SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ 486 ભગવાઈ - 25-7951 રીતે યાવતુ-સૂક્ષ્મસંપાય સુધી સમજવું. યથાખ્યાત સંયત સ્નાતકની પેઠે જાણવો. સામાયિકસંયત જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ કરે. એ પ્રમાણે છેદો પસ્થાપનીય વિષે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક જઘન્ય એક ભવ અને ઉત્કૃષ્ટ ત્રણ ભવગ્રહણ કરે એ પ્રમાણે યાવતુ યથાખ્યાત સંયત સંબંધે જાણવું. [52] હે ભગવન્! સામાયિક સંયતને એક ભવમાં ગ્રહણ કરી શકાય તેવા કેટલા આકર્ષ કહ્યા છે જઘન્ય ઈત્યાદિ બધું બકુશની પેઠે સમજવું. હે ભગવન્! છેદોપ સ્થાપનીય સંયતનેજઘન્ય એક અને ઉત્કૃષ્ટ વિશપૃથકત્વ આકર્ષ કહ્યા છે. પરિહાર વિશુદ્ધિકને જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ આકર્ષ કહ્યા છે. સૂક્ષ્મસંપરાને જઘન્ય એક ઉત્કૃષ્ટ ચાર આકર્ષ કહ્યા છે. યથાવાતને જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે આકર્ષ હોય છે. સામાયિક સંવતને ભવમાં ગ્રહણ કરી શકાય તેવા આકર્ષ ઇત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. છેદોપસ્થાપનીય સંયતને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ નવસો ઉપર અને હજારની અંદર આકર્ષો કહ્યા છે. પરિહારવિશુદ્ધિકને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત, સૂક્ષ્મ પરાયને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ નવ તથા યથાખ્યાતને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ આકર્ષો કહ્યા છે. ૯િપ૩ હે ભગવન્! સામાયિક સંયત કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ઊણા-નવ વરસ ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંબંધે પણ સમજવું-પરિહારવિશુદ્ધિક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન ઓગણત્રીશ વર્ષ ઊણી પૂર્વકોટિ વર્ષ સુધી હોય. સૂક્ષ્મસંપરાય સંબંધે નિગ્રંથની પેઠેજાણવું. યથાખ્યાતને સામાયિક સંયતની જેમ સમજવું. સામાયિક સંયતો સર્વ કાળે હોય. છેલ્લેપસ્થાપનીય સંયતો જઘન્ય અઢીસો વર્ષ સુધી અને ઉત્કૃષ્ટ પચાસલાખ ક્રોડ સાગરોપમ સુધી હોય.પરિહારવિશુદ્ધિક સંયતો જઘન્ય કાંઇક ઊણા બસો વર્ષ સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પૂર્વકોટિ વર્ષ સુધી હોય. સૂક્ષ્મસંપરાય સંયતો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમૂહુર્ત સુધી હોય. યથાખ્યાત સંયતો સામા યિક સંયતોની પેઠે જાણવા. - હે ભગવન્! સામાયિક સંયતને કેટલા કાળનું અંતર હોય? હે ગૌતમ! જઘન્ય ઇત્યાદિ બધું મુલાકની પેઠે જાણવું. એ રીતે યાવતુ યથાખ્યાત સંયત સુધી સમજવું. સામાયિક સંયતોને કાળનુંઅંતર નથી. છેદોપસ્થાપનીય સંતોને જઘન્ય ત્રેસઠ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડ સાગરોપમનું અંતર હોય છે. પરિહારવિશુદ્ધિક સંયતોને જઘન્ય ચોરાશી હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપમનું અંતર હોય. સૂક્ષ્મસંપરાયો નિગ્રંથોની પેઠે જાણવા. અને યથાખ્યાત સંતો સામાયિક સંયતોની જેમ સમજવા. હે ભગવન! સામાયિક સંયતને કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! છે. તે કષાયકુશીલની પેઠે જાણવા. એ પ્રમાણે છેદો- પસ્થાપનીય સંયત સંબંધે પણ સમજવું. પુલાકની પેઠે પરિહારવિશુદ્ધિકને જાણવું. નિગ્રંથની પેઠે સૂક્ષ્મસં૫રાય સંબંધે જાણવું અને સ્નાતકને યથાખ્યાત સંયત સંબંધે પણ સમજવું. સામાયિક સંયત લોકના સંખ્યામા ભાગે ન હોય-ઇત્યાદિ પુલાકની પેઠે જાણવું. એ રીતે પાવતુ-સૂક્ષ્મસંપરાય સુધી જાણતું. તથા સ્નાતકની પેઠે યથાખ્યાત સંયતને વિષે સમજવું.શું સામાયિક સંયત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy