SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩૪, શતક શતક-૧, ઉદેસો-૧ પ૧૧. વિગ્રહગતિથી ઉત્પન્ન કરાવવા. જ્યારે પર્યાપ્ત અને અપયપ્તિ બાદર તેજસ્કાયિકો તેઓમાંજ ઉત્પન્ન થાય ત્યારે તેને જેમ રત્નપ્રભા સંબંધે કહ્યું તેમ એક સમયની, બે સમયની અને ત્રણ સમયની વિગ્રહગતિ સમજવી, શર્કર પ્રભામાં ની જેમ યાવતુઅધસપ્તમ પૃથિવી સુધી જાણવી. [134] હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ અધોલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણ સમુઠ્ઠાત કરી ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? ત્રણ સમય કે ચાર સમય. હે ગૌતમ ! જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અધોલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણસમુદૂઘાત કરી ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં અપતિ સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે એક પ્રતરમાં અનુશ્રેણીમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ત્રણ સમયની જે વિશ્રેણીમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય એ રીતે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાવિકપણે અને યાવતુ-પયપ્તિ સૂક્ષ્મ તેજસ્કાયિકપણે જે ઉપજે તે માટે પણ એમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિક અધલોક ક્ષેત્રની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણ સમદુધાત કરી સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બે કે ત્રણ સમયની.બાકી પૂર્વવતુ એમ પર્યાપ્ત બાદર તેજસ્કા યિકોમાં પણ ઉપપાત કરાવવો. અખાયિકની પેઠે વાયુકાયિક અને વનસ્પતિકાયિકપણે ચારે ભેદવડે ઉપપાત કરાવવો. એ પ્રમાણે જેમ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક સંબંધ ગમક કહ્યો તેમ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક સંબંધે પણ ગમક કહેવો અને તેજ પ્રકારે તેને વિશે સ્થાનકમાં ઉપજાવવો. અધોલેકક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણસમુદ્ર ઘાત કરી-ઈત્યાદિ પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક સંબંધે પણ એમજ કહેવું. અને એ રીતે ચાર પ્રકારના અખાયિક સંબંધે પણ કહેવું. બન્ને પ્રકારના સૂક્ષ્મ તેજસ્કાયને પણ એમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત બાદર તેજસ્યાયિક સમયક્ષેત્રમાં મરણસમુદૃઘાત કરી ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃધ્ધિકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે, હે ભગવન્! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? બે, ત્રણ કે ચાર સમયની બાકી પૂર્વવતુ હે ભગવન્! જે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્રમાં મરણસમુદ્દઘાત કરીને ઊર્ધ્વલોક ક્ષેત્રની ત્રસના- ડીની બહારના ક્ષેત્રમાં પર્યાપ્તિ સૂક્ષ્મ તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્! કેટલા સમયના વિગ્રહગતિથી ઉત્પનન થાય? હે ગૌતમ ! બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! જે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્ર મનુષ્યક્ષેત્રમાં સમુદ્ર- ઘાત કરી સમયક્ષેત્રમાં અપયપ્તિ બાદર તેજલ્લાવિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે, કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય? એક બે કે ત્રણ સમયની બાકી પૂર્વવતુ એમ પર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે પણ જાણવું. જેમ પૃથિવીકાયિકને વિષે ઉપપાત કહ્યો તેમ વાયુકાયિકોમાં અને વનસ્પતિકાયિકોમાં ચારે ભેદે ઉપપાત કહેવો. એ રીતે પર્યાપ્ત બાદર તેજસ્કાયિકનો પણ એજ સ્થાનકોમાં ઉપપાત કહેવો. જેમ વાયુકાયિક અને વનસ્પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy