SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસી-૧૦ 27 ચક્ષુરિંદ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને આશ્રયી પુદ્ગલી કહેવાય છે, અને જીવને આશ્રયી પુદ્ગલ કહેવાય છે. હે ભગવન! નૈરયિક પુદ્ગલી છે કે પુદ્ગલ છે? હે ગૌતમ! તે પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને પણ કહેવું; પરન્તુ તેમાં જે જીવોને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! શું સિદ્ધો પુદ્ગલી છે કે પુદ્ગલ છે ? હે ગૌતમ! પગલી નથી, પણ પુદ્ગલ છે. હે ભગવનુ ! એ પ્રમાણે છે. હેતુથી કહો છો કે સિદ્ધો યાવતુ પુદ્ગલ છે? હે ગૌતમ! જીવને આશ્રયી પુગલ) કહું છું તે હેતુથી એમ કહેવાય છે કે સિદ્ધો પુદ્ગલી નથી, પણ પુદ્ગલ છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન તે એમજ છે. શતક: ૮-ઉદેસાઃ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શતક) - ઉદેસા-૧થી 30 - [438] જંબૂદ્વીપ, જ્યોતિષ્ક, અઠ્યાવીશ અન્તરદ્વીપો, અસોચ્યા, ગાંગેય, કુંડગ્રામ અને પુરુષ એ-એ સંબન્ધ નવમા શતકમાં ચોત્રીશ ઉદ્દેશકો છે. [43] તે કાલે-તે સમયે મિથિલા નામે નગરી હતી. ત્યાં મણિભદ્ર ચૈત્ય હતું. ત્યાં મહાવીરસ્વામી સમોસય. પર્ષદ્ નીકળી. યાદ્ ભગવાનું ગૌતમે પપાસના કરતા આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જંબૂદીપ કયે સ્થળે છે? હે ભગવન્! જંબુદ્વીપ કેવા આકારે રહેલો છે? અહીં જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ કહેવી, યાવત્ “જંબૂદીપ નામે દ્વિીપમાં પૂર્વ અને પશ્ચિમ ૧૪પ૬૦૦૦ નદીઓ છે હે ભગવન્! તે એમજ છે. તે એમ જ છે. [440-442] રાજગૃહ નગરમાં યાવત્ (ગૌતમ સ્વામીએ) એ પ્રમાણે પ્રશ્ન કર્યો કે-હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ ર્યો, કેટલા પ્રકાશ કરે છે અને કેટલા પ્રકાશ કરશે ? જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. યાવતુ 133950 કોડાકોડી તારાના સમૂહે શોભા કરે છે, કરશે. ત્યાં સુધી જાણવું. [443] હે ભગવન્! લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કર્યો, કેટલા પ્રકાશ કરે છે અને કેટલા પ્રકાશ કરશે ? જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે તેમ તારાની હકીકત સુધી સર્વ જાણવું. ધાતકિખંડ, કાલોદધિ, પુષ્કરવર દ્વીપ, અત્યંતર પુષ્કરાઈ અને મનુષ્યક્ષેત્રમાં - એ સર્વ સ્થળે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતું “એક ચંદ્રનો પરિવાર કોટાકોટિ તારાગણો હોય છે” ત્યાં સુધી જાણવું. હે ભગવનું ! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કયો ?- ઈત્યાદિ એ રીતે સર્વ દ્વીપ અને સમુદ્રોમાં જ્યોતિષ્કોની હકીકત થાવત્ “સ્વયંભૂરમણ- સમુદ્રમાં છે. યાવત્ શોભ્યા, શોભે છે અને શોભશે ત્યાં સુધી કહેવી. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. ૪૪૪રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમે યાવતુ એ પ્રમાણે પૂછ્યું હે ભગવન્! દક્ષિણ દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામે દ્વીપ ક્યાં કહ્યો છે? હે ગૌતમ ! જંબૂઢીપ નામના કપમાં આવેલા મંદર (મ) પર્વતની દક્ષિણે ચુલ્લ હિમવંત નામે વર્ષઘર પર્વતના પૂર્વના છેડાથી ઈશાન કોણમાં ત્રણસો યોજન લવણસમુદ્રમાં ગયા પછી એ સ્થળે દક્ષિણ દિશાના એકોરુક મનુષ્યોનો એકોરુક નામે દ્વીપ કહ્યો છે. હે ગૌતમ ! તે દ્વીપની લંબાઈ અને પહોળાઈ ત્રણસો યોજન છે, અને તેનો પરિક્ષેપ 949 યોજનથી કાંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy