SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 139 પછી સાગરદત્તે તે ભિખારી પુરુષના ઊંચા સ્વરથી રોવાના શબ્દો સાંભળીને અને સમજીને કૌટુમ્બિક પુરુષોને કહ્યું દેવાનુપ્રિયો ! આ ભિખારી પુરુષ કેમ જોર જોરથી રદન કરે છે?” ત્યારે કૌટુમ્બિક પરષોએ આ પ્રમાણે કહ્યું “સ્વામિનું! તે શકોરાનો ટૂકડો. અને ઘડાનો ટૂકડો એક તરફ ફેંકી દેવાથી તે જોર-જોરથી રડી રહ્યો છે. ત્યારે સાગરદત્ત સાર્થવાહે તે કૌટુમ્બિક પુરુષોને કહ્યું- દેવાનુપ્રિયો! તમે તે ભિખારીના શકોરાના ટૂકડાને અને ઘટને એક તરફ ન ફેંકો પરંતુ તેની પાસે રાખી દો, જેથી તેને પ્રતીતિ રહે આ સાંભળીને તે ટૂકડા તેની પાસે રાખી દીધા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ તે ભિખા રીને અલંકારકર્મ કરાવ્યાં. પછી શતપાક અને સહસ્ત્રપાક તેલથી અમ્પંગન કર્યું. અભ્ય ગન થઈ ગયા પછી સુવાસિત ગંધદ્રવ્યના ઉબટનથી તેના શરીરનું ઉબટન કર્યું. પછી ગરમ પાણીથી સુગંધીપાણી અને શીતલ પાણીથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બારીક અને સુકોમળ ગંધકષાય વસ્ત્રથી શરીર લૂછ્યું. પછી હંસ લક્ષણ વસ્ત્ર પહેરાવ્યાં. વસ્ત્ર પહેરાવીને તેને સર્વ અલંકારોથી અલંકૃત કર્યો. ભોજન કરાવીને સાગરદન સાર્થવાહની પાસે લઈ ગયા. ત્યાર પછી સાગરદન સાર્થવાહે સુકુમાલિકા દારિકાને સ્નાન કરાવ્યું કાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત કરી. તે ભિખારી પરષને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! આ મારી પુત્રી મને ઈષ્ટ છે. તેને હું તને તારી ભાર્યાના રૂપે આપું છું. તમે આ કલ્યાકારિણીને માટે કલ્યાણકારી થાઓ ! ત્યાર પછી તે દ્રમુક પુરુષે સાગરદત્તની વાત સ્વીકાર કરી. સ્વી, કાર કરીને સુકુમાલિકા દારિકાની સાથે વાસગૃહમાં પ્રવેશ કર્યો અને સુકુમાલિકા દારિ કાની સાથે શય્યામાં સૂતો. તે સમયે તે દ્રમક પુરુષ સુકુમાલિકાનો તેવા પ્રકારના અંગો સ્પર્શનો અનુભવ થયો. શેષ વૃત્તાન્ત સાગર દારકની જેમ જાણી લેવું યાવતુ. નીકળીને તેણે પોતાના પેલા શકોરાના ટૂકડા અને ઘડાનો ટૂકડો ગ્રહણ કરીને જે તરફથી આવ્યો હતો, તે તરફ ચાલ્યો ગયો. એ એવો ગયો કે જેમ કોઈ કસાયખાનેથી છૂટેલ હોય યા. મારનાર પુરુષની પાસેથી છૂટકારો પામીને ભાગ્યો હોય ! તે દ્રમક પુરુષ ચાલ્યો ગયો એમ વિચારીને સુકુમાલિકા ભગ્ન મનોરથ થઈને યાવતું ચિંતા કરવા લાગી. ત્યાર પછી ભદ્રાસાર્થવાહીએ બીજા દિવસે પ્રભાત થવા પર દાસચેટીને બોલાવી. બોલાવીને કહ્યું, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું, યાવતુ દાસચેટીએ સાગરદત્ત સાર્થવાહને આ અર્થ નિવેદન કર્યું. ત્યારે સાગરદત્ત તેવી રીતે સંભ્રાન્ત થઈને વાસગૃહમાં આવ્યો. આવીને સુકુમાલિકાને ગોદમાં બેસાડીને આ પ્રમાણેકહ્યુંહે પુત્રી ! તું પૂર્વકૃત કાવત્ પાપકર્મને ભોગવી રહી છે. તેથી બેટી!ભગ્ન મનોરથ થઈને વાવતુ ચિંતા ન કરો. હે પુત્રી તું મારી ભોજન શાળામાં તૈયાર થયેલ વિપુલ, આહારને શ્રમણો આદિને દાન દેતી રહે.” ત્યારે સુકુમાલિકા દારિકાએ તે વાતનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને વિપુલ આહાર દાન દેતી રહેવા લાગી. તે કાળ અને તે સમયમાં ગોપાલિકા નામની બહુશ્રુત આર્યા, પધારી. તેવી રીતે તેણીના સંઘાડાઓ યાવતું સુકુમારિકાના ઘરમાં પ્રવેશ કર્યો. આહાર વહોરાવીને આ પ્રમાણે કહ્યું- હે આયઓ! હું સાગરને માટે અનિષ્ટ છું યાવતું અમનોજ્ઞ છું સાગર મારું નામ પણ સાંભળવા ઇચ્છતો નથી યાવતુ પરિભોગ પણ નથી ઈચ્છતો જેને જેને મને આપવામાં આવે તેને તેને હું અનિષ્ટ યાવતું અમનોજ્ઞ બનું છું. હે આયઓ! તમે બહુ જ્ઞાની છો. યાવત્ આપે કોઈ મંત્ર-તંત્ર આદિ પ્રાપ્ત કરેલ છે? જેથી હું સાગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy