SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૩, ઉદેસી-દ 317 શ્રમણ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે. વંદન અને નમસ્કાર કરીને એ તો પોતાને સ્થાનકે ગયા પછી ઉદાયન રાજા પોતાની મેળે પંચ મિષ્ટિક લોચ કરે છેબાકીનું વૃત્તાંત ઋષભદત્તની પેઠે જાણવું, યાવતુ-તે સર્વ દુઃખથી રહિત થાય છે. [૫૮૮]ત્યાર પછી અન્ય કોઈ દિવસે અભીચિકુમારને મધ્યરાત્રિને સમયે કુટુંબજાગરણ કરતાં આવા પ્રકારનો આ વિચાર ઉત્પન્ન થયો એ પ્રમાણે ખરેખર હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાદેવની કુક્ષિથી ઉત્પન્ન થયો છું અને તે ઉદાયન રાજાએ મને છોડી પોતાના ભાણેજ કેશિકુમાર રાજ્ય ઉપર બેસાડી શ્રમણ ભગવંત મહાવીરની પાસે યાવતુ-પ્રવ્રજયા લીધી'આવા પ્રકારના આ મોટા અપ્રીતિરુપ માનસિક આંતર દુખથી પીડિત થયેલો તે અભીચિકુમાર પોતાના અંતપુરના પરિવાર સહિત પોતાની સામગ્રી લઈને નીકળે છે, એક ગામથી બીજે ગામ જતાં જ્યાં ચંપાનગરી છે, અને જ્યાં કુણિક રાજા છે ત્યાં આવીકુણિકનો આશ્રય કરી વિહરે છે. અને ત્યાં પણ તને વિપુલ ભોગની સામગ્રી પ્રાપ્ત થઈ છે. પછી તે અભીચિકુમાર શ્રાવક પણ થયો. અને જીવાજીવ તત્વનો જ્ઞાતા થઈ યાવતુ-વિહરે છે, તો પણ તે અભીચિકુમાર ઉદાયન રાજર્ષિને વિષે વૈરના અનુબન્ધથી યુક્ત હતો. તે કાલે તે સમયે આ રત્નપ્રભા પૃથિવીના નારકાવાસોની પાસે ચોસઠ લાખ અસુરકુમારના આવાસો કહ્યા છે, હવે તે અભીચિકુમાર ધણાં વર્ષો સુધી શ્રમણોપાસક પયયને પાળી અર્ધમાસિક સંખનાથી ત્રીશભક્તો અનશનપણે વ્યતીત કરી, તે પાપ સ્થાનકની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય મરણ સમયે કાળધર્મ પામી આ અસુરકુમારવાસોમાંના આતાવરુપ અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની એક પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે અભીચિદેવ આયુરક્ષય , તથા ભવક્ષય થયા પછી મરણ પામી ક્યાં જશે-ક્યો ઉત્પન્ન થશે? હે ગૌતમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધ થશે, યાવતુ-સર્વ દુઃખોનો અંત કરશે. હે ભગવન્! તે એમજ છે, એમ કહી ભગવનું ગૌતમ યાવત્ વિહરે છે. શતક ૧૩-ઉદેશદનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (ઉસો-૭). પિ૮૯]રાજગૃહનગરમાં ગૌતમ યાવતુ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવનું ! ભાષા એ આત્મા-રુપ છે કે તેથી અન્ય છે? હે ગૌતમ! ભાષા એ આત્મા નથી, પણ તેથી અન્ય છે. હે ભગવન્! ભાષા રુપી-છે કે અપી- હે ગૌતમી ભાષા રુપી છે, હે ભગવન! ભાષા સચિત-છે કે અચિત- છે? હે ગૌતમ! સચિતનથી, પણ અચિત છે. હે ભગવનું ! ભાષા જીવપ-છે કે અજીવસ્વરુપ ? હે ગૌતમાં ભાષા અવરુપ છે. હે ભગવનું ! જીવોને ભાષા હોય કે અજીવોને? હે ગૌતમ ! જીવોને ભાષા હોય છે, પણ અજીવોને ભાષા નથી હોતી. હે ભગવન્! શું (બોલાયા) પૂર્વે ભાષા કહેવાય, બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય, કે બોલાયા પછી ભાષા કહેવાય? હે ગૌતમ! બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય. બાકીન કહેવાય. હે ભગવન્! શું બોલાયા પહેલાં ભાષા ભેદાય, કે બોલાયા પછી ભાષા ભેદાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી પણ બોલાતી હોય ત્યારે ભાષા ભેદાય. હે ભગવન્! ભાષા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમી ચારપ્રકારની સત્ય, મૃષા- સત્યમૃષા- અને અસત્યામૃષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy