SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 24 ભગવાઈ-૧-૪૪૯ જીવ આ કર્મને આભ્ય-પગમિક વેદના વડે વેદશે. આ જીવ આ કર્મને ઔપકમિક વેદના વડે વેદશે. યથાકર્મ- બાંધેલ કર્મને અનુસાર, નિકરણોને અનુસારે જેમ જેમ ભગવંતે તે જોયું છે તેમ તેમ તે વિપરિણામ પામશે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે, થાવતુ-કરેલ કર્મોને અનુભવ્યા વિના નૈરયિક આદિનો મોક્ષ નથી. 50] હે ભગવન્! “એ પુદગલ વીતેલા અનંત અને શાશ્વત કાળે હતું’ એમ કહી શકાય ! હે ગૌતમ ! હા, એ પુદ્ગલ વિતેલા અનંત અને શાશ્વત કાળે હતું એમ કહી શકાય. હે ભગવન્! એ પુદ્ગલ વર્તમાન શાશ્વત કાળે છે, એમ કહેવાય! હે ગૌતમ ! હા. એમ કહેવાય. હે ભગવન્! એ પુદ્ગલ અનંત અને શાશ્વત ભવિષ્યકાળે થશે રહેશે એમ કહી શકાય? હે ગૌતમ ! હા, એમ કહેવાય. એ પ્રમાણે સ્કંધ સાથે પણ ત્રણ આલાપક કહેવા. તથા જીવ સાથે પણ ત્રણ આલાપક કહેવા. 51] હે ભગવનું ! વીતેલા અનંત શાશ્વત કાળમાં છદ્મસ્થ મનુષ્ય કેવલ સંયમથી, કેવલ સંવરથી બ્રહ્મચર્યાવાસથી અને કેવલ પ્રવચનમાતાથી સિદ્ધ થયો, બુદ્ધ થયો, અને યાવતુસર્વ દુઃખનો નાશ કરના થયો! હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુ કહો છો કે, હે ગૌતમ ! જે કોઈ અંત કરે કેવા અંતિમ શરીરવાળાએ સર્વ દુઃખોના નાશને કર્યો, તેઓ કરે છે કે કરશે તે બધા ઉત્પન્નશાનદર્શનધર, અરિહંત, જિન અને કેવલી થઈને ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થાય છે, પરિનિર્વાણ પામ્યા છે તથા તેઓએ સર્વ દુઃખોનો નાશ કર્યો છે કરે છે અને કરશે. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે યાવતુ-સર્વ દુઃખોનો અંત કર્યો, વર્તમાનકાળમાં પણ એ પ્રમાણેજ જાણવું. વિશેષ એ કે, સિદ્ધ થાય છે. એમ કહેવું તથા ભવિષ્યકાળમાં તેવીજ રીતે જાણવું. વિશેષ એ કે-સિદ્ધ થશે' એમ કહેવું. જેમ છઘસ્થ કહ્યો તેમ અધોવધિક પણ જાણવો, અને તેના ત્રણ ત્રણ આલાપક કહેવા. હે ભગવન્! વીતેલા અનંત શાશ્વત કાળમાં કેવલી મનુષ્ય યાવતુ સર્વદુઃખોનો નાશ કર્યો ! હે ગૌતમ! હા, તે સિદ્ધ થયા, તેણે સર્વ દુઃખોનો નાશ કર્યો. અહીં પણ છવાસ્થની પેઠે ત્રણ આલાપક કહેવા. વિશેષ એ કે, સિદ્ધ થયા, સિદ્ધ થાય છે, અને સિદ્ધ થશે, એમ કહેવું. હે ભગવન્! વીતેલા અનંત શાશ્વતકાળને વિષે. વર્તમાન શાશ્વત સમયમાં અને અનંત શાશ્વત ભવિષ્યકાળમાં જે કોઇ અંતકરોએ, અંતિમ શરીરવાળાઓએ સર્વ દુઃખોનો નાશ કર્યો કરે છે, અને કરશે, તે બધા ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરિહંત, જિન અને કેવલી થઈ ત્યારપછી સિદ્ધ થાય છે, યાવતું સર્વ દુઃખોનો નાશ કરશે? હે ગૌતમ ! હા, વીતેલા અનંત શાશ્વત કાળને વિષે યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરશે. હે ભગવન્! તે ઉત્પન્નજ્ઞાનદર્શનધર, અરિહંત જિન અને કેવલી પૂર્ણ-કહેવાય! હે ગૌતમ ! હા, ત ઉત્પન્ન જ્ઞાનદર્શનધર, અરિહંત, જિન અને કેવલી પૂર્ણ કહેવાય. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવવિહરે છે. | શતક-૧, ઉદેસા-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( ઉદ્દેશક-૫-) [પર] હે ભગવનું કેટલી પૃથિવીઓ કહી છે! હે ગૌતમ! સાત પૃથિવીઓ કહી છે, તે આ પ્રમાણે :- રત્નપ્રભા, યાવતુતમસ્તનાપ્રભા. હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીમાં કેટલા લાખ નિરયાવાસો-કહેલા છે ! ત્યાં ત્રીસલાખ નિરયાવાસો કહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy