SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 228 ભગવઈ-૯-૩૩૪૬૦ બ્રાહ્મણ કુંડગ્રામ નામે નગરના મધ્યમભાગમાંથી નિકળે છે. જે સ્થળે બહુ શાલક ચૈત્ય છે ત્યાં આવે છે. ત્યાં આવી તીર્થંકરના છત્રાદિક અતિશયોને જુએ છે, જોઈને ધાર્મિક શ્રેષ્ઠ રથને ઉભો રાખે છે. નીચે ઉતરે છે. ઉતરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે. તે આ પ્રમાણે “સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો'- ઈત્યાદિ પૂર્વવતુ યાવતુ ત્રણ પ્રકારની ઉપાસનાવડે ઉપાસે છે. [461] તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિક યાનપ્રવરથી નીચે ઉતરે છે. ઉતરીને ઘણી કુન્શદાસીઓના યાવતુ માન્ય પુરુષના સમુહથી પરિવૃત્ત થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ પ્રકારના અભિગમવડે જાય છે. તે આ પ્રમાણે- સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. અચિત દ્રવ્યનો ત્યાગ નહિ કરવો, વિનયથી શરીરને અનવત કરવું, ભગવંતને ચક્ષુથી જોતાં અંજલિ કરવી. અને મનની એકાગ્રતા કરવી. ત્યાં આવીને શ્રમણ. ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે, નમે છે. ઋષભદત્તબ્રાહ્મણને આગળ કરી પોતાના પરિવારસહિત ઉભી રહીને શુશ્રુષા કરતી, નમતી અભિમુખ રહીને હાથ જોડી પાવતુ ઉપાસના કરે છે. ત્યારબાદ તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચઢ્યો-તેના સ્તનમાંથી દૂધની ધારા છુટી, તેના લોચનો આનંદાશ્રુથી ભિનાં થયાં, તેની હર્ષથી એકદમ ફુલતી ભુજાઓને તેના કડાઓએ રોકી, તેનો કંચક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસિત થયેલા કદંબપુષ્પની પેઠે તેના રોમકૂપ ઉભાં થયા, અને તે શ્રમણ ભગવંત મહાવીરને અનિમિષા દ્રષ્ટિથી જોતી જોતી ઉભી રહી. ત્યારે “ભગવન્! એમ કહી ભગવાનું ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે. તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્! આ દેવાનંદા બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધારા કેમ વછૂટી ઈત્યાદિ પૂર્વે કહ્યા અને દેવાનુપ્રિય તરફ અનિમિષ નજરે જોતી જોતી કેમ ઉભી છે? “હે ગૌતમ !' એમ કહી શ્રમણભગવાન મહાવીર ભગવંતગૌતમને આ પ્રમાણે કહ્યું હે ગૌતમ ! આ દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે, હું દેવાનંદ બ્રાહ્મણીને પુત્ર છું. માટે તે દેવાનંદ બ્રાહ્મણીને પૂર્વના પુત્રનેહાનુરાગથી પાનો ચઢ્યો, યાવતું જેતી ઉભી છે. 462 ત્યારબાદ શ્રમણભગવમહાવીરે ઋષભદત્તબ્રાહ્મણ,દેવાનંદા બ્રાહ્મણી અને અત્યંત મોટી ઋષિપર્ષદને ધર્મ કહ્યો. યાવતું પર્ષદ પાછી ગઈ. પછી તે ઋષભદત્ત, બ્રાહ્મણ શ્રમણભગવંતમહાવીરની પાસે ધર્મને સાંભળી, દયમાં ધારણ કરી ખુશ થયો, તુષ્ટ થયો અને તેણે ઉભા થઈને શ્રમણભગવંતમહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, યાવતુ નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તે એ પ્રમાણે છે, ઇત્યાદિ કુંદક તાપસના પ્રકરણમાં કહ્યા પ્રમાણે યાવતુ જે તમે કહો છો તે એમ જ છે પછી તે ઈશાન દિશા તરફ જાય છે, ત્યાં જઈને પોતાની મેળે આભરણ, માલા અને અલંકારને ઉતારે છે, ઉતારીને પોતાની મેળે પંચમુષ્ટિક લોચ કરે છે. લોચ કરીને જ્યાં શ્રમણભગવંતમહાવીર છે ત્યાં આવે છે, ત્રણવાર પ્રદક્ષિણા કરી પાવતુ નમી તેણે પ્રમાણે કહ્યું કે-હ ભગવન જરા અને મરણ થી આ લોક ચોતરફ પ્રજ્વલિત થયેલો છે, હે ભગવન્! આ લોક અત્યન્ત. પ્રજ્વલિત થયેલો છે, એ પ્રમાણે ક્રમથી ઢંદકતાપસની પેઠે તેણે પ્રવજ્યા લીધી, યાવતું સામાયિકાદિ અગીયાર અંગોનું અધ્યયન કરે છે, યાવદ્ ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ અને દશમ યાવદૂ વિચિત્ર તપ કર્મ વડે આત્માને ભાવિત કરતો તે વરસ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy