SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ --- 192 ભગવઈ - 8-8417 કર્મપ્રકૃતિમાં સમાવતાર થાય છે, જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય, અને અંતરાય. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય ? હે ગૌતમ ! બે પરીષહોનો સમાવતાર થાય છે; પ્રજ્ઞાપરીષહ અને જ્ઞાનપરીષહ, હે ભગવન! વેદનીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર થાય છે ? હે ગૌતમ ! અગ્યાર પરીષહો સમવતરે છે, તે આ પ્રમાણે સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક. ચય શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ. [૪૧૮]હે ભગવન્દર્શનમોહનીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર થાય છે ? હે ગૌતમ ! તેમાં એક દર્શન પરીષહનો સમાવતાર થાય છે. હે ભગવન્! ચારિત્ર- મોહનીયકર્મમાં કેટલા પરીષહો સમવતરે છે? હે ગૌતમ! તેમાં સાત પરીષહો સમવતરે છે, [19] તે આ પ્રમાણે-અરતિ, અચલ, સ્ત્રી, નૈષેધિકી, યાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર પરીષહ. એ સાત પરીષહો ચારિત્રમોહમાં સમવતરે છે. [42] હે ભગવન્! અંતરાયકર્મમાં કેટલા પરીષહો, સમવતરે છે? હે ગૌતમ ! તેમાં એક અલાભ પરીષહ સમવતરે છે. હે ભગવન્! સાત પ્રકારના કર્મના બાંધનારને કેટલા પરીષહો કહ્યા છે? હે ગૌતમ ! બાવિશ પરીષહો કહ્યા છે. પણ એક સાથે વિશને વેદે છે ? કેમકે શીત અને ઉષ્ણ તથા ચય અને ઔષધિકીને એક સાથે વેદતો નથી. હે ભગવનું આઠ પ્રકારના કર્મ બાંધનારને કેટલા પરિષહો છે ? હે ગૌતમ બાવીશ. એ પ્રમાણે સપ્તવિધ બંધકને જાણવું. છ પ્રકારના કર્મના બંધક સરાગછદ્મસ્થને ચૌદ પરીષહોછે પણ તે બાર વેદે છે. એક પ્રકારના કર્મબંધક વીતરાગ છદ્મસ્થને પણ તેમજ જાણવું. એકવિધ બંધક યોગી ભવસ્થ કેવલીને અગ્યાર પરિષહો હોય છે. પણ તે નવને વેદે છે. એ જ પ્રમાણે અયોગી ભવસ્થ કેવલીને જાણવું. હે ભગવન્! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર છતો પાસે, મધ્યાહ્ન સમયે પાસે છતાં દૂર અને અસ્ત સમયે દૂર છતાં પાસે દેખાય છે? હા. દેખાય છે. હે ભગવનું એમ કેમ કહો છો? હે ગૌતમ! લેસ્યાના પ્રતિઘાતથી. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે જેબૂદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર છતાં પાસે દેખાય છે, યાવત્ આથમવાના સમયે દૂરછતાં પાસે દેખાય છે. હે ભગવન!જબૂદ્વીપમાં બે સૂર્યો શુંઅતીત ક્ષેત્ર પ્રતિ જાય છે. વર્તમાન ક્ષેત્ર પ્રતિ જાય છે, કે અનાગત ક્ષેત્ર પ્રતિ જાય છે? હે ગૌતમ! અતિત ક્ષેત્ર પ્રતિ જો નથી, વર્તમાન ક્ષેત્ર પ્રતિ જાય છે, પણ અનાગત ક્ષેત્ર પ્રતિ જતા નથી. | 21] હે ભગવન્! જેબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને પ્રકાશે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશે છે? હે ગૌતમ ! અતીત ક્ષેત્રને પ્રકાશતા નથી, વર્તમાન ક્ષેત્રને પ્રકાશે છે, ને અનાગત ક્ષેત્રને પ્રકાશતા નથી. હે ભગવન્! (તે સૂય) સ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? હે ગૌતમ ! સ્પર્શેલાં ક્ષેત્રને પ્રકાશે છે પણ અસ્પલાં ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી; હે ભગવનું ! જંબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે ? ઇત્યાદિ. પૂર્વની પેઠે જાણવું, યાવત્ અવશ્ય છ દિશાને ઉદ્યોતિત કરે છે, એ પ્રમાણે તપાવે છે, પ્રકાશે છે. હે ભગવન્! જંબુદ્વીપમાં સૂર્યની ક્રિયા શું અતીત ક્ષેત્રમાં કરાય છે. વર્તમાનક્ષેત્રમાં કરાય છે કે અનાગત ક્ષેત્રમાં કરાય છે ? હે ગૌતમ ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરાતી નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરાય છે, પણ અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરાતી નથી. હે ભગવન્! શું (તે સૂય) પૃષ્ટ ક્રિયાને કરે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy