SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 272 - ભગવઈ-૧૧૧૧/પર૧ બહાર નીકળી જકાત રહિત, કરરહિત, પ્રધાન, આપવા યોગ્ય વસ્તુરહિત, માપવાયોગ્ય વસ્તુરહિત, મેયરહિત, સુભટના પ્રવેશરહિત, દંડ તથા કુદંડરહિત, અધિરિમયુક્તદેવારહિત, ઉત્તમ મણિકાઓ અને નાટકીયાઓથી યુક્ત, અનેક તાલાનુચરો વડે યુક્ત.. નિરંતર વાગતાં મૃદંગોસહિત, તાજા પુષ્પોની માલા યુક્ત, પ્રમોદ સહિત, અને ક્રીડા યુક્ત એવી સ્થિતિ પતિતા-પુત્રજન્મમહોત્સવ પુર અને દેશના લોકો સાથે મળીને દસ દિવસ સુધી કરે છે. ત્યાર બાદ દસ દિવસ સુધી ઉત્સવ ચાલુ હતો ત્યારે તે બલ રાજા સો રૂપિયાના, હજાર રૂપિયાના અને લાખ રૂપિયાના ખર્ચવાળા ભાગો, દાનો અને દ્રવ્યના અમુક ભાગોને દેતો અને દેવડાવતો તથા સો રૂપિયાના, હજાર રૂપિયાના તથા લાખ રૂપિયાના લાભને મેળવતો, મેળવાવતો એ પ્રમાણે રહે છે. ત્યાર બાદ તે છોકરાના. માતાપિતા પ્રથમ દિવસે કુલની મયદા પ્રમાણે ક્રિયા કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન કરાવે છે, છ દિવસે ધર્મજાગરણ કરે છે અને અગ્યારમો દિવસ વીત્યા બાદ અશુચિ જાતકર્મ કરવાનું નિવૃત્ત થયા પછી બારમે દિવસે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને અખાદિમ પદાર્થોને તૈયાર કરાવે છે, અને જેમ શિવ રાજા સંબધે કહ્યું તેમાં ક્ષત્રિયોને આમંત્રે છે. ત્યાર પછી સ્નાન તથા બલિકમ કરી ઈત્યાદિ પૂર્વોક્ત યાવતું ‘મહાબલ' એવું નામ કરે છે. ત્યાર પછી તે મહાબલ નામે પુત્રનું પાંચ ધાવો વડે પાલન કરાયું. તે પાંચ ધાવો આ પ્રમાણે છે-ક્ષીરધાત્રી, એ પ્રમાણે બધું દ્રઢ પ્રતિજ્ઞાની પેઠે જાણવું. યાવતુ તે કુમાર વાયુરહિત અને નિવ્યઘાત સ્થાનમાં અત્યંત સુખપૂર્વક વૃદ્ધિ પામે છે, પછી તે મહા બલના માતાપિતાએ જન્મના દિવસથી માંડી અનુક્રમે સ્થિતિ પતિતા, સૂર્યચંદ્રનું દર્શન, ધર્મજાગરણ, નામકરણ, ભાંખોડીયા ચાલવું, પગે ચાલવું, જમાડવું, કોળીઆ વધારવા, બોલાવવું, કાન વિંધાવવા, વર્ષગાઠ કરવી, ચૂડા-શિખા રખાવવી, ઉપનયન-શીખવવું એ બધાં અને એ સિવાય બીજા ઘણા ગર્ભાધાન, જન્મ વગેરે કૌતુકો કરે છે. ત્યાર પછી તે મહાબલ કુમારને તેના માતાપિતા આઠ વરસથી અધિક ઉમરનો જાણી પ્રશસ્ત. તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં ભણવા મોકલે છે)-ઈત્યાદિ બધું દ્રઢપ્રતિજ્ઞની પેઠે કહેવું, યાવતુ તેને વિષયોપભોગને યોગ્ય જાણી તેના માતા પિતા તેને માટે આઠ શ્રેષ્ઠ પ્રાસાદો તૈયાર કરાવે છે, તે પ્રાસાદઅતિશય ઉંચા, જાણે હસતા હોય-ઇત્યાદિ વર્ણન રાજકશ્રીયસૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. પ્રેક્ષાગૃહ અને મંડપના વર્ણનની પેઠે જાણવું, યાવતુ તે સુન્દર હતું | [પર૨] ત્યાર પછી બીજા કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, દિવસ નક્ષત્ર અને મુહૂર્તમાં જેણે સ્નાન, બલિકમ-પૂજા, રક્ષા આદિ કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કર્યું છે એવા મહાબલ કુમારને સર્વ અલંકારથી વિભૂષિત કરી સધવા સ્ત્રીઓએ કરેલી અત્યંજનવિલેપન, સ્નાન, ગીત, વારિત્ર, મંડન, આઠ અંગમાં તિલક અને કંકણ પહેરવી મંગલ અને અશીવદિપૂર્વક ઉત્તમ રક્ષા વગેરે કૌતુકરૂપ અને સરસવ વગેરે મંગલરૂપ ઉપચાર વડે શાંતિકર્મ કરી, યોગ્ય, સમાનત્વચાવાળી, સમાન ઉમરવાળીસ સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણથી યુક્ત, વિનીત, જેણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરેલું છે એવી સમાન રાજકુલથી આણેલી એવી, ઉત્તમ, રાજાની આઠ શ્રેષ્ઠ કન્યાઓનું એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy