SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ 514 ભગવડ- ૩૪/૧ર/૧૦૩૫ (શતકઃ 34 શતક-શતક--ક ઉદ્દેશક 2H-) [૧૦૩પ હે ભગવન્! અનન્તરોપાન એકેદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ! પાંચ પ્રકારના. પૃથિવીકાયિક વગેરે. તેના બે ભેદ જેમ એકેદ્રિય શતકોમાં કહ્યા છે તેમ યાવતુ બાદર વનસ્પતિકાયિક સુધી કહેવા. અનન્તરોપપન બાદર પૃથિવી કાયિ- સ્વસ્થાનની અપેક્ષાએ આઠે પૃથિવીઓમાં, તે આ પ્રમાણે-રત્નપ્રભામાં-ઇત્યાદિ જેમ સ્થાનપદમાં કહ્યું છે તેમ યાવતુ-દ્વીપોમાં અને સમુદ્રોમાં અનન્તરોપપન પૃથિવી કાયોકોનાં સ્થાનો કહ્યાં છે. ઉપરાતની અપેક્ષાએ સર્વ લોકમાં અને સમુદ્રઘાતને આશ્રયી સર્વ લોકમાં છે. સ્વસ્થાનને અપેક્ષી તેઓ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. અનંતરોપપન સૂક્ષ્મ પૃથિવીકાયિકો બધા એક પ્રકારના વિશેષતા થા ભિન્નતા રહિત છે. તથા તેઓ સર્વલોકમાં વ્યાપ્ત છે. એ રીતે એ ક્રમવડે બધા એકેદ્રિયો સંબંધે કહેવું. તે બધાનાં સ્વસ્થાને સ્થાનપદમાં કહ્યા પ્રમાણે જાણવાં. જેમ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાનો કહ્યા છે તેમ અપર્યાપ્ત બાદ એકેંદ્રિયોનાં જાણવાં. જેમ સૂક્ષ્મ પૃથિવી- કાયિકોનાં ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાનો કહ્યા છે તેમ બધા સૂક્ષ્મએકેન્દ્રિયોના યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા.હે ભગવનું ! અનન્તરોપપન સૂક્ષ્મ પૃથિવી- કાયિકોને આઠ કર્મપ્રકૃતિઓ કહી છે-ઇત્યાદિ જેમ એકેંદ્રિય શતકોમાં અનન્તરોપપન ઉદ્દેશકને વિષે કહ્યા પ્રમાણે કર્મપ્રકતિ- ઓ કહેવી. યાવતુ-તેજ રીતે બાંધે છે, તે જ રીતે વેદે છે, યાવતુ-અનન્તરોપપન બાદર વનસ્પતિ કાયિક સુધી સમજવું. હે ભગવન્! અનન્તરોપાન એકેદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ જેમ ઔધિક ઉદેશકમાં કહ્યું છે તેમ અહીં જાણવું. હે ભગવન્! અનંતરોપપન્ન એકેદ્રિયોને કેટલા સમુદ્દઘાતો કહ્યા છે? બે. વેદના સમુદ્રઘાત અને કષાયસમુદ્યાત. તુલ્ય સ્થિતિવાળા- અનંતરોપાન એકેદ્રિયો કેટલાક તુલ્યસ્થિતિવાળા એકેદ્રિયો તુલ્ય વિશેષાધિક કર્મ બાંધે છે, કેટલાક જુદું જુદુ વિશેષા ધિક કર્મ બાંધે છે. હે ગૌતમ ! અનંતરોપપન એકેંદ્રિયો બે પ્રકારના કહ્યા છે. તેમાં જે સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્ય સ્થિતિવાળા હોઈ તુલ્ય વિશેષાધિક કર્મ બાંધે છે અને જેઓ તુલ્ય સ્થિતિવાળા અને વિષમોપપન્ન-જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્યસ્થિતિવાળા અને જુદું જુદું વિશેષાધિક કર્મ બાંધે છે. (શતક: 34 શતક-શતક- ઉદેશકથી 11:-) [1036) હે ભગવન્! પરંપરોપપન એકિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના પૃથિવીકાયિક વગેરે તેના ચાર ભેદ યાવતુ-વનસ્પતિકાયિક સુધી જાણવા. હે ભગવન્! જે પરંપરોપપન્ન અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાંતમાં મરણ સમુઘાત કરી આ રત્નપ્રભા પૃથિવીના યાવતુ-પશ્ચિમ ચરમતમાં અપયત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉપજે? એ રીતે એ અભિલાપથી જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ યાવતુ લોકચરમાંત સુધી જાણવું. હે ભગવન્! પરંપરોપપન્ન બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે? હે ગૌતમ ! સ્વસ્થાનને અપેક્ષી આઠે પૃથિવીમાં છે. એ રીતે જેમ પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે તેમ યાવતુ-તુલ્યસ્થિતિવાળા સુધી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy