SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ - - - 180 ભગવાઈ-૮-૨/૩૯૬ આભિનિબોધિકજ્ઞાનીપણે કાળથી કેટલાક કાળ સુધી રહે?એ પ્રમાણે જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, યાવતુ કેવલજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીએ દશનો જ્ઞાનપણે સ્થિતિ કાલ પન્નવણામાં કાયસ્થિતિપદમાં કહ્યા પ્રમાણે જાણવો, અને જીવાભિગમમાં કહ્યા પ્રમાણે એ દશનું પરસ્પર અત્તર જાણવું તેમજ પન્નવણાના બહુવક્તવ્યતાપદમાં કહ્યા પ્રમાણે ત્રણેજ્ઞાની, અજ્ઞાની અને ઉભયના અબદુત્વો જાણવા, હે ભગવનું ! આભિનિધિકજ્ઞાનના કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ! અનન્ત પાયો છે. હે ભગવન્! શ્રુતજ્ઞાનના કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયયો જાણવા. એ પ્રમાણે યાવતુ કેવલજ્ઞાનના પર્યાયો જાણવા, તેમ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના પણ પર્યાયો જાણવા. હે ભગવનું ! વિર્ભાગજ્ઞાનના કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયિો કહ્યા છે. હે ભગવન ! એ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનના પર્યાયોમાં કોના પર્યાયો કોનાથી વાવ૬ વિશેષાધિક છે? હે ગૌતમ! મન:પર્યવજ્ઞાનના પર્યાયો સૌથી થોડા છે, તેથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગુણ છે, તેથી શ્રુતજ્ઞાનના પર્યાયો અનન્ત છે તેથી અનંતગુણ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો છે, અને તેથી અનંતગુણ કેવલજ્ઞાનના પર્યાય છે. હે ભગવનું ! એ મતિઅજ્ઞાન શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના પર્યાયોમાં કોના પર્યાયો કોના પર્યાયોથી વાવ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સવથી થોડા વિભંગજ્ઞાનના પયયો છે, તેથી અનંતગણ શ્રુતઅજ્ઞાનના પયયો છે, અને તેથી અનંતગણ મતિઅજ્ઞાનના પર્યાયો છે. હે ભગવન્! એ આભિનિબોધિકજ્ઞાનના યાવતુ કેવલજ્ઞાનના તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાનના પર્યાયિોમાં કોના પયયો કોના પર્યાયથી યાવતુ વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાયો છે, તેથી અનંતગુણ વિભંગજ્ઞાનના પથયો છે, તેથી અનંતગુણ અવધિજ્ઞાનના પયિો છે. તેથી અનંતગુણ મૃતઅજ્ઞાનના પર્યાયો છે, તેના કરતાં શ્રુતજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે, તેથી મતિઅજ્ઞાનના પર્યાયો અનંતગુણ છે, તેથી મતિજ્ઞાનના પર્યાયો વિશેષાધિક છે અને તેના કરતાં કેવલજ્ઞાનના પયય અનંતગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી ભગવાનું ગૌતમ! યાવતુ વિહરે છે. શિતક: ૮-ઉદેસાઃ રાની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | (- ઉદેશક 3:-) [397] હે ભગવન્! વૃક્ષો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! વૃક્ષો ત્રણ પ્રકારના કહ્યા છે, સંખ્યાતજીવવાળા, અસંખ્યાતજીવવાળા અને અનંતજીવવાળા. હે ભગવનું ! કેટલા પ્રકારે છે ? હે ગૌતમ! અનેક પ્રકારના કહ્યા છે, તાડ, તમાલ, તક્કલિ, તેતલિ-ઈત્યાદિ પન્નવણામાં કહ્યા પ્રમાણે ધાવતુ નાળિયેરી પર્યન્ત જાણવા. એ સિવાય તેવા પ્રકારના બીજા વૃક્ષો પણ સંખ્યાતજીવવાળા જાણવા. હે ભગવન્! અસંખ્યાતજીવવાળા વૃક્ષો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! બે પ્રકારના કહ્યાછે; એકબીજવાળા અને બહુબીજવાળા. હે ભગવન્! એકબીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે છે ? હે ગૌતમ! અનેક પ્રકારના કહ્યા છે, નિંબ, આમ્ર, જાંબૂ- ઈત્યાદિ પન્નવણામાં થમપદમાં કહ્યા પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy