SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ રાતક-૧૩, ઉસો-૧ 303 વિષે કહેવા, પરન્તુ અહિં અસંખ્યાતા” એવો પાઠ કહેવો, વેશ્યાને વિષે વિશેષતા છે, અને તે વેશ્યાઓ પ્રથમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવી. પરન્તુ એટલો વિશેષ છે કે સંખ્યાતયોજન વિસ્તારવાળા અને અસંખ્યાતજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા જ ઔવે છે, એમ કહેવું હે ભગવન્! શર્કરા પ્રભા નરક પૃથિવીને વિષે કેટલા નરકાવાસો હોય છે તે સંબધે પ્રશ્ન હે ગૌતમ ! પચીશલાખનારકાવાસો હોય. હે ભગવાન તે નરકાવાસો શું સંખ્યાતાયોજન વિસ્તાર વાળા હોય કે અસંખ્યાતયોજન વિસ્તારવાળા હોય ? એ પ્રમાણે જેમ રત્નપ્રભા સંબધે કહ્યું તેમ શર્કરપ્રભા સંબન્ધ જાણવું. પરન્તુ (ઉત્પાદ્, ઉદ્વર્તન અને સત્તા) એ ત્રણે આ લાપકને વિષે અસંજ્ઞી ન કહેવા. વાલુકાપ્રભા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! પંદરલાખ નરકાવાસો કહ્યા છે, બાકી બધું શર્કરા પ્રભાની પેઠે જાણવું. પણ વેશ્યાને વિષે વિશેષતા છે અને તે પ્રથમ શતકમાં કહ્યા પ્રમાણે જાણવી. હે ભગવાન! પંકપ્રભા નરકને વિષે પ્રશ્ન. હે ગૌતમ ! દશ લાખ નરકા વાસો કહ્યા છે. એ પ્રમાણે જેમ શર્કરપ્રભા સંબધે કહ્યું. તેમ અહિં પણ જાણવું. પરન્તુ અહિંથી અવધિજ્ઞાની અને અવધિની ઐવતા નથી બાકી બધું પૂર્વની પેઠે જાણવું. ધૂમપ્રભા સંબધે પ્રશ્ન. હે ગૌતમ! ત્રણ લાખ નરકાવાસો કહ્યા છે, એ પ્રમાણે જેમ પક પ્રભા સંબધે કહ્યું છે તેમ અહિં જાણવું. હે ભગવન્! તમા નરકમૃથિવીને વિષે પ્રશ્ન. હે ગૌતમ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસો કહ્યા છે, બાકી બધું પંકપ્રભા પેઠે જાણવું. હે ભગવનું ! અધ:સપ્તમ નરક પૃથિવીને વિષે અનુત્તર અને અત્યંત મોટા એવા કેટલા મહાનરકાવાસો કહ્યા છે. ? હે ગૌતમ ! પાંચ નારકાવાસો કહ્યા છે. વાવતું અપ્રતિષ્ઠાન. હે ભગવન્! તે નરકાવાસો શું સંખ્યાતુ યોજનના વિસ્તારવાળા છે કે અસંખ્યાતુ યોજ નના વિસ્તારવાળા છે? હે ગૌતમ ! વચ્ચેનો અપ્રતિષ્ઠાન નરકાવાસ સંખ્યાતયોજનનના વિસ્તારવાળો છે અને બીજા અસંખ્યાતયોજનના વિસ્તારવાળા છે. હે ભગવન્! અધઃ સક્ષમ નરકમૃથિવીના પાંચ અનુત્તર અને અત્યંત મોટા યાવતુ-મહાનરકાવાસોમાના. સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસને વિષે એક સમયે કેટલા નારકો ઉત્પન્ન થાયઈત્યાદિ પ્રશ્ન. જેમ પંકપ્રભાને વિષે કહ્યું તેમ અહિં જાણવું. પરતું એટલો વિશેષ છે કે અહિં ત્રણ જ્ઞાનસહિત ઉત્પન્ન થતા નથી, તેમ ચ્યવતા પણ નથી. તો પણ એ પાંચ નરકા, વાસમાં એ પ્રમાણે-ખૂથમાદિ નરકમૃથિવીની જેમ ત્રણ જ્ઞાનવાળા હોય છે. એ પ્રમાણે અસંખ્યાતાયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે પણ જાણવું, પરંતુ ત્યાં અસંખ્યાતા” એવો પાઠ કહેવો. [પપભગવન્! આ રત્નપ્રભાકૃથિવીનત્રીશલાખનારકાવાસોમાંના સંખ્યાતા યોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે શું સમયવ્રુષ્ટિનારકો ઉત્પન્ન થાય, મિથ્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થાય કે સમ્યમિથ્યાવૃષ્ટિ નારકો ઉત્પન્ન થાય? સમ્યવૃષ્ટિ પણ નારકો ઉપજે, મિશ્રાદ્રષ્ટિ પણ નારકો ઉપજે, પરન્તુ સમ્યવૃષ્ટિ નારકો ઉતપન્ન થતા નથી. હે ભગવન્! આ રત્નપ્રભાપૃથ્વીના ત્રીશ લાખ નરકાવાસોમાંના સંખ્યાતાયોજનવિસ્તારવાળા નરકાવાસોને વિષે શું સમયવ્રુષ્ટિ નારકી આવે? ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્! રત્નપ્રભાપૃથ્વીના ત્રીશ લાખ નરકાવાસોમાંના સંખ્યાતા યોજનાવિસ્તારવાળા નરકાવાસો શું સમ્યવૃષ્ટિ નારકો વડે અવિરહિત-સહિત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy