાર પછી પાંડુ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આદેશ આપ્યો- તમે જાઓ અને હસ્તિનાપુર, નગરમાં પાંચ પાંડવોને માટે પાંચ ઉત્તમપ્રાસાદ બનાવડાવે. તે પ્રાસાદ ઘણા ઊંચા અને સાત માના હોવા જોઈએ. યાવતું તે ખુબ સુંદર હોવા જોઈએ.” ત્યાર પછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રોપદીની સાથે અશ્વસેના, ગજસેના આદથી પરિવૃત થઈને કાંપિલ્ય પુર નગરથી નીકળ્યા. નીકળીને જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવી પહોંચ્યા. ' ત્યાર પછી પાંડુ રાજાએ તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને તેમને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ ઘણા હજાર રાજાઓને માટે આવાસ તૈયાર કરાવો. જે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત હોય, ઈત્યાદિ તે ત્યાર પછી તે વાસુદેવ વગેરે ઘણા હજાર રાજાઓ હસ્તિનાપુર નગરમાં આવ્યા. ત્યારે પાંડુરાજા તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને દ્રુપદ રાજાની જેમ તેની સામે જઈને તેમનો સત્કાર કર્યો યાવત્ તેઓને યથાયોગ્ય આવાસ આપ્યો. ત્યાર પછી પાંડુ રાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કૌટુ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશનાદિ તૈયાર Jain Education International For Private & Personal Use Only www.fainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy