SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉસો-૧૦ 205 દ્રવ્યદેશ છે, દ્રવ્યો છે, દ્રવ્યદેશો છે, અથવા દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, અથવા દ્રવ્ય અને દ્રવ્યદેશો છે, અથવા દ્રવ્યો અને દ્રવ્યદેશ છે. કે દ્રવ્યો અને દ્રવ્યદેશો છે? હે ગૌતમ? તે કથંચિ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે, પણ દ્રવ્યો નથી, દ્રવ્યદેશો નથી, દ્રવ્ય અને દ્રવ્યદેશ નથી, થાવત્ દ્રવ્યો અને દ્રવ્યદેશો નથી. હે ભગવન! પગલાસ્તિકાયના બે પ્રદેશો સંબંધ પ્રશ્ન હે ગૌતમ ! કથંચિતુ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે, કથંચિત્ દ્રવ્યો છે, કથંચિત્ દ્રવ્યદેશો છે, કથંચિત્ દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, પણ દ્રવ્ય અને દ્રવ્યદેશો નથી, હે ભગંવન્! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે, એ પ્રમાણે સાત ભાંગાઓ કહેવા, યાવત્ કથંચિત્ દ્રવ્યો અને દ્રવ્યદેશ છે, પણ દ્રવ્યો અને દ્રવ્યદેશો નથી. હે ભગવન્! પગલાસ્તિકાયના ચાર પ્રદેશો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! કથંચિત્ દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે-ઇત્યાદિ આઠ ભાંગા કહેવા, જેમ ચાર પ્રદેશો કહ્યા તેમ પાંચ, છ, સાત યાવત્ અસંખ્યય પ્રદેશો પણ કહેવા. હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયના અનન્ત પ્રદેશો સંબંધે. પૂર્વ પ્રમાણેજ જાણવું. [434] હે ભગવન્! લોકાકાશના પ્રદેશમાં કેટલા કહ્યા છે? હે ગૌતમ ! અસંખ્ય પ્રદેશો કહ્યા છે. હે ભગવન્! એક એક જીવના કેટલા જીવપ્રદેશો કહ્યા છે? હે ગૌતમ ! જેટલા લોકાકાશના પ્રદેશો કહ્યા છે તેટલા એક એક જીવના પ્રદેશો કહ્યા છે. [43] હે ભગવન્! કર્મપ્રવૃતિઓ કેટલી કહીછે? હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. જ્ઞાનવરણીય, થાવ અત્તરાય. હે ભગવન્! નૈરયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ એ પ્રમાણે સર્વજીવોને યાવદુ વૈમાનિકોને આઠકમપ્રકતિઓ કહેવી. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકર્મના કેટલા અવિભાગપરિચ્છેદો કહ્યા છે ? હે ગૌતમ ! અનંત અવિભાગપરિચ્છેદો કહ્યાછે. હે ભગવનું ! નરયિકોને જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિચ્છેદો કેટલા કહ્યાછે ? હે ગૌતમ ! અનન્ત અવિભાગપરિચ્છેદો કહ્યા છે. એ પ્રમાણે સર્વજીવોને જાણવું યાવદુ વૈમાનિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! અનન્ત અવિભાગપરિચ્છેદો કહ્યા છે. જેમ જ્ઞાનાવરણીયકર્મના અવિભાગપરિછેદો કહ્યા તેમ આઠે કર્મપ્રકૃતિના અવિભાગપરિછેદો અત્તરાયકમ પર્યન્ત યાવત્ વૈમાનિકોને કહેવા. હે ભગવન્! એક એક જીવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો આવેષ્ટિત પરિવેષ્ટિત છે ? હે ગૌતમ!કદાચિતું આવેખિત-પરિવેખિત હોય, અને કદાચિત આવેખિત-પરિવેષ્ટિત ન હોય. જો આવેખિત-પરિવેષ્ટિત હોય તો તે અવશ્ય અનંત અવિભાગપરિચ્છેદો વડે આવેખિત-પરિવેષ્ટિત હોય. હે ભગવન્! એક એક નિયરિક જીવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય ? હે ગૌતમ ! અવશ્ય તે અનન્ત અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય. જેમ નૈરયિકો માટે કહ્યું તેમ યાવદ્ વૈમાનિકો કહેવું, પરંતુ મનુષ્યને જીવની પેઠે કહેવું. હે ભગવન્! એક એક જીવનો એક એક જીવ પ્રદેશ દર્શનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદો વડે આવેષ્ટિત પરિવેષ્ટિત હોય ? જ્ઞાનાવરણીય કર્મની જેમ અહીં પણ યાવદુ વૈમાનિકને કહેવો, યાવતુ અન્તરાયકર્મપર્યન્ત કહેવું. પણ વેદનીય, આયુષ, નામ અને ગોત્ર-એ ચાર કામ માટે જેમ નૈરયિકોને કહ્યું તેમ મનુષ્યોને કહેવું, બાકી બધું પૂર્વવતું. [436] હે ભગવન્! જે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું દર્શનાવરણીય કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy