SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ 242 ભગવાઈ - 9-33469 દુબોંધ કરતા, ઘણા વરસ સુધી સાધુપણાને પાળે, અને પાળીને તે અકાર્ય સ્થાનનું આલોચન કે પ્રતિક્રમણ કર્યા સિવાય મરણ સમયે કોલ કરીને કોઈ પણ કિલ્બિષિક દેવોમાં કિલ્બિષિકદેવપણે ઉત્પન્ન થાય છે. હે ભગવનું ! તે કિલ્બિષિક દેવો આયુષ્યનો ક્ષય થવાથી, ભવનો ક્ષય થવાથી, સ્થિતિનો ક્ષય થવાથી,તરત તે દેવલોકથી ઍવીને ક્યાં જાય-ક્યાં ઉત્પનુથાય હે ગૌતમ! તે કિલ્બિષિક દેવો નારક, તિચિ, મનુષષ્ય અને દેવના ચાર કે પાંચ ભવો કરી, એટલો સંસાર ભ્રમણ કરીને ત્યારપછી સિદ્ધ થાય, બુદ્ધ થાય અને યાવ, દુઃખોનો નાશ કરે. અને કેટલાક કિબ્લિષિક દેવો તો અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળા ચારગતિ સંસારાટવીમાં ભમ્યા કરે. હે ભગવનું ! શું જમાલિ નામે અનગાર રસરહિત આહાર કરતો, વિરસાહાર કરતો, અંતાહારકરતો, પ્રાંતાહારકરતો, રૂક્ષાહારકરતો, તુચ્છાહાર કરતો, અરસજીવી, વિરસજીવી. યાવતું તુચ્છજીવી, ઉપશાંતજીવનવાળો, પ્રશાંતજીવનાવાળી, પવિત્ર અને એકાત્ત જીવનવાળો હતો ? હે ગૌતમ ! હા, જમાલિ નામે અનગાર અરસાહારી, વિરસાહારી વાવ૬ પવિત્રજીવનાવાળો હતો. હે ભગવન્! જો જમાલિ નામે અનગાર યાવદુ પવિત્ર જીવનવાળો હતો. તો તે જમાલિ અનગાર મરણ સમયે કોલ કરીને લોક દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળો કિલ્બિષિક દેવ કેમ થયો? હે ગૌતમ ! તે આચાર્યનો અને ઉપાધ્યાયનો પ્રત્યેનીક હતો, તથા આચાર્ય અને ઉપાધ્યાયનો અયશ કરનાર અવર્ણવાદ કરનાર હતો યાવત્ તે દુબધ કરતો, યાવતું ઘણા વરસ સુધી શ્રમણપણાને પાળીને અર્ધમાસિક સંલેખના વડે શરીરને કશ કરીને ત્રીશ ભક્તોને અનશન વડે પૂરા કરીને તે સ્થાનકને આલોચ્યા કે પ્રતિક્રખ્યા સિવાય કાળસમયે કાળ કરીને લોકકલ્પમાં યાવત્ ઉત્પન્ન થયો. [47] હે ભગવનું ! તે જમાલિ નામે દેવ દેવપણાથી, દેવલોકથી પોતાના આયુષ્યનો ક્ષય થયા બાદ યાવતું ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવના ચાર પાંચ ભવો કરી-એટલો સંસાર ભમી-ત્યાર પછી તે સિદ્ધ થશે, યાવતુ સર્વદુઃખોનો નાશ કરશે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. | શતક: ૯-ઉદેસા ૩૩નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (કઉદ્દેશક 34:-) [71] તે કાલે-તે સમયે રાજગૃહનગરમાં ભગવાન્ ગૌતમે યાવતું એ પ્રમાણે પૂછ્યું કે-હેભગવનું કોઈ પુરુષ ઘાત કરતો શું પુરુષનો જ ઘાત કરે કે નોપુરુષનોઘાત કરે ? હે ગૌતમ ! તે બંનેનો ઘાત કરે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે ઘાત કરનારના મનમાં તો એમ છે કે હું એક પુરુષને હણું છું, પણ તે એક પુરષને હણત બીજા અનેક જીવોને હણે છે, માટે. હે ભગવન! અશ્વને હણતો કોઈ પુરુષ શું અશ્વને હણે કે નોઅશ્વોને (અશ્વ સિવાય બીજા જીવોને પણ હણે ? હે ગૌતમ બંનેને હે ગૌતમ તે હણે. હે ભગવન્! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! પૂર્વવતું જાણવો. એ પ્રમાણે હસ્તી, સિંહ, વાઘ તથા યાવત્ ચિલ્લક સંબધે પણ જાણવું. હે ભગવન્! કોઈ પુરુષ કોઈ એક ત્રસ જીવને હણતો શું તે વસ જીવને હણે કે તે સિવાય બીજા ત્રસ જીવોને પણ હશે? હે ગૌતમ! તે હણે. હે ભગવન્! એ પ્રમાણે આપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy