SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ 520 ભગવાઈ - 31/1 થી 11/1058 અહીં ત્રણ વેશ્યાઓ હોય છે અને દેવોથી આવી ઉપજતા નથી. તેઓ સમ્યગૃષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેઓ જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. મનોયોગી નથી હોતા, પણ વચનયોગી અને કાયયોગી હોય છે. કૂતયુગ્મકતયુગ્મરાશિપ્રમાણ બેઈન્દ્રિયો કાલથી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળ સુધી હોય છે. તેઓની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાર વરસની હોય છે. તેઓનો આહાર અવશ્ય છ દિશાનો હોય છે. તેઓને ત્રણ સમુઘાતો હોય છે. અને બાકી બધું તેમજ જાણવું. એ રીતે સોળે યુગ્મોમાં સમજવું. [1059] પ્રથમસમયાંત્વન કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ બેઈન્દ્રિયો જેમ એકેદ્રિયમહાયુગ્મોના પ્રથમ સમય સબન્ધી ઉદ્દેશક કહ્યો છે તેમ અહીં જાણવું. જે દસ બાબતની વિશેષતા છે તે અહીં પણ જાણવી. અને અગિયારમી આ વિશેષતા છે. તેઓ માત્ર કાયયોગી હોય છે. બાકી બધું બેઈન્દ્રિયના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ સમજવું. જેમ એકેદ્રિયમ- હાયુગ્મોમાં અગિયાર ઉદ્દેશકો કહ્યા તેમ અહીં પણ કહેવા. પણ વિશેષ એ કે, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં સમ્યકત્વ અને જ્ઞાન હોતા નથી. એકેદ્રિયોની પેઠે પહેલો, ત્રીજો અને પાંચમો ઉદ્દેશક સરખા પાઠવાળા છે અને બાકીના આઠ ઉદ્દેશકો સરખા પાઠવાળા છે. | શતકઃ 36 શતકશતક-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( શતકઃ ૩૬-શતક-શતક 2 થી 12) [1060] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મકૃતયુ પ્રમાણ બેઈન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! એમજ જાણવું. કૃષ્ણલેશ્યાવાળા સંબંધે અગિયાર ઉદેશકસહિત શતક કહેતું. પણ વિશેષ એ કે, કૃષ્ણલેશ્યાવળા એકેન્દ્રિયોની પેઠે લેશ્યાઓસ્થિતિકાળ અને આયુષસ્થિતિ જાણવી. એ પ્રમાણે નીલલેશ્યાવાળાઓ તથા કાપોતલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મરાશિરૂપ બેઈન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? એમ ભવસિદ્ધિક સંબંધે ચાર શતકો પૂર્વના પાઠવડે જાણવા. વિશેષ એ કે સર્વ પ્રાણો અહીં પૂર્વે અનન્તવાર ઉત્પન્ન થયા છે ? તેના ઉત્તરમાં નિષેધ કરવો. બાકી બધું તેમજ જાણવું. ચાર ઓધિક શતકો પણ તેમજ ાણવાં. જેમ ભવસિદ્ધિક સંબંધે ચાર શતકો કહ્યાં તેમ અભવસિદ્ધિક સંબંધે પણ ચાર શતકો કહેવાં. વિશેષ એ કે, તેઓમાં સમ્યકત્વ અને જ્ઞાન નથી. એ રીતે એ બાર બેઈન્દ્રિયમહાયુગ્મશતકો છે. | શતક 36 નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (શતક-૩૭) [1061] હે ભગવન્! કયગુમકૃત ગુમપ્રમાણ તેઈન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? એમ બેઈન્દ્રિયશતકોની પેઠે તે ઈદ્રિયસંબંધે પણ બાર શતકો કરવાં. પરન્તુ અવગાહના-શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ઓગણપચાસ રાત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy