________________ - સતક-૧૧, ઉદેસો-૧૧ 273 ત્યાર પછી તે મહાબલ કુમારના માતા પિતા એવા પ્રકારનું આ પ્રીતિદાન આપે છે, આઠ કોટિ હિરણય, આઠ ક્રોડ સોનૈયા, મુકુટોમાં ઉત્તમ એવા આઠ મુકુટ, કુંડલયુગ લમાં ઉત્તમ એવી આઠ કંડલની જેડી, હારોમાં ઉત્તમ એવા આઠ હાર, આઠ અર્ધાર, આઠ એકસરા હાર, એજ પ્રમાણે મુક્તાવલીઓ, કનકાવલીઓ અને રત્નાવલીઓ જાણવી. કડા યુગલમાં ઉત્તમ એવા આઠ કડાની જોડી, એ પ્રમાણે તુડિય-બાજુબંધની જોડી, આઠ રેશમી વસ્ત્રની જોડી, આઠસૂતરાઉ વસ્ત્રની જેડીઓ, એ પ્રમાણે સરની જોડીઓ, પટ્ટયુગલો, દુકુલયુગલો, આઠ શ્રી, આઠ લી, એ પ્રમાણે ધી, કીર્તિ, બુદ્ધિ, અને લક્ષ્મી દેવીઓની પ્રતિમા જાણવી. આઠ નંદો, આઠ ભદ્ર, તાડમાં ઉત્તમ એવા આઠ તાલવૃક્ષ-એ સર્વરત્નમય જાણવા. પોતાના ભવનના કેતુ-ચિહ્નરૂપ એવા આઠ ધ્વજો. દસ હજાર ગાયોનું એક વ્રજ-ગોકુલ થાય છે, તેવા આઠ ગોકુલો, બત્રીશ માણસોથી ભજવી શકાય એવા આઠ નાટકો, એવા આઠ ઘોડા, આ બધું રત્નમય જાણવું. ભાંડા ગાર સમાન એવા આઠ રત્નમ હાથીઓ, સર્વરત્નમય એવા આઠયાનો, ઉત્તમ આઠ યુગ્યોએ પ્રમાણે શિબિકા, સ્વમાનિકા એ પ્રમાણે ગિલ્લી, થિલ્લિઓ, આઠવિકટ યાનો, આઠ પારિયાનિક રથો, સંગ્રામને યોગ્ય એવા આઠ રથો, આઠઅશ્વ, આઠ હાથીઓ, આઠ ગામો જેમાં દસ હજાર કુલો રહે તે એક ગામ કહેવાય છે. દાસોમાં ઉત્તમ એવા આઠ દાસો, એજ પ્રમાણે દાસીઓ એ પ્રમાણે કિંકરો, એ પ્રમાણે કંચુકિઓ, એ પ્રમાણે વર્ષધરો,એ પ્રમાણે મહત્તરકો આઠ સોનાના, આઠ રૂપાના તથા આઠ સોના-રૂપાના અવલંબન દીપો એવાજ ઉત્કંચનદીપો એ પ્રમાણે ત્રણે જાતના પંજરદીપો થાળો, પાત્રીઓ, એ પ્રમાણે ત્રણે જાતના આઠ સ્થાસકો તાસકો, આઠ મલકો, આઠ લિક, આઠ કલાચિકા, આઠ તાવેથાઓ, આઠ તવીઓ, આઠ પાદપીઠ, આઠ ભિસિકા,આઠ કરોટિકા, આઠ પલંગ, આઠ પ્રતિશય્યા, આઠ હંસાસનો, આઠ કૌંચાસનો, એ પ્રમાણે ગરુડાસનો, ઉંચા આસનો, નીચાઆસનો દીધસિનો ભદ્રાસનો, પક્ષાસન, મકરાસનો, આઠ પદ્માસનો. આઠ દિકખસ્તિકાસનો, આઠ તેલના ડાબડા-ઈત્યાદિ બધું રાજકશ્રીય સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવદ્ આઠ સરસવના ડાબડા, આઠ કુમ્ભ દાસીઓ-ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું, પાવતુ આઠ પારસિક દેશની દાસીઓ, આઠ છત્રો, આઠ છત્ર ધરનારી દાસીઓ આઠ ચામરી, આઠ ચામર ધરનારી દાસીઓ, આઠ પંખા, આઠ પંખા વજનારી દાસીઓ, આઠ કરોટિકા-તાંબૂલના કરંડિયા-ને ધારણ કરનારી દાસીઓ, આઠ ક્ષીરધાત્રી, વાવ૬ આઠ અંકધાત્રીઓ આઠ અંગમર્દિકાઓ, આઠ ઉમર્દિકાઓ, આઠ સ્નાન કરાવનારી દાસીઓ, આઠ અલંકાર પહેરાવનારીઓ, આઠ ચંદન ઘસનારીઓ. આઠ તાંબૂલ ચૂર્ણ પીસનારીઓ, આઠ કોષ્ઠાગારનું રક્ષણ કરનારી, આઠ પરિહાસ કરનારી, આઠ સભામાં પાસે રહેનારી, આઠ નાટક કરનારીઓ, આઠ સાથે જનારી દાસીઓ, આઠ રસોઇ કરનારી, આઠ ભાંડાગારનું રક્ષણ કરનારી, આઠ માલણો, આઠ પુષ્પ ધારણ કરનારી, આઠ પાણી લાવનારી આઠ બલિ કરનારી, આઠ પથારી તૈયાર કરનારી, આઠ અંદરની અને આઠ બહારની પ્રતિહારીઓ, આઠ માલા કરનારીઓ, આઠ પેષણ કરનારી, અને એ સિવાય બીજું ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસું, વસ્ત્ર તથા વિપુલ ધન કનક, યાવતુ વિદ્યમાન સારભૂત ધન આપ્યું. જે સાત પેઢી સુધી ઈચ્છાપૂર્વક આપવા. [18] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org