SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 22o ભગવાઈ -હા-૩૨૪૫૩ હોય. અથવા એક રત્નપ્રભામાં અને છ શર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ છા નૈરયિકોનો દ્રિકસંયોગો કહ્યા તેમ સાતનૈરયિકોનો પણ જાણવો. પણ વિશેષ એ છે કે એક નૈરયિકનો અધિક સંચાર કરવો, બાકી બધું પૂર્વપ્રમાણે જાણવું. જેમ છ નૈરયિકોનો ત્રિકસંયોગ, ચતુઃસંયોગ, પંચસંયોગ અને પસંયોગ કહ્યો તેમ સાતનૈરયિકોનો પણ જાણવો; પરન્તુ વિશેષ એ કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો, યાવતુ પકસંયોગ- અથવા બે શર્કરામભામાં એક વાલુકwભામાં થવાતું એક અધઃ સપ્તમ નરકમાં હોય ત્યાંસુધી જાણવું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ નરકમાં હોય. હે ભગવન્!આઠ નૈરયિકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતાંશુંરત્નપ્રભામાં હોય? - ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય, યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા “એક રત્નપ્રભામાં અને સાત શર્કરપ્રભામાં હોય.' એ પ્રમાણે જેમ સાત નૈરયિકોનો દ્વિકસંયોગ, ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, પંચસંયોગ અને પક્કસંયોગ કહ્યો તેમ આઠ નૈરયિકોનો પણ કહેવો.પરન્તુ વિશેષએ કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો. બાકી બધું છ સંયોગ સુધી પૂર્વવતુ જાણવું. અથવા ત્રણ શર્કરામભામાં એક વાલુકપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં ભાવતું એક તમામાં અને બે અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં વાવતું બે તમામાં અને એક અધઃસપ્તમપૃથિવીમાં હોય. એ પ્રમાણે સર્વત્ર સંચાર કરવો. યાવત અથવા બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં યાવતુ એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય. હે ભગવન ! નવ નૈરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય-ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તે નવ નૈરયિકો રત્નપ્રભામાં હોય, અને એ પ્રમાણે વાવતું અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા “એક રત્નપ્રભામાં અને આઠ શર્કરપ્રભામાં પણ હોય ઈત્યાદિ આઠ નૈરયિકોની જેમ દ્રિકસંયોગ વાવતુ સપ્તકસંયોગ કહ્યો તેમ નવ નૈરયિકોનો પણ કહેવો. પરન્ત વિશેષ એ છે કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો. બાકી બધું પૂર્વવતુ. તેનો છેલ્લો ભાંગો-અથવા ત્રણ રત્નપ્રભામાં એક શર્કરાષ્ટ્રભામે એક વાલુકાપ્રભામાં યાવતું એક અધસતમ નરકમાં હોય. હે ભગવન્! દશ નૈરવિકોનૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય કે વાવતું અધઃસપ્તમ પૃથિવીમાં હોય ? હે ગાંગેય ! તે દશ નૈરયિકો રત્નપ્રભામાં પણ હોય, અને એ પ્રમાણે યાવતું અધઃસપ્તમપૃથિવીમાં પણ હોય, અથવા એક રત્નપ્રભામાં અને નવ શર્કરામભામાં હોય-ઈત્યાદિ દ્વિસંયોગ યાવતુ સપ્તસંયોગ જેમ નવ નારકનો કહ્યો તેમ દસ નૈરયિકોનો પણ જાણવો. પરનું વિશેષ એ છે કે એક એક નૈરયિકનો અધિક સંચાર કરવો.બાકી બધું તેનો છેલ્લો ભંગ-અથવા ચાર રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં ચાવતું એક અધિસપ્તમનરકમાં હોય. હે ભગવન! સંખ્યાતાનેરયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશકરતા શું રત્નપ્રભામાં હોય? ઈત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! સંખ્યાતા નૈરયિકો રત્નપ્રભામાં પણ હોય અને પાવ૬ અધ સપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા શર્કરાપ્રભામાં હોય.એ પ્રમાણે યાવતું એક રત્નપ્રભામાં હોય અને સંખ્યાતા અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા બે રત્નપ્રભામાં અને સંખ્યાતાશર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy