SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદ્દેસો૭ 187 જાણવું. એ પ્રમાણે જેમ વૈક્રિય શરીર સંબધે કહ્યું. તેમ આહારક, તૈજસ અને કામણ શરીર સંબંધે પણ કહેવું. એક એકના ચાર દંડક કહેવા, ધાવતુ હે ભગવન્! વૈમાનિકો કામણ શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા પણ હોય અને ચાર ક્રિયાવાળા પણ હોય. હે ભગવન તે એમજ છે, હે ભગવન્! તે એમજ { [શતકર૮ ઉદેસા ની બુનિદીપરત્નસાગરે રેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક૭:-). [10] તે કાલે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણસિલક ચેત્ય હતું. યાવતું પૃથિવીશિલાપટ્ટક હતો.તેગુણસિલકચૈત્યની આસપાસ થોડે દૂર ઘણા અન્યતીથિકો રહે છે. તે કાલે તે સમયે શ્રમણભગવાનુમહાવીર. તીર્થના આદિકર યાવતુ સમોસયા, યાવતુ પરિષદુ વિસર્જિત થઈ. તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણા શિષ્યો. સ્થવિર ભગવંતો જાતિસંપન્ન, કુલસંપન-ઇત્યાદિ જેમ બીજા શતકમાં વર્ણવ્યા છે તેવા, ધાવતુ જીવતની આશા અને મરણના ભયથી રહિત હતા. અને શ્રમણ ભગવંત મહાવરની આસપાસ ઉંચા ઢીંચણ કરી નીચે મસ્તક નમાવી, ધ્યાનરૂપ કોષ્ઠને પ્રાપ્ત થયેલા, તેઓ સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા યાવતુ વિહરે છે. ત્યારપછી તે અન્યતીર્થિકો જ્યાં સ્થવિર ભગવંતો છે ત્યાં આવે છે, અને ત્યાં આવીને તેઓએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે હે આય ! તમે ત્રિવિધ ત્રિવિધ અસંત, અવિરત અને અપ્રતિહત પાપકર્મવાળા છો' ઇત્યાદિ જેમ સાતમા શતકના બીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતું એકાંત બાલ-અજ્ઞ છો. ત્યારબાદ તે સ્થવિર ભગવંર્તાએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આર્યો! અમે કયા કારણથી ત્રિવિધ ત્રિવિધ અસંયત, આવિરત યાવતું એકાંતબાલ છીએ. ત્યારબાદ તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આર્યો ! તમે અદત પદાર્થનું ગ્રહણ કરો છો, અદત્ત પદાર્થને ખાઓ છો અને અદત્તનો સ્વાદ લો છો, તેથી તમે ત્રિવિધ ત્રિવિધે અસંયત. અને અવિરત યાવતું એકાંત બાલ પણ છો. ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે, હે આર્યો ! ક્યા ક્યારણી અમે અદત્તનું ગ્રહણ કરીએ છીએ, અદત્તનું ભોજન કરીએ છીએ અને અદત્તની અનુમતિ આપીએ છીએ કે જેથી અદત્તને ગ્રહણ કરતા, યાવતુ અદત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધે અસંયત, યાવતુ એકાંત બાલ છીએ ? ત્યારબાદ તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને એમ કહ્યું કે, હે આર્યો ! તમારા મતમાં અપાતું હોય તે આપેલું નથી, ગ્રહણ કરાતું હોય તે ગ્રહણ કરાયેલું નથી, પાત્રમાં) નંખાતું હોય તે નંખાયેલું નથી. હું આ ! તમને આપવામાં આવતો પદાર્થ જ્યાંસુધી પાત્રમાં પડ્યો નથી. તેવામાં વચમાંથીજ તે પદાર્થને કોઇ અપહરણ કરે તો તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું એમ કહેવાય, પણ તમારા પદાર્થનું અપહરણ થયું એમ ન કહેવાય, તેથી તમે અદત્તનું ગ્રહણ કરો છો, યાવતું અદતની અનુમતિ આપો છો, માટે અદત્તનું ગ્રહણ કરતા તમે યાવતુ એકાંત અજ્ઞ છો. ત્યારપછી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને એમ કહ્યું કે હે આય! અમે અદત્તનું ગ્રહણ કરતા નથી, અદત્તનું ભોજન કરતા નથી અને અદત્તની અનુમતિ પણ આપતા નથી. હે આર્યો ! અમે દત્તનું-આપેલ પદાર્થનું ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy