SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 68 ભગવઈ - 3-1157 વિશેષ એ કે, તેની વિમુર્વણા શક્તિ આખા બે જંબૂઢીપ કરતાં પણ વધારે જાણવી. [158] હે ભગવન્! જો દેવેંદ્ર દેવરાજ ઈશાન, એવી મોટી ઋદ્ધિવાળો હોય અને એટલું વિક્ર્વણ કરી શકતો હોય તો સ્વભાવે ભદ્ર, ધાવતુ-વિનીત, તથા નિરંતર અટ્ટમ અઠ્ઠમ અને પારણે આંબીલ, એવા આકરા તપવડે આત્માને ભાવતો, ઉંચે હાથ રાખી, સૂર્યની સામે ઉભો રહી આતાપનભૂમિમાં આતાપન લેતો. તડકાને સહતો, પૂરેપૂરા છ માસ સાધુપણું પાળી, પનર દિવસની સંલેખના વડે આત્માને સંયોજી, ત્રીસ, ટંક સુધી અનશન પાળી, આલોચન અને પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળમાસે કાળ કરી આપ દેવાનુપ્રિયાનો શિષ્ય ગુરુદત્ત અનાર ઈશાનકલ્પમાં પોતાના વિમાનમાં ઈશાનંદ્રના સામાનિકપણે દેવ થયો છે. જે વક્તવ્યતા તિષ્યકદેવ સંબંધ આગળ કહી છે તે બધી અહીં કુરુદત્ત દેવ વિષે પણ કહેવી. તો તે કુરુદત્તપુત્ર દેવ કેવી મોટી ઋદ્ધિવાળો છે? વિશેષ એ કે, કુરુદત્તપુત્રની વિકુવા શક્તિ આખા બે જંબૂદ્વીપ જેટલી છે બાકી બધું તેજ પ્રમાણે જાણવું. એ પ્રમાણે બીજા સામાનિક દેવો, ત્રાયસ્ત્રિશક દેવો, લોકપાલો તથા પટ્ટરાણીઓ સંબંધે પણ સમજવું. વળી હે ગૌતમ ! દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પ્રત્યેક પટ્ટરાણીની એ વિદુર્વણાશક્તિ, તે વિષયરૂપ છે વિષયમાત્ર છે, પણ કોઇએ સંપ્રાપ્તિવડે વિકઢયું નથી, વિદુર્વતા નથી અને વિકુવશે પણ નહીં. [15] એ પ્રમાણે સનસ્કુમાર દેવલોક સંબંધે પણ જાણવું, વિશેષ એ કે, તેની વિકર્વાશક્તિ આખા ચાર જંબદ્વીપ છે. અને તિરછે તેની વિકવણાશક્તિ અસંખ્યય છે. એ પ્રમાણે સામાનિક દેવો, ત્રાયશ્ચિશક દેવો, લોકપાલો અને પટ્ટરાણીઓ એ બધા અસંખ્યય દ્વીપ, સમુદ્રો સુધી વિક્ર્વી શકે છે. એ પ્રમાણે માદ્રમાં પણ જાણવું. વિશેષ એ કે, આખા ચાર જંબૂદ્વીપ કરતાં પણ વધારે વિકુવણ શક્તિ છે. એ પ્રમાણે બ્રહ્મલોકમાં પણ જાણવું. વિશેષ એ કે તેઓની વિતુર્વણાશક્તિ આખા આઠ જંબુદ્વીપ જેટલી છે. એ પ્રમાણે લાંતકમાં પણ સમજવું. વિશેષ એ કે, આખા આઠ જંબૂદ્વીપ કરતાં પણ વધારે શક્તિ છે. મહાશકના દેવોની વિદુર્વણાશક્તિ સોળ જંબૂદ્વીપ કરતાં પણ અધિક છે. સહસ્ત્રારના દેવોની વિદુર્વણશક્તિ સોળ જંબૂઢીપ કરતાં પણ અધિક છે, અને પ્રાણતના. દેવોની વિકર્વણની શક્તિ બત્રીશ જંબૂદીપ જેટલી છે. અને અશ્રુતદેવની વિદુર્વણાશક્તિ આખા બત્રીસ જંબુદ્વીપ કરતાં પણ કંઈક વધારે છે. બાકી સઘળું તેજ પ્રમાણે જાણવું હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ત્રીજા ગૌતમ વાયભૂતિ અનગાર શ્રમણભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, અને યાવતુ-વિહરે છે. [10] ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર મોકા નગરીના નિંદન નામના ચૈત્યથી બહાર નીકળી જનપદ વિહારે વિહરે છે. તે કાળે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. વાવ-સભા પÚપાસે છે. તે કાળે તે સમયે દેવેંદ્ર દેવ- રાજ, હાથમાં શૂળને ધારણ કરનાર, બળદના વાહનવાળો, લોકના ઉત્તરાર્ધનો ધણી, અઠ્ઠાવીસલાખ વિમાનાનો સત્તાધીશ ઇશાનંદ્ર, આકાશ જેવા નિર્મળવત્રને પહેરી, માળાથી યુક્ત મુકુટને માથે મૂકી, નવા સોનાના સુંદર, વિચિત્ર અને ચંચળ કુંડકથી ગાલો દેદીપ્યમાન કરતો, દશે દિશાઓને પ્રકાશિત કરતો, તે ઈશાનકલ્પમાં, ઇશાનાવંતસક વિમાનમાં રાયપરોણીયમાં કહ્યા પ્રમાણે દિવ્ય દેવઋદ્ધિને અનુભવતો યાવતુ-જે દિશામાંથી પ્રકાશમાન થયો હતો. તેજ દિશાને વિષે પાછો ચાલ્યો ગયો. હવે હે ભગવન્! અહો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy