SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ 436 ભગવઇ૨૪૧૨ થી 19846 કાલાદેશથી જઘન્ય અત્તમહૃર્ત અધિક સાત હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને સોળ હજાર વર્ષ- યાવતુ-ગમનાગમન કરે. આઠમાં ગમમાં કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક સાત હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અક્યાશી હજાર વર્ષે ગમના ગમન કરે તથા નવમાં ગમમાં ભવાદેશ થી જધન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવો તથા કાળાદેશ થી જઘન્ય ઓગળત્રીસહજાર વર્ષઅનેઉત્કૃષ્ટએકલાખ સોળ હજાર વર્ષ ચાવતુ-ગમનાગમન કરે. હે ભગવન્! જો તે તેઉકાયથી આવી ઉપજે તે તેઉકાયિકને પણ એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે નવે ગમમાં લેગ્યાઓ કહેવી. તેઉકાયનું સંસ્થાન સોયના સમૂહના આકારે હોય છે. અને સ્થિતિ (ત્રણ અહોરાત્રની) જાણવી. ત્રીજા ગામમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ બાર અહોરાત્ર અધિક અઠ્યાવીસ હજાર વર્ષ એટલો કાળચાવતુ-ગમનાગમન કરે. જો તેઓ વાય કાયિકાથી આવી ઉત્પન્ન થાય તો તેને તેજસ્કાયિકોની પેઠે નવે ગમકો કહેવા પણ વિશેષ એ કે વાયુકાયિકોના શરીરનો આકાર ધ્વજાના આકારે હોય છે. સંવેધ હજારો વર્ષવડે કરવો. ત્રીજા ગમમાં કાળાદેશથી જધન્ય અન્તર્મુહૂર્ત અધિક હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ- જો તેઓ વનસ્પતિકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો-ઈત્યાદિ વનસ્પતિ કાયિકના નવે ગમકો અખાયિકની પેઠે કહેવા. પણ વિશેષ એ કે વનસ્પતિના શરીરો અનેક પ્રકારનાં સંસ્થાન-આકૃતિવાળા હોય છે. પહેલાં અને છેલ્લા ત્રણે ગમતોમાં શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યા- તમાં ભાગ જેટલું અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન કરતાં અધિક હોય છે. મધ્યમના ત્રણે ગામમાં પૃથિવીકાયિકોની પેઠે જાણવું. ત્રીજા ગમમાં કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને અઠ્યાવીસ હજાર વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. [૮૪૭]જો તેઓ બેઈન્દ્રિયથી આવી ઉત્પન્ન થાય તો શું પતિ બેઈન્દ્રિયથી કે અપર્યાપ્ત બેઈદ્રિયથી બને.જે બેઈન્દ્રિય, પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેની સ્થિતિનો પ્રશ્ન જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ. તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ, અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. તેઓ છેવટ્ટ સંઘયણવાળા હોય છે. તેઓના શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બારયોજન. હુડકસંસ્થાન વાળ, ત્રણ લેશ્યાઓ, સમ્યગૃષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ હોય છે, તેઓને બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય છે. તેઓ વચનયોગી અને કાયયોગી હોય છે. ઉપયોગ બન્ને પ્રકારનો. ચારસંજ્ઞાઓ, ચારકષાયો,જીલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને ત્રણ સમુદ્ધાતો હોય છે. બાકી બધું પૃથિવીકાયિકોની પેઠે કહેવું. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો.ભવા દેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવો તથા કાળાદેશથી જઘન્ય બે અત્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતો કાળજો તે બેઈન્દ્રિય જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવી કયિકમાં ઉત્પન્ન થાય તો તેને બધી એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. જો તે બેઈન્દ્રિય, ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથિવ કાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ આ જ વક્તવ્યતા. કહેવી. વિશેષ એકે ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠભવ, તથા કાલાદેશથી જઘન્ય અન્તમુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અડતાલીશ વર્ષ અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy