SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૬, ઉસોદ 35 તથા તુરત જાગે તો તેજ ભવમાં સિદ્ધ થાય, યાવતું સર્વ દુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અત્તે એક મોટા ઘાસના ઢગલાને, યાવતુ કચરાના ઢગલાને જુએ અને તેને વિખેરે અને પોતે વિખેર્યો છે એમ પોતાને માને અને જો તુરત જાગે તો તેજ ભવમાં વાવસર્વદુઃખનો નાશ કરે.કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અને એક મોટા શરસ્તંભને,વીરણ સ્તંભ ને વંશીમૂલસ્તંભને કે વલ્લિમૂલસ્તંભને જુએ અને તેને ઉખેડે અને પોતે તેને ઉખેડ્યો છે એમ પોતાનેમાને અને પછી શીધ્રજાગે તોતે જભવમાં યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્રને છેડે એક મોટા ક્ષીરકુંભને દધિભને, ધૃતકુંભને અને મધુકુંભને જુએ અને તેને ઉપાડે તથા પોતે તેને ઉપાડ્યો છે એમ પોતાને માને, પછી શીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને એક મોટા સુરાના વિકટ કુંભને, સૌવીરના મોટા કુંભને, તૈલકુંભને કે વાકુંભને જુએ. તેને ભેદે અને પોતે તેને ભેદી નાખ્યો છે એમ પોતાને માને પછી તુરત જાગે તો બે ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અને કુસુમિત એવા એક મોટા પદ્મ સરોવરને જુએ યાવતુ પછી તુરત જાગે તો તેજ ભવમાં વાવત-સર્વ દુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને તરંગો અને કલ્લોલોથી વ્યાપ્ત એક મોટા સાગરને જુએ યાવતુ શીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુસર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અને સર્વ રત્નમય એક મોટું વિમાન જુએ, વાવશીધ જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. [૬૮૧]હે ભગવન્! કોષ્ઠપુટો, પાવતુ-કેતકીટો યાવતુ એક સ્થાનથી સ્થાનાન્તરે લઈ જવાતા હોય ત્યારે પવનાનુસારે જે (તેમનો ગંધ) વાય છે તો તે કોષ્ઠ વાય છે કે થાવતુ-કેતકી વાય છે? હે ગૌતમકોષ્ઠકપુ કે કેતકીપુટો વાતા નથી. પણ ગંધના જે પુદ્ગલો છે તે વાય છે. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે'. શતકા-ઉદેસાઇની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક-૭) [62] હે ભગવન્! કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો . જેમ પ્રજ્ઞાપના સૂત્રમાના ઉપયોગ પદમાં કહેવામાં આવ્યું છે તેમ અહીં બધું કહેવું. તેમજ અહીં ત્રીસમું પશ્ચાત્તાપદ' પણ સમગ્ર કહેવું. હે ભગવન્! તે એમજ છે, | શતકાળ-ઉદેસો ૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકઃ૮) [૬૮૩હે ભગવન્! લોક કેટલો મોટો કહ્યો છે? હે ગૌતમ! લોક અત્યન્ત મોટો કહ્યો છે. જેમ બારમાં શતકમાં કહ્યું છે તેમ અહીં પણ લોક સંબંધી બધી હકીકત કહેવી, હે ભગવનું ! લોકના પૂર્વ ચરમાંતમાં જીવો છે, જીવદેશો છે, જીવપ્રદેશો છે, અજીવો છે. અજીવદેશો છે, કે અજીવપ્રદેશો છે? હે ગૌતમ ! ત્યાં જીવો નથી, પણ જીવદેશો છે, જીવપ્રદેશો છે, અજીવો છે અજીવદેશો છે અને અજીવ પ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના જે દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને અનિદ્રિયનો (એક) દેશ છે-ઈત્યાદિ બધું દશમાં શતકમાં કહેલ આગ્નેયી દિશાની વક્તવ્યતા પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy