SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦૮ ભગવાઈ- ૧૩-૪પ૭૦ અબ્દસપ્તમ પૃથિવીના નારકો સંબંધ જાણવું, એ રીતે (અનિષ્ટ અને પ્રતિકૂળ) પાણીના સ્પર્શને ધાવતુ-વનસ્પતિના સ્પર્શને (અનુભવતા વિહરે છે.) fપ૭૧]ભગવનારત્નપ્રભાપૃથિવી બીજીશર્કરામભાપૃથિવીનીઅપેક્ષાએ જાડાઈ માં સર્વ કરતાં મોટી છે. અને ચારે દિશાએ લંબાઈ પહોળાઈમાં સર્વથી નાની છે? હે ગૌતમ ! ઈત્યાદિ જીવાભિગમના નૈરયિક ઉદ્દેશક મુજબ જાણવું. [પ૭૨] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીના નરકાવાસોની આસપાસ જે પૃથિ વીકાયિક યાવતુ-વનસ્પતિકાયિક જીવો છે તે મહાકર્મવાળા અને મહાવેદનાવાળા છે? હા ગૌતમ! ઈત્યાદિ-પૂર્વવત્.. [પ૭૩હે ભગવન્! લોકના આયામ-લંબાઈનો મધ્ય ભાગ ક્યાં કહેલો છે? ગૌતમ ! આ. રત્નપ્રભા પૃથિવીના આકાશના ખંડનો અસંખ્યાતમો ભાગ ઉલ્લંઘન કર્યું પછી અહીં લોકના આયામનો મધ્યભાગ કહેલો છે. હે ભગવન્! ક્યાં અધોલોકના આયામ-લંબાઈનો મધ્યભાગ કહ્યોછે? હે ગૌતમ ! ચોથી પંકપ્રભા પૃથિવીના આકાશ ના ખંડનો કંઈક અધિક અરધો ભાગ ઉલ્લંધન કર્યા પછી અહિં અધોલકાના આયામ નો મધ્ય ભાગ કહેલો છે. હે ભગવાનુ ! ક્યાં ઉર્વલોકની લંબાઈનો મધ્યભાગ કહેલો છે? હે ગૌતમ ! સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોકના ઉપર અને બ્રહ્મદેવલોકની નીચે રિષ્ટ નામે ત્રીજા પ્રતરને વિષે અહિં ઉદ્ઘલોકના આયામનો મધ્ય ભાગ કહેલો છે.હે ભગવન્! તિયંગ લોકના આયામનો મધ્યભાગ ક્યાં કહેલો છે ? હે ગૌતમ ! જમ્બુદ્વીપમાં મેપ ર્વતમાં બરોબર મધ્યભાગને વિષે આ રત્નપ્રભા પૃથિવીના ઉપર અને નીચેના એવા બે પ્રતરો છે, તેને વિષે તિયગલોકના મધ્યભાગરુપ આઠ પ્રદેશનો રુચક કહેલો છે, જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે, તે આ પ્રમાણે પૂર્વદિશા, પૂર્વદક્ષિણા, ઈત્યાદિ જેમ દશમ શતકનાં કહ્યું છે તે પ્રમાણે જાણવું. પિ૭૪હે ભગવન્! એન્દ્રી(પૂર્વ દિશાની આદિમાં શું છે? તે ક્યાંથી નીકળે છે? તેની આદિમાં કેટલાં પ્રદેશો છે? કેટલા પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે ? તે કેટલા. પ્રદેશની છે ? તેનો અત્ત ક્યાં છે અને તે કેવા આકારે કહેલી છે? હે ગૌતમ ! એન્ટ્રી દિશામાં રુચક છે. તે ચક થકી નીકળે છે, તેની આદિમાં બે પ્રદેશો છે. બે પ્રદેશની ઉત્ત રોઉત્તર વૃદ્ધિ થાય છે, લોકને આશ્રયી તે અસંખ્યાતપ્રદેશવાળી છે, અલોકને આશ્રયી અનન્તપ્રદેશાત્મક છે, લોકને આશ્રય આદિ અને અન્તસહિત છે, અને અલોકને આ શ્રયી સાદિ અને અનન્ત છે. લોકને આશ્રયી-મૃદંગને આકારે છે, અને અલોકને આશ્રયી. ગાડાની ઉધને આકારે કહેલી છે. હે ભગવન! આગ્નેયી દિશાની આદિમાં શું છે ? ઈત્યાદિ પ્રખો હે ગૌતમ ! આગ્નેયી દિશાની આદિમાં ચક છે, તે રુચક થકી નીકળે છે. તેની આદિમાં એક પ્રદેશ છે, તે એક પ્રદેશના વિસ્તારવાળી છે, તે ઉત્તરોઉત્તર વૃદ્ધિરહિત છે, અને લોકને આશ્રયી અસંખ્યપ્રદેશાત્મક છે, અલોકને આશ્રયી અનન્ત પ્રદેશાત્મક છે, લોકને આશ્રયી આદિ અને અન્ન સહિત છે અને અલોકને આશ્રયી સાદિ અને અનન્ત છે. અને તે તૂટી ગએલી મોતીના માળામાં આકારે કહેલી છે. યાખ્યા (દક્ષિણ દિશા પૂર્વ દિશાની પેઠે જાણવી. નૈ તી આગ્નેયી દિશાની પેઠે જાણવી. ઈત્યાદિ જેમ એન્દી દિશા કહી, તેમ ચારે દિશાએ અને આગેથી દિશા કહી તેમ ચારે વિદિશાઓ જાણવી. હે ભગવન્! વિમલા (ઉર્ધ્વ દિશામાં આદિમાં શું છે? ઈત્યાદિ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy