SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 248 ભગવઈ - 10-4487 સંબધ આ પ્રમાણે છે-તે કાલે તે સમયે આ જંબૂદ્વીપમાં, ભારતવર્ષમાં કાકંદીનગરી. હતી. તે કાકંદનગરીમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક ગૃહપતિઓ રહેતા હતા, જેઓ ધનિક, યાવતું અપરિભૂત હતા, જીવાજીવને જાણનારા, અને પુણ્ય પાપના જ્ઞાતા તેઓ યાવત્ વિહરે છે. તે પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસક પૂર્વે ઉગ્ર, ઉગ્રવિહારી સંવિગ્ન અને સંવિગ્નવિહારી હતા, પણ પાછળથી પાસત્યા, પાસત્યવિહારી અવસત્ન અવસગ્નવિહારી, કુશીલ, કુશલવિહારી, યથાછંદ, અને યથાશૃંદવિહારી થઈને તેઓ ઘણા વરસ સુધી શ્રમણોપાસકના પર્યાયને પાળે છે, અર્ધમાસિક સંલેખનાવડે આત્માને સેવીને ત્રીશભક્તોને અનશનપણે વ્યતીત કરીને તે પ્રમાદસ્થાનનું આલોચન અને પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરી અસુરેંદ્ર, અસુરકુમાર રાજાચમરના ત્રાય અિશકદેવપણે ઉત્પન્ન થયા. હે ભગવન્! જ્યારથી માંડીને કાકંદીના રહેનારા અને પરસ્પર સહાય કરનારા, તેત્રીશ શ્રમણોપાસકો અસુરેંદ્ર, અસુરકુમારરાજાચમરના ત્રાયસ્ત્રિશુકદેવપણે ઉત્પન થયા ત્યારથી એમ કહેવાય છે કે અસુરેંદ્ર, અસુરકુમારરાજા ચમરને ત્રાયશ્ચિક દેવો છે ? જ્યારે તે શ્યામહસ્તી અનગારે ભગવંત ગૌતમને એ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન્ ગૌતમ શંકિત, કાંક્ષિત અને અત્યન્ત સંદિગ્ધ થયા, અને તેઓ ઉભા થઈને તે શ્યામહસ્તી અનગારની સાથે જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીરને વાંદી અને નમીને આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરેંદ્ર, અસરકારના રાજા ચમરને ત્રાયન્ઝિશક દેવો છે? હા, ગૌતમ! છે. હે ભગવન ! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? -ઇત્યાદિ પૂર્વે કહેલો ત્રાયશ્ચિક દેવોને સર્વ સંબન્ધ કહેવો, યાવતુ કાકંદીના રહેનારા શ્રમણોપાસકો ત્રાયશ્ચિકદેવપણે ઉત્પન્ન થયા છે ત્યારથી શું એમ કહેવાય છે કે અમરને ત્રાયઅિશક દેવો છે? હે ગૌતમ ! તે અર્થે યોગ્ય નથી, તેઓ કદી ન હતાં એમ નથી, કદી ન હશે એમ નથી કદી નથી એમ પણ નથી. યાવતુ તેઓ નિત્ય છે, અન્ય ઔવે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. હે ભગવન્! વૈરોચનેંદ્ર, વૈરોચનરાજાબલિને ત્રાયશિકદેવો છે? હે ગૌતમ ! હા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શિા હેતુથી કહો છો? હે ગૌતમ ! બલિના ત્રાઝિશક દેવોનો સંબન્ધ આ પ્રમાણે છે તે કાલે-તે સમયે જંબૂદ્વીપના ભારતવર્ષમાં બિભેલ નામે સંનિવેશ હતો. તે બિભેલ સનિ વેશમાં પરસ્પર સહાય કરનારા તેત્રીશ શ્રમણોપાસકો રહેતા હતા. ઇત્યાદિ જેમ ચરેન્દ્ર ના સંબધે કહ્યું તેમ અહીં પણ જાણવું. પૂર્વોક્ત સર્વ હકીકત વાવત્ તેઓ નિત્ય છે, અવ્યવચ્છિત્તિનની અપેક્ષાએ અન્ય ચ્યવે છે અન્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી જાણવી. હે ભગવનુ 1 નાગકુમારના ઈંદ્ર અને નાગકુમારના રાજા ધરણને ત્રાઝિશક દેવો છે? હે ગૌતમ હા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપશા હેતુથી કહો છો ? હે ગૌતમ! નાગકુમારના ઈદ્ર અને નાગકુમારના રાજા ધરણના ત્રાયશ્ચિક દેવોના નામો શાશ્વત કહ્યા છે, જેથી તેઓ કદાપિ ન હતા એમ નથી, કદાપિ નથી એમ નથી, અને કદાપિ ન હશે એમ પણ નથી. યાવતુ અન્ય ચ્યવે છે અને અન્ય ઉપજે છે. એ પ્રમાણે ભૂતાનંદ અને યાવતું મહાઘોષ ઇન્દ્રના ત્રાયઅિશક દેવો સંબધે પણ જાણવું. હે ભગવનું ! દેવેંદ્ર દેવરાજ શક્રને ત્રાયઅિંશક દેવો છે? હા ગૌતમ! છે. હે ભગવન! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ! શક્રના ત્રાયશ્ચિશક દેવોનો સંબન્ધ આ પ્રમાણે છે-તે કાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy