SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ 512 ભગવઈ - 34/1/11034 કાયિકનો પૃથિવીકાયિકપણે ઉપપાત કહ્યો છે તેમ આ વિષે પણ. ઉપપાત કહેવો.જે પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી કાયિક ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણસ મુદ્દાત કરીને અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે પૂર્વ પ્રમાણે જાણવું. ઊર્બલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણસમુદ્રઘાત કરી અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થતા પૃિથિવીકાયિકાદિ સંબંધે પણ તેજ સંપૂર્ણ ગમ કહેવો જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક લોકના પૂર્વ ચરમાન્તમાં મરણ સમુદ્દાત કરી લોકના પૂર્વ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે એક બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. મેં એ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાધિક લોકના પૂર્વ ચરમાત્તમાં સમુદ્રઘાત કરી લોકના પૂર્વ અરમાન્તમાંજ અપતિ અને પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં, સૂક્ષ્મ અપ્લાયિ કમાં, સૂક્ષ્મ તેજસ્કાયિકોમાં, સૂક્ષ્મ વાયુકાવિકોમાં, અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર વાયુકા-યિકોમાં, સૂક્ષ્મ વનસ્પતિકાયિકોમાં, અને અપર્યાપ્ત અને પર્યાપ્ત મળી એ બારે સ્થાનકોમાં ક્રમપૂર્વક કહેવો. સૂક્ષ્મ પૃથિવીકાયિકપાપ્તિનો. એજ પ્રમાણે બારે સ્થાનિકો માં સમગ્ર ઉપપાત કહેવો. એ રીતે એ ગમવડે યાવતુ-પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોમાંજ ઉપપાત કહેવો. હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિક, લોકના પૂર્વ ચરમાન્તમાં સમુદ્રઘાત કરી લોકના દક્ષિણ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. હે ગૌતમ! બાકી પૂર્વ વત્ એ રીતે એ ગમવડે પૂર્વ ચરમાન્તમાં સમુદ્યાતપૂર્વક દક્ષિણ ચરમાન્તમાં ઉપજાવવો. યાવતુ-પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિકનો પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોમાં ઉપપાત કહેવો અને બધાને બે સમયની, ત્રણ સમયની અને ચાર સમયની વિગ્રહ ગતિ કહેવી. જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિક લોકના પૂર્વ ચરમાન્તમાં સમુદ્રઘાત કરી લોકના પશ્ચિમ ચરમતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાવિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે એક બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. બાકી પૂર્વ પ્રમાણે જાણવું. જેમ પૂર્વ ચરમાંતમાં સમુઘાત કરી પૂર્વ ચરમતમાંજ ઉપપાત કહ્યો તેમજ પૂર્વ ચરમાં તમાં સમુઘાત કરવા પૂર્વક પશ્ચિમ ચરમતમાં બધાના ઉપપાત કહેવા. હે ભગવન્! જે અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિક લોકના પૂર્વ ચરમાંતમાં મરણ સમુદુઘાત કરી લોકના ઉત્તર ચરમાંતમાં અપયપ્તિ સૂક્ષામ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? જેમ પૂર્વ ચરમતમાં સમુદ્યાતપૂર્વક દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહ્યો તેમ પૂર્વ ચરમાંતમાં સમુદ્યાનપૂર્વક ઉત્તર ચરમતમાં ઉપપાત કહેવો. જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક લોકના દક્ષિણ ચરમતમાં મરણ- સમુદ્રઘાત. કરી લોકના દક્ષિણ ચરમતમાંજ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પ- ન થવાને યોગ્ય છે વિશેષ એ કે, બે સમય, ત્રણ સમય કે ચાર સમયની વિગ્રહગતિ જાણવી અને બાકી બધું તેમજ જાણવું. જેમ સ્વસ્થાનમાં કહ્યું તેમ દક્ષિણ ચરમતમાં સમુદ્યાત અને ઉત્તર ચરમાંતમાં ઉપપાત કહેવો, અને એક સમય, બે સમય, ત્રણ સમય કે ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy