SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 386 ભગવાઈ-૧૮-૭૭૪૨ (ઉદેસાઃ૭) [૭૪૨રાજગૃહ નગરમાં ભગવાનું ગૌતમ યાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! અન્યતીથિકો આ પ્રમાણે કહે છે, યાવતુuપે છે કે, એ પ્રમાણે ખરેખર કેવલી યક્ષના આવેશથી આવિષ્ટ થઈને કદાચ બે ભાષા બોલે છે, મૃષાભાષા અને સત્ય -મૃષાભાષા.” એ પ્રમાણે કેમ હોઈ શકે? જે અન્યતીર્થકોએ યાવતું એમ જે કહ્યું છે, તેઓએ તે અસત્ય કહ્યું છે. કેવલી તો પાપ વ્યાપાર વિનાની અને બીજાનો ઉપધાત ન કરે તેવી બે ભાષા કદાચ બોલે છે. સત્ય અને અસત્યામૃષા. [૭૪૩]હે ભગવન્! ઉપધિ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. કમોંપધિ, શરીરોપધિ, બાહ્યભાંડમાત્રોપકરણોપધિ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનો ઉપધિ ? બે પ્રકારનો. કર્મરુપ અને શરીરરુપ. એકેદ્રિય જીવો સિવાય બધા જીવોને યાવતુ-વૈમાનિકો સુધી ત્રણ પ્રકારનો ઉપધિ હોય છે. એકેદ્રિય જીવોને કમરુપ અને શરીરરુપ એમ બે પ્રકારનો ઉપધિ હોય છે. હે ભગવનું ! ઉપધિ કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો, સચિત, અચિત અને મિશ્ર, એ પ્રમાણે નરયિકોથી માંડી વાવતવૈમાનિકો સુધી જાણવો. હે ભગવન્! પરિગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારનો છે. કર્મપરિગ્રહ, શરીરપરિગ્રહ અને બાહ્ય વસ્ત્રપાત્રાદિ ઉપકરણ રુપ પરિગ્રહ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો પરિગ્રહ હોય છે? જેમની ઉપધિ પરિગ્રહ વિષે પણ બે દેડક કહેવાં. હે ભગવન્! પ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે? ત્રણ પ્રકારનું મનપ્રણિ. ધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનું પ્રણિધાન હોય છે ? ઉપર કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ-સ્તનતકુમારો સુધી સમજવું. હે ભગવન્! પૃથિવી કાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓને એક કાયપ્રણિધાન હોય છે, એ પ્રમાણે વાવતું વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિય જીવ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને બે પ્રકારનું પ્રણિધાન હોય છે. વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. એ પ્રમાણે યાવતુ-ચઉરિદ્રિય જીવો સુધી જાણવું. બાકી બધા જીવોને થાવત્ વૈમાનિકો સુધી ત્રણે પ્રકારનું પ્રણિધાન હોય છે. હે ભગવન્! દુષ્મણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે ? ત્રણ પ્રકારનું કહ્યું. મનદુષ્પરિધાન, વચનદુષ્પણધાન અને કાય દુપ્પણિધાન, ની જેમ પ્રણિધાન દુપ્રણિધાન વિષે પણ કહેવો. હે ભગવન્! સુપ્રણિધાન કેટલા પ્રકારનું છે ? ત્રણ પ્રકાનું છે. તે મનસુપ્રણિધાન, વચનસુપ્રણિધાન અને કાય સુપ્રણિધાન. મનુષ્યોને કેટલા પ્રકારનું સુપ્રણિધાન હોય છે ? ત્રણ પ્રકારનું વાવતુવૈમાનિકો સુધી જાણવું. " [૭૪૪]તે કાળે તે સમયે રાજગૃહનગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતુપૃથિવીશિલાપટ્ટ હતી. તે ગુણસિલકચૈત્યની આસપાસ ઘણા અન્યતીથિકો રહેતા હતા. -કાલોદયી, શૈલોદાયી-ઈત્યાદિ સપ્તમ શતકના અન્યતીર્થિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે હવે તે રાજગૃહ નગરમાં આય- યાવતુ-કોઈથી પરાભવ ન પામે તેવો અને જીવાદિ તત્વોનો જાણકાર, મુદ્રક નામે શ્રમણોપાસક- રહેતો હતો. ત્યાર પછી અહિં અન્ય કોઈ એક દિવસે અનુક્રમે વિહાર કરતા, યાવતુ-શ્રમણભગવંતમહાવીર સમો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy