SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 186 ભગવી - 8-6407 કરી તેને અગ્નિમાં નાખે તો હે ગૌતમ ! તે છેદામાં છેદાયેલું, અગ્નિમાં નંખાતા નંખાયેલું, બળતાં બળેલું એમ કહેવાય? હે ભગવન્! હા, છેદાતા છેદાયેલું, યાવતુ બળતાં બળેલું કહેવાય, અથવા કોઈ પુરુષ નવું, ધોએલું કે તત્ર-સાળથી તરત ઉતરેલું કપડું મજીઠના રંગની કુંડીમાં નાંખે તો હે ગૌતમ! તે ઉંચેથી નાંખતા ઉંચેથી નંખાયેલું, રંગાતાં રંગાયેલું એમ કહેવાય? હા, ભગવન! તે ઉંચેથી નાંખતાં ઉંચેથી નંખાયેલું, યાવતું રંગાતાં રંગાયેલું કહેવાય તે હેતુથી હે ગૌતમ! એમ કહેવાય છે કે તે આરાધક છે પણ વિરાધક નથી. [408] હે ભગવન્! બળતા દૈવામાં શું બળે છે? શું વો બળે છે, દીપયષ્ટિદૈવી બળે છે. વાટ બળે છે, તેલ બળે છે, દીવાનું ઢાંકણું બળે છે, કે જ્યોતિ-દીપશિખા બળે છે ? હે ગૌતમ! દીવો બળતો નથી, યાવતુ દીવાનું ઢાંકણું બળતું નથી, પણ જ્યોતિ બળે છે. હે ભગવનું ! બળતા ઘરમાં શું? હે ગૌતમ ! ઘર બળતું નથી, ભીંતો બળતી નથી, યાવતુ ડાભ વગેરેનું છાદન બળતું નથી, પણ જ્યોતિ બળે છે. [400 હે ભગવન્! એક જીવ એક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળ, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો, અને કદાચ અક્રિય હોય. હે ભગવનું એક નારક એક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! એક અસુરકુમાર એક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! પૂર્વની પેઠે એ પ્રમાણે યાવતુ વૈમાનિકો જાણવા, પરન્તુ મનુષ્યો જીવની પેઠે જાણવા. હે ભગવન્! એક જીવ ઔદારિક શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! તે કદ્યચ ત્રણ ક્રિયાવાળી હોય, યાવતુ કદાચ અક્રિય હોય. હે ભગવન્! એક નૈરયિક ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ ! જેમ આ પ્રથમ દેડક કહ્યો છે તેમ આ સઘળા દેડકો પણ યાવતુ વૈમાનિક સુધી કહેવા, પરન્ત મનુષ્યો જીવોની પેઠે જાણવા. હે ભગવન ! જીવો એક દારિકશરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ કિયાવાળા હોય, યાવતું કદાચ ક્રિયારહિત હોય. હે ભગવનું ! નૈરયિકો ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! જેમ પ્રથમ દંડક કહ્યો છે તેની પેઠે યાવતુ વૈમાનિક સુધી આ દંડક પણ કહેવો, પણ મનુષ્ય જીવોની પેઠે કહેવા. હે ભગવન્! જીવો ઔદારિક શરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદ્ધચ ત્રણ કિયાવાળા પણ હોય, ચાર ક્રિયાવાળા પણ હોય, પાંચ ક્રિયાવાળા પણ હોય અને કિયારહિત પણ હો. હે ભગવનું ! નૈરયિકો ઔદારિક શરીરોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! ત્રણ, ચાર અને પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો જાણવા. પણ મનુષ્યો જીવોની પેઠે જાણવા. હે ભગવન્! વૈક્રિયશરીરને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવનું નૈરયિક વૈક્રિય શરીરને આશ્રયીને કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો અને કદાચ ચાર ક્રિયાવાળો હોય. એ પ્રમાણે વાવતું વૈમાનિક સુધી જાણવું, પણ મનુષ્યને જીવની પેઠે જાણવો. એ પ્રમાણે જેમ ઔદારિક શરીરના ચાર દંડક કહ્યા, તેમ વૈક્રિય શરીરના પણ ચાર દંડક કહેવા, પરન્તુ તેમાં પાંચમી ન કહેવી. બાકીનું પૂર્વની પેઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy