SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સતક-૧, ઉદેસો-૩ 23 હા વેદે છે. હે ભગવન્! શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે? હે ગૌતમ ! તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાતર, લિગંતર, પ્રવચનાનંતર, પ્રવચનિકાંતર, કલ્પાંતર, માતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાંતરવડે શંકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સાવાળા, ભેદસમાપન્ન અને કલ્પસમાપન થઈને, એ પ્રમાણે તે શ્રમણ નિગ્રંથ પણ કાંક્ષામોહનીય કર્મને વેદે છે. હે ભગવન! તેજ સત્ય અને નિઃશંક છે, જે જિનોએ જણાવ્યું છે? હે ગૌતમ ! હા, તેજ સત્ય અને નિઃશંક છે. જે જિનોએ કહેલું છે, યાવતું-પુરુષાકારપરાક્રમથી નિર્ભર છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. | શતક: ૧-ઉદ્દેસોઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક-૪:-) [46] હે ભગવન્! કર્મકતિઓ કેટલી કહી છે! હે ગૌતમ કમપ્રકૃતિઓ આઠ કહી છે, અહીં પ્રજ્ઞાપના'ના કર્મપ્રકૃતિ નામના ત્રેવીશમાં પદનો પ્રથમ ઉદેશક જાણવો વાવતુ-અનુભાગ સમાપ્ત [47] કેટલી કર્મપ્રકૃતિ! કેવી રીતે બાંધે છે ! કેટલાં સ્થાનોવડે પ્રકૃતિઓને બાંધે છે! કેટલી પ્રકૃતિઓ વેદે છે! અને કોનો કેટલા પ્રકારનો રસ છે! [48] હે ભગવન્! કૃતમોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ ઉપસ્થાન કરે-હે ગૌતમ ! હા ત્યારે ઉપસ્થાન કરે. હે ભગવન્! તે ઉપસ્થાન શું વીર્યતાથી થાય! કે અવીર્યતાથી થાય! હે ગૌતમ! તે ઉપસ્થાન વીર્યતાથી થાય, પણ અવીર્યતાથી ન થાય. હે ભગવન્! જો તે ઉપસ્થાન વિર્યતાથી થાય તો શું બાલવીર્યતાથી થાય, પંડિતવીર્યતાથી થાય કે બાલપંડિતવીર્યતાથી થાય ? હે ગૌતમ ! તે ઉપસ્થાન બાલવીયતાથી થાય, પણ પંડિતવીર્યતાથી કે બાલપંડિતવીર્યતાથી ન થાય. હે ભગવન! કતમોહનીયકર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ અપક્રમણ કરે-હે ગૌતમ ! હા. અપક્રમણ કરે. હે ભગવન્! તે અપક્રમણ ધાવતું બાલવીયતાથી પંડિતવીર્યતાથી કે બાલપંડિતવીર્યતાથી થાય ? હે ગૌતમ ! બાલવીયતાથી થાય, અને કદાચિતુ, બાલપંડિતવીયતાથી પણ થાય, પણ પંડિતનીયતાથી ન થાય. જેમ “ઉદયમાં આવેલ પદ સાથે બે આલાપક કહ્યા તેમ “ઉપશાંત’ સાથે પણ બે આલાપક કહેવા વિશેષ એ કે ત્યાં પંડિતવીર્યતાથી ઉપસ્થાન થાય અને બાલપંડિતવીર્યતાથી અપક્રમણ થાય. હે ભગવન્! તે અપક્રમણ શું આત્માવડે થાય, કે અનાત્મવડે થાય? હે ગૌતમ ! તે અપક્રમણ આત્મા વડે થાય પણ અનાત્મા વડે ન થાય. હે ભગવન્! મોહનીય કર્મને વેદતો તે એ એ પ્રમાણે કેમ હોય? હે ગૌતમ! પહેલાં તેને એ એ પ્રમાણે રચે છે. અને હમણા તેને એ એ પ્રમાણે રુચતું નથી, માટે તે એ એ પ્રમાણે છે. [49] હે ભગવન્! જે પાપ કર્મ કરેલું છે તેને વેદ્યા વિના નૈરયિકનો, તિર્યંચયોનિકનો, મનુષ્યનો કે દેવનો મોક્ષ નથી? હે ગૌતમ! હા, કરેલ પાપકર્મને અનુભવ્યા વિના નરયિકનો, તિર્યંચયોનિકનો, મનુષ્યનો કે દેવનો મોક્ષ નથી. હે ભગવન્! તમે એ પ્રમાણે શા હેતુથી કહો છો કે, હે ગૌતમ ! મેં કર્મના બે પ્રકાર કહ્યા છે. પ્રદેશકમ અને અનુભાગકર્મ. તેમાં જે પ્રદેશકમ છે તે ચોક્કસ વેદવું પડે છે અને જે અનુભાવકમ તે છે તે કેટલુંક વેદાય છે અને કેટલુંક વેદાતું નથી. એ અહંતદ્વારા જ્ઞાત, મૃત અને વિજ્ઞાત છે કે, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy