SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 108 ભાયામ કક્કાઓ - 1-9125 દયમાં ધારણ કરીને ભયભીત ન થયા. ત્રાસ ન પામ્યા ઉદ્વિગ્ન ન થાય. સંભ્રાન્ત ન થયા. તે રદ્વીપની દેવીના આ અર્થનો આદર ન કર્યો. તેને અંગીકાર ન કર્યો, તેની પરવા ન કરી. ત્યાર પછી તે રત્નદ્વીપની દેવી જ્યારે તે માકંદીપુત્રોને ઘણાં પ્રતિકુલ ઉપ સર્ગો દ્વારા ચલિત કરવામાં, ક્ષુબ્ધ કરવામાં. પલટવામાં અને લોભાવવામાં સમર્થ ન થઈ ત્યારે પોતાના મધુર મૃગારમય અને અનુરાગજનક અનુકૂળ ઉપસર્ગોથી તેમના ઉપર ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. દેવી કહેવા લાગી તમે મારી સાથે હાસ્ય કરેલ છે. ચોપાટ આદિ રમેલ છે. મનોવાંછિત કરેલ છે. ઝૂલા આદિ પર ઝૂલીને મનોરંજન કરેલ છે. ઉદ્યાન આદિમાં ભ્રમણ કરેલ છે. અને રતિક્રિડા કરી છે. તે બધાને કાંઈ પણ ન ગણતાં મને છોડીને તમે શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની મધ્યમાં જાઓ છો ! ત્યાર પછી, રત્નદ્વીપની દેવીએ જિનરક્ષિતનું મન અવધિજ્ઞાનથી (કંઇક શિથીલ) જોયું. તે જોઈને દેવી આ પ્રમાણે કહેવા લાગી-હું હંમેશા જિનપાલિતને માટે અનિષ્ટ અકાન્ત આદિ હતી. અને જિનપાલિત. મારા માટે અનિષ્ટ અકાત્ત આદિ હતો. પરંતુ જિનરક્ષિતને માટે હું હંમેશા ઈષ્ટ આદિ હતી. અને જિનરક્ષિત મને ઈષ્ટ હતો તેથી જિનપાલિત રોતી આકન્દન કરતી. શોક કરતી, અનુતાપ કરતી. અને અલાપ કરતી એવી મારી પરવાહ ન કરે તે હે જિનરક્ષિત ! તું પણ રોતી એવી મારી પાવતુ પરવાહ નથી કરતો? [12-133 ત્યાર પછી તે શ્રેષ્ઠ રત્નદ્વીપની દેવી અવધિજ્ઞાન દ્વારા જિનર ક્ષિતનું મન જાણીને બંને મા કંદીપુત્રો પ્રતિ તેમના વધ કરવાના નિમિતે દ્વેષથી યુક્ત તે દેવી લીલા સહિત વિવિધ પ્રકારના ચૂર્ણવાસથી મિશ્રિત દિવ્ય નાસિકા અને મનને તૃપ્તિ દેનાર અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરતી વિવિધ પ્રકારના મણિ સુવર્ણ અને રત્નોની ઘંટડીઓ, ઘુઘરાનુપુર અને મેખલા તે બધા આભૂષણોના. શબ્દોથી સમસ્ત દિશાઓ અને વિદિશાઓને વ્યાપ્ત કરતી તે પાપીણી દેવી આ પ્રમાણે કહેવા લાગી. હે હોલ! વસુલ ગોલ હે નાથ ! હે દપિત હે પ્રિય છે હે રમણ! હે કાન્ત! હે સ્વામિનુ હે નિર્ગુણ ! હે નિત્યકકા ! હે ત્યાન ! હે નિષ્કપ હે અકૃતજ્ઞ હે શિથિલભાવ હે રક્ષ ! હે કરુણ ! હે જિનરક્ષિત ! હે મારા દ્દયના રક્ષક મને એકલી, અનાથ, બાંધવવિહીન. તમારા ચરણોની સેવા કરનારી અને અધવા ને ત્યાગી દેવી તે તમારે માટે યોગ્ય નથી. હે ગુણોના સમૂહ! તમારા વિના એક ક્ષણ પણ હું જીવિત રહેવા સમર્થ નથી. સેંકડો મસ્ય, આદિના ઘર-સ્વરૂપ આ રત્નાકરની મધ્યમાં, તમારી સામે હું મારો વધ કરૂં છુંઆવો, પાછા આવે. જો તમે કુપિત થયા છો. તો મારો એક અપરાધ ક્ષમા કરો. તમારું મુખ મેઘરહિત નિર્મળ ચંદ્રમા સમાન છે. તમારા નેત્રો શરઋતુના સઘઃ વિકસિત કમલ કુમુદ અને કુવલયના પાંદડાની સમાન અત્યંત શોભાયમાન છે. એવા નેત્રવાળા તમારા મુખના દર્શનની ઈચ્છાથી હું અહીં આવી છું. તમારા મુખને જોવાની મારી અભિલાષા છે. હે નાથ ! તમે મારી તરફ જુઓ, જેથી હું તમારા મુખ કમળને જોઈ લઉં. આ પ્રમાણે પ્રેમપૂર્ણ. સરલ અને મધુર વચન વારે વાર બોલતી પાપિની અને પાપપૂદિયવાળીદેવી માર્ગમાં તેની પાછળ પાછળ ચાલી. [13] ત્યાર પછી પૂર્વોક્ત કાનોને સુખ દેનાર અને મનને હરણ કરનાર આભૂષણોના શબ્દોથી તથા તે પ્રણયયુક્ત, સરળ અને મધુર વચનોથી જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. તેને પહેલાં કરતા તેણી પર દ્વિગુણિત રાગ ઉત્પન્ન થયો. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005066
Book TitleAgam Deep 06 Nayadhammkahao Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy