SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસી-૨ 179 જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? તેઓ સેઇન્દ્રિય જીવોની પેઠે જાણવા. એ પ્રમાણે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી જીવો જાણવા, તથા વેદરહિત જીવો અકષાયી જીવોની પેઠે જાણવા. હે ભગવન્! આહારક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? તેઓ સકષાયી જીવોની પેઠે જાણવા. પરન્તુ વિશેષ એ છે કે તેઓને કેવલજ્ઞાન (અધિક) હોયછે. હે ભગવન્! અનાહારક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓને મન:પર્યવજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. [35] હે ભગવન્! આભિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે?હે ગૌતમ! આભિનિબૌધિક જ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી આભિનિબોધિકશાની આદેશવડે સર્વ દ્રવ્યોને જણે અને જુએ, ક્ષેત્રથી આભિનિબોધિકજ્ઞાની આદેશવડે સર્વ ક્ષેત્રને જાણે અને જુએ. એ પ્રમાણે કાલથી અને ભાવથી પણ જાણવું. હે ભગવન્! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે અને જુએ છે. એ પ્રમાણે ક્ષેત્રથી અને કાલથી પણ જાણવું. ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવોને જાણે છે અને જુએ છે. હે ભગવન્! અવધિજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી; દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપિ દ્રવ્યોને જાણે છે અને દેખે છે-ઈત્યાદિ જેમ નંદીસૂત્રમાં કહ્યું છે તેમ યાવતુ ભાવ સુધી જાણવું. હે ભગવન્! મન:પર્યવજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી કાલથી અને ભાવથી. દ્રવ્યથી ઋજુમતિમનઃપર્ધવજ્ઞાની (મનપણે પરિણત) અનંતપ્રદેશિક અનન્ત સ્કંધોને જાણે અને દેખે-ઈત્યાદિ જેમ નંદીસૂત્રમાં કહ્યું છે તેમ અહીં જાણવું, યાવતું ભાવથી જાણે છે. હે ભગવન્! કેવલજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી કેવલજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે છે અને જુએ છે. એ પ્રમાણે વાવતુ ભાવથી હે ભગવન્! મતિઅજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે ચાર પ્રકારની કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી યાવતું ભાવથી મતિઅજ્ઞાની મતિઅજ્ઞાનના વિષયને પ્રાપ્ત દ્રવ્યોને જાણે છે અને જુએ છે; હે ભગવન્! શ્રુતઅજ્ઞાનને વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી શ્રુતઅજ્ઞાની. શ્રુતજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને કહે છે, જણાવે છે અને પ્રરૂપે છે, એ પ્રમાણે ક્ષેત્રથી અને કાલથી જાણતું. ભાવથી શ્રુતઅજ્ઞાની શ્રતઅજ્ઞાનના વિષયભૂત ભાવને કહે છે, જણાવે છે અને પ્રરૂપે છે. હે ભગવન! વિર્ભાગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? હે ગૌતમ! તે સંક્ષેપથી ચાર પ્રકારનો કહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી; દ્રવ્યથી ભાવતુ ભાવથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે છે અને જુએ છે. [39] હે ભગવન્! જ્ઞાની જ્ઞાનીપણે કાળથી ક્યાં સુધી રહે? હે ગૌતમ! જ્ઞાની બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે સાદિ સંપર્યવસિત અને સાદિઅપર્યવસિત. તેમાં જે જ્ઞાની સાદિપર્યવસિત છે તે જઘન્યથી અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી જ્ઞાનીપણે રહે છે. હે ભગવનું ! આભિનિબોધિકજ્ઞાની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy