SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૦, ઉદેસો-૩ 247 પછી, વિમોહ પમાડે ? હે ગૌતમ ! તે બંને ફરી શકે. હે ભગવન્! અલ્પશક્તિવાળો અસુરકુમાર મહાશક્તિવાળા અસુરકુમારની વચોવચ થઈને જઈ શકે? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે સામાન્ય દેવની પેઠે અસુર- કુમારના પણ ત્રણ આલાપક કહેવા. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમાર સુધી કહેવું. તથા વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને પણ એ પ્રમાણે કહેવું. હે ભગવનું ! અલ્પશક્તિવાળો દેવ મહાશક્તિ વાળી દેવીની વચોવચ થઈને જાય ? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન ! સમાનશક્તિવાળો દેવ સમાનશક્તિવાળી દેવીની વચોવચ થઈને જાય ? હે ગૌતમ ! એ પ્રમાણે પૂર્વની પેઠે દેવની સાથે દેવીની દંડક કહેવો, વાવતું વૈમાનિક સુધી જાણવું. હે ભગવનુઅલ્પશક્તિવાળી દેવી મહાશક્તિવાળા દેવની વચોવચ થઈને જાય?હે ગૌતમ ! ન જાય, એ પ્રમાણે અહીં ત્રીજે દંડક પૂર્વ પ્રમાણે કહેવો, વાવતુ- હે ભગવન્! મહાશક્તિ વાળી વૈમાનિક દેવી અલ્પશક્તિવાળા વૈમાનિક દેવની વચોવચ થઈને જાય?હા, ગૌતમ! જાય.” હે ભગવનઅલ્પશક્તિવાળી દેવી મોટી શક્તિવાળી દેવીની વચોવચ થઈને જાય? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે સમાનશક્તિવાળી દેવીનો સમાનશક્તિ. વાળી દેવી સાથે, તથા મહાશક્તિવાળી દેવીનો અભ્યશક્તિવાળી દેવી સાથે તે પ્રમાણે આલાપક કહેવા, અને એ રીતે એક એકના ત્રણ ત્રણ આલાપક કહેવા. યાવતું મોટી શક્તિવાળી દેવી સંબંધે એ પ્રમાણે એ ચાર દંડક કહેવા. 483 હે ભગવન્! જ્યારે ઘોડો દોડતો હોય ત્યારે તે “ખું ખુ' શબ્દ કેમ કરે છે? હે ગૌતમ ! જ્યારે ઘોડો દોડતો હોય છે, ત્યારે હૃદય અને પત્ની વચ્ચે કર્કટનામે વાયુ ઉત્પન્ન થાય છે, અને તેથી ઘોડો ઘેડતો હોય છે ત્યારે તે ખુ ખુ' શબ્દ કરે છે. [484] હે ભગવન્અમે આશ્રય કરીશું, શયન કરીશું, ઉભા રહીશું, બેસીશુ, ઈત્યાદિ ભાષા “આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પ્રચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની. ઈચ્છાનુલોમાં અનભિગૃહીત, અભિગૃહીત, સંશયકરણી, વ્યાકૃતા, અને અવ્યાકતા ભાષા છે." તેમાંની આ પ્રજ્ઞાપની ભાષા કહેવાય? અને એ ભાષા મૃષા ન કહેવાય? હે ગૌતમ ! 'આશ્રય કરીશું'- ઈત્યાદિ ભાષા પૂર્વવત્ કહેવાય, પણ મૃષા ભાષા ન કહેવાય. હે ભગવન્! તે એમજ છે. (એમ કહી ભગવાન ગૌતમ યાવ વિહરે છે.) | શતક ૧૦-ઉદેસા ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! ( ઉદેશક૪-) [48] તે કાલે-તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું. ત્યાં દૂતિપલાશ ચૈત્ય હતું. ત્યાં ભગવાન મહાવીર સમોસય. પરિષદ્ ધર્મોપદેશ શ્રવણ કરીને પાછી ગઈ. તે કાલેતે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈદ્રભૂતિ નામે અનગાર વાવ૬ ઊર્ધ્વજાનું વાવ વિહરે છે. તે કાલે-તે સમયે શ્રમણભગવાનુમહાવીરના શિષ્ય શ્યામ હતી અનગાર હતા. જે રોહ અનગારની પેઠે ભદ્રપ્રકૃતિના યાવત્ વિહરતા હતા. ત્યાર પછી શ્રદ્ધાવાળા તે શ્યામહસ્તી અનગાર યાવતુ ઉભા થઈને જ્યાં ભગવાન ગૌતમ છે ત્યાં આવે છે, ગૌતમને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદી, નમી અને પપાસના કરતા બોલ્યા- હે ભગવન્! અસુરકુમારના ઈન્દ્ર ચમરને ત્રાસ્ટિશક દેવો છે? હા, છે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે શ્યામહસ્તી ! તે ત્રાયસ્ત્રિશક દેવોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy