SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 26 ભગવઈ-૧૪-પાર૩ છે? માનોપયુક્ત છે? માયોપયુક્ત છે? કે લોભોપયુક્ત છે? હે ગૌતમ! તેઓમાં એકાદ ક્રોધોપયુક્ત માનોપયુક્ત, માયોપયુક્ત, અને લોભોપયુક્ત હોય છે. અથવા ઘણા ક્રોધોપયુક્ત, માનોપયુક્ત માયોપયુક્ત, અને લોભોપયુક્ત હોય છે. અથવા કોઈ એક ક્રોધોપયુક્ત અને માનોપયુક્ત, અથવા કોઈ એક ક્રોધોપયુક્ત અને ઘણા માનોપયુક્ત, હોય છે, ઇત્યાદિ એ પ્રમાણે એસી ભેદ જાણવા. અને એ પ્રમાણે યાવતુ સંખ્યય સમયાધિક સ્થિતિવાળા નૈરયિકો માટે પણ જાણવું. અસંખ્યય સમયાધિક સ્થિતિને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિમાં સત્તાવીસ ભાંગા કહેવા. હે ભગવન આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશલાખ નિયાવસોમાંના એક એક નિરયાવાસમાં વસતા નૈરયિકોના અવગાહના સ્થાનો કેટલાં કહ્યા છે ? હે ગૌતમ! તેઓના અવગાહના સ્થાનો અસંખ્યય કહ્યાં છે. તે આ પ્રમાણે - ઓછામાં ઓછી અંગુલના અસંખ્યય ભાગ જેટલી અવગાહના તે એક પ્રદેશાજિક, બે પ્રદેશાધિક, એ પ્રમાણે યાવતુ-અસંખ્યયપ્રદેશાધિક જાણવી. તથા જઘન્ય અવગાહના અને તેને ઉચિત ઉત્કૃષ્ટ અવગાહના પણ જાણવી. હે ભગવન! આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રીશ લાખ નિરયાવાસોમાંના એક એક નિરયાવાસોમાંના એક એક નૈરયાવાસમાં જઘન્ય અવગાહનાએ વર્તતા નરયિકો શું ક્રોધોપયુક્ત છે? તે ગૌતમ ! અહીં ભેદ જાણવા. અને એ પ્રમાણે વાવતુ-સંખેય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા નરયિકો માટે પણ જાણવું. અસંખ્યય પ્રદેશાધિક જઘન્ય અવગાહનાએ વર્તતા તથા તચિત ઉત્કૃષ્ટ અવગાહનાએ વર્તતા નૈરયેયિકોના અરઅથાતુ એ. બન્નેના પણ સત્તાવીશ ભાંગા કહેવા. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં ત્રિીશ લાખ નિરવાયવાસોમાંના એક એક નિરયાવાસમાં વસતા અને વૈક્રિયશરીરવાળા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે? હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. અને એ ગમ વડે બાકીના બે શરીર અથતુ બધાં મળીને ત્રણ શરીર સંબંધે પૂર્વોક્ત પ્રમાણે જાણવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુવસતા નૈરયિકોના શરીરોનું કયું સંઘયણ-સંહનન કહ્યું છે ! હે ગૌતમ ! તેઓનું શરીર સંઘયણ વિનાનું છે. વળી તેઓના શરીરમાં હાડકાં, નસો અને સ્નાયુ નથી. તથા જે પુદ્ગલો અનીષ્ટ, અકાંત અપ્રિય, અશુભ, અમનોજ્ઞ અને અમનોમ છે તે પુદ્ગલો એઓના શરીરસંઘાતપણે પરિણમે છે. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-વસતા અને છ સંઘયણમાંથી એકપણ. સંઘયણ વિનાના નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે! હે ગૌતમ ! અહીં સત્તાવીશ ભાંગા જાણવા. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં પાવતુ-વસતા નરયિકોના શરીરો કયા સંસ્થાનવાળા કહ્યાં છે ? હે ગૌતમ ! તે નૈરયિકોના શરીરો બે પ્રકારના કહ્યાં છે. ભવધારણીય- જ્યાં સુધી જીવે ત્યાં સુધી રહેનારો અને ઉત્તરવૈક્રિય. તેમાં જે શરીરો ભવધારણીય છે તે હુડકસંસ્થાનવાળાં કહ્યાં છે, અને જે શરીરને ઉત્તરક્રિયરૂપ છે તે પણ હુડકસંસ્થાનવાળો કહ્યાં છે. હે ભગવન ! આ રત્નપ્રભા પૃથિવીમાં યાવતુ-હૂંડક સંસ્થાને વર્તતા નૈરયિકો શું ક્રોધોપયુક્ત છે ? હે ગૌતમ! અહીં સત્તાવીશ ભાંગા કહેવા. હે ભગવન્! આ રત્નપ્રભા ! પૃથિવીમાં વસતા નૈરયિકોને કેટલી વેશ્યા પકહી છે? હે ગૌતમ! તેઓને એક કાપોતલેશ્યા કહી છે. તે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં વસતા કાપોતલેશ્યાવાળા નૈરયિકો શું કોધોપયુક્ત છે? અહીં સત્તાવીશ ભાંગા કહેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy