SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શતક, ઉદેસો-૩૧ 213 પુરષદવાળો હોય, નપુંસકવેદવાળો હોય કે પુરુષનપસકવેદવાળો હોય છે ગૌતમ ! તે ચારે વેદ સંભવે. હે ભગવન! તે સકષાયી હોય કે અકષાયી હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્જો તે અકષાયી હોય તો શું ઉપશાંતકષાયી હોય કે ક્ષીણકષાયી હોય ? હે ગૌતમ ! ઉપશાંતકષાયી ન હોય, પણ ક્ષીણકષાયી હોય. હે ભગવન! જો સકષાયી હોય તો તે કેટલા કષાયોમાં હોય? હે ગૌતમ ! તે ચાર કષાયોમાં, ત્રણ કષાયોમાં, બે કષાયોમાં કે એક કષાયોમાં હોય. જો ચાર કષાયોમાં હોય તો સંજ્વલન ક્રોધ, માન, માયા, અને લોભમાં હોય. જો ત્રણ કષાયમાં હોય તો સંવન માન, માયા અને લોભમાં હોય. જો બે કષાયોમાં હોય તો સંજ્વલન માયા અને લોભમાં હોય. અને જો એક કષાયમાં હોય તો એક સંજવલન લોભમાં હોય. હે ભગવન્! તેને કેટલાં અધ્યવસાયો કહ્યા છે ? હે ગૌતમ ! તેને અસંખ્યાત અધ્યવસાયો કહ્યા છે. એ પ્રમાણે જેમ “અશ્રુત્વાને કહ્યું તેમ યાવતુ તેને શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે કૃત્વા કેવલજ્ઞાની) કેવલિએ કહેલા ધર્મને કહે, જણાવે, પ્રરૂપે? હા, ગૌતમ! તેમજ છે. હે ભગવન્! તે કોઈને પ્રવજ્યા આપે, દીક્ષા આપે ? હા, ગૌતમ ! તે પ્રવ્રજ્યા આપે-દીક્ષા આપે. હે ભગવન્! તેના શિષ્યો પણ પ્રધ્વજ્યા આપે, દીક્ષા આપે ? હા, ગૌતમ ! હે ભગવનું ! તેના પ્રશિષ્યો પણ પ્રવ્રજ્યા આપે, દીક્ષા આપે ? હા,ગૌતમ ! આપે. હે ભગવન્! તે સિદ્ધ થાય. બુદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખનો અન્ત કરે? હા ગૌતમ! તે સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખોનો નાશ કરે. હે ભગવન્! તેના શિષ્યો પણ સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખોનો અંત કરે? હા, ગૌતમ! હે ભગવન ! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરે ? હા-કરે. હે ભગવન્! તે (સોચ્ચા કેવલી) શું ઊર્ધ્વલોકમાં હોય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ “અશ્રુત્વા' કેવલી સંબંધે કહ્યું તે પ્રમાણે જાણવું, યાવતુ (અઢી દ્વીપ સમુદ્ર કે તેના એક ભાગમાં હોય. હે ભગવન્! તે (ઋત્વા કેવલી) એક સમયમાં કેટલા હોય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ હોય, અને ઉત્કૃષ્ટથી એક સો આઠ હોય. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું કે, ‘કેવલી પાસેથી યાવતુ કેવલિની ઉપાસિકા પાસેથી સાંભળીને યાવતુ કોઈ જીવ કેવલજ્ઞાનને ઉપજાવે અને કોઈ જીવ કેવલજ્ઞાનને ન ઉપજાવે.’ હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતક:૯-ઉદેસોઃ ૩૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (ઉદ્દેશક 32-) ૪પ૧] તે કાલે, અને તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. શ્રીમહાવીરસ્વામી સમવસર્યા. પર્ષદ્ નિકળી. ધમપદેશ કર્યો. પર્ષદ્ વિસર્જિત થઈ. તે કાલે-તે સમયે શ્રીપાર્શ્વપ્રભુના શિષ્ય ગાંગેય નામે અનગાર જ્યાં શ્રમણભગવનું મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણભગવંતમહાવીરની પાસે થોડે દૂર બેસીને તેણે એ પ્રમાણે કહ્યું- હે ભગવનું ! નૈરયિકો સાંતર (અન્તરસહિત) ઉત્પન થય છે કે નિરંતર (અન્તર સિવાય) ઉત્પન્ન થાય છે? હે ગાંગેય ! બંને રીતે. હે ભગવન! અસુરકુમારો સાંતર ઉતપન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગાંગેય! બંને રીતે. એ પ્રમાણે યાવત સ્વનિતકુમાર સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિક જીવો સાન્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy