SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 260 ભગવઈ-૧૧-૯પ૭ કરે છે હોમ કરીને ચરુ-બલિ તૈયાર કરે છે, અને બલિથી વૈશ્વદેવની પૂજા કરે છે, ત્યારબાદ અતિથિની પૂજા કરી તે શિવ રાજર્ષિ પોતે આહાર કરે છે. 50] ત્યારબાદ તે શિવરાજર્ષિ ફરીવાર છઠ્ઠ તપ કરીને વિહરે છે, પછી તે શિવરાજર્ષિ આતાપનાભૂમિથી ઉતરીય વલ્કલનું વસ્ત્ર પહેરે છે, ઇત્યાદિ બધું પ્રથમ પારણાની પેઠે જાણવું. પરન્તુ વિશેષ એ છે કે બીજા પારણા વખતે દક્ષિણ દિશાને પ્રોષિત કરે-પૂજે, તેમ કરીને એમ કહે કે દક્ષિણદિશાના (લોકપાલ) યમ મહારાજા પ્રસ્થાનમાં પ્રવૃત્ત થએલા શિવરાજર્ષિનું રક્ષણ કરો ઈત્યાદિ સર્વ પૂર્વવતુ કહેવું, યાવતુ. પોતે આહાર કરે છે. પછી તે શિવરાજષ ત્રીજા છઠ્ઠ તપને સ્વીકારી વિહરે છે, તેના પારણાની બધી હકીકત પૂર્વની પેઠે જાણવી, પરંતુ વિશેષ એ છે કે, પશ્ચિમ દિશાનું પ્રોક્ષણ-પૂજન-કરે, અને એમ કહે કે પશ્ચિમ દિશાના લોકપાલ) વરુણ મહારાજા પ્રસ્થાનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરશે, બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. પછી તે શિવરાજર્ષિ ચોથા છઠ્ઠના તપને સ્વીકારી વિહરે છે-ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. પરન્તુ (ચોથે પારણે ઉત્તર દિશાને પૂજે છે, અને એમ કહે છે કે ઉત્તર દિશાના (લોકપાલ). વૈશ્રમણ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવરાજર્ષિનું રક્ષણ કરો, બાકી બધું પૂર્વ પ્રમાણે જણવું, યાવતું ત્યાર પછી પોતે આહાર કરે છે. એ પ્રમાણે નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાથી દિક્યક્રવાલ તપ કરતા, યાવતુ આતાપના લેતા તે શિવરાજષિને પ્રકૃતિને ભદ્રતા અને પાવ૬ વિનીતતાથી અન્ય કોઈ દિવસે તેના આવરણભૂત કર્મોના ક્ષયોપશમ થવાથી ઈહા, અપોહ, માગણા અને ગવેષણ કરતા વિભંગ નામે જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે ઉત્પન્ન થયેલા તે વિર્ભાગજ્ઞાન વડે આ લોકમાં સાત દ્વીપો અને સાત સમુદ્રો જુએ છે, તે પછી આગળ જાણતા નથી કે જોતા નથી. ત્યારબાદ તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. કે, મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન થયું છે, અને એ પ્રમાણે આ લોકમાં સાત, દ્વીપ અને સાત સમુદ્રો છે, અને ત્યારપછી દ્વીપો અને સમુદ્રો નથી'- એમ વિચારે છે, વિચારીને આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, અને વલ્કલનાં વસ્ત્રો પહેરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવી અનેક પ્રકારના લોઢી, લોઢાના કડાયાં અને કડછા યાવત્ બીજા ઉપકરણો અને કાવડને ગ્રહણ કરે છે, અને જ્યાં હસ્તિનાપુરનગર છે અને જ્યાં તાપસોનું કાવત્ આશ્રમ છે ત્યાં આવે છે, આવીને ઉપકરણ વગેરેને મૂકે છે, અને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, યાવદ્ રાજમાર્ગોમાં ઘણા માણસોને એમ કહે છે, યાવદ્ પ્રરૂપે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને આ લોકમાં એ પ્રમાણેસાત દ્વીપો અને સાધુ સમુદ્રો છે, ત્યારબાદ તે શિવરાજર્ષિ પાસેથી એ પ્રકારનું વચન સાંભળી, અવધારી હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, યવદ્ રાજમાગોમાં ઘણા માણસો પરસ્પર એમ કહે છે- યાવદ્ર એમ પ્રરૂપે છેદેવાનપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે-માવતુ પ્રરૂપે છે કે હે દેવાનપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, યાવતુ એ પ્રમાણે એ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યાર પછી નથી, તે એમ કેવી રીતે હોય? તે કાલે-તે સમયે મહાવીર સ્વામી સમોસ, પર્ષદ્ પણ પાછી ગઈ. તે કાલે ને. સમયે શ્રમણ ભગવનું મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર યાવત્ ભિક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy