SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 160 ભગવાઈ- - 10377 તેમ બહુ પાસે નહિ એ પ્રમાણે ઉપાસના કરે છે. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર મહાકથા પ્રતિપન્ન- હતા. કાલોદાથી તે સ્થળે શીઘ આવ્યો. હે કાલોદાયિ ! એ પ્રમાણે બોલાવીને શ્રમણ ભગવાન મહાવીરે કાલોદાયીને કહ્યું- હે કાલોદાયિ ! અન્યદા કોઈ દિવસે એકત્ર એકઠા થયેલા. આવેલા,બેઠેલા એ વાતમને પૂર્વ કહ્યા પ્રમાણે પંચાસ્તિકાય સંબધે વિચાર થયો હતો ? યાવતું એ વાત. એ પ્રમાણે કેમ માની શકાય? હે તલોદાયિ! ખરેખર આ વાત યથાર્થ છે. હા, યથાર્થ છે. હે કાલોદાયિ! એ વાત સત્ય છે. હું પાંચ અસ્તિકાયની પ્રરૂણા કરું છું જેમકે, ધમસ્તિકાય, યાવતું પુદ્ગલાસ્તિકાય. તેમાં ચાર અસ્તિકાય અજીવાસ્તિકાયને અજીવરૂપે કહું છું. યાવતું એક પુદ્ગલાસ્તિકાયને રૂપિકાય જણાવું છું. ત્યારે તે કાલોદાયિક શ્રમણભગવાનુમહાવીરને કહ્યું- હે ભગવન્! એ અરૂપી અજીવકાય ધમતિકાય. અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયામાં બેસવાને, સુવાને ઉભો રહેવાને, નીચે બેસવાને, આળોટવાને કોઈપણ શક્તિમાન છે ? આ અર્થ યોગ્ય નથી. પરંતુ હે કાલોદાયિ ! એક રૂપી અજીવકાય પગલાસ્તિકાયમાં બેસવાને, સુવાને, યાવતુ કોઈપણ શક્તિમાન છે. ' હે ભગવન્! એ રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકાયને વિષે જીવોના પાપ-અશુભ ફલ-વિપાકસહિત પાપકર્મો લાગે ? હે કાલોદાયિ ! એ અર્થ યોગ્ય નથી. પરન્તુ એ અરૂપી જીવકાયને વિષે પાપ ફલ-વિપાકસહિત પાપકર્મો લાગે છે, અહીં કાલોયાદી, બોધ પામ્યો. તે શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વાંદીને, નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું તમારી પાસે ધર્મ સાંભળવા ઈચ્છે છું. એ પ્રમાણે સ્કન્દકની પેઠે તેણે પ્રવજ્યા અંગીકાર કરી, અને તે પ્રમાણે અગીયાર અંગને [ભણીને યાવતુ વિચરે છે. [378 ત્યારપછી અન્યદા કોઈદિવસે શ્રમણભગવાનુમહાવીર રાજગૃહનગરથી અને ગુણશિલત્યથી નીકળી બહાર દેશોમાં વિહાર કરે છે. તે કાળે તે સમયે રાજગૃહ નામના નગરમાં ગુણશિલ નામનું ચૈત્ય હતું. ત્યાં અન્યદા કોઈ દિવસ શ્રમણ ભગવાન મહાવીર યાવતુ સમોસય. યાવતુ પરિષદ્ પાછી ગઈ. ત્યારપછી તે કાલોદાયી અનગાર અન્ય કોઇ દિવસે જ્યાં ભગવાનું મહાવીર છે ત્યાં આવે છે, શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરે છે-નમસ્કાર કરે છે. તેણે આ પ્રમાણે કહ્યું - હે ભગવન! જીવોને પાપકર્મો પાપ-અશુભ ફલવિપાક સહિત હોય ? હા હોય. હે ભગવનું ! પાપકમોં પાપ અશુભ ફલવિપાકસહિત કેમ હોય? હે કાલોદાયિ ! જેમ કોઈ એક પુરુષ સુન્દર, સ્થાલીમાં રાંધવાવડે શુદ્ધ અઢાર પ્રકારના દાળ શાકાદિ વ્યંજનોથી યુક્ત, વિષમિશ્રિત ભોજન કરે, તે ભોજન શરુઆતમાં સારું લાગે, પણ ત્યારપછી તે પરિણામ પામતાં ખરાબ રૂપપણે, દુગંધપણે “મહાઅવ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વારંવાર પરિણામ પામે છે. એ પ્રમાણે જીવોને પાપકર્મો અશુભફલવિપાક સયુંક્ત હોય છે. હે ભગવન્! જીવોના કલ્યાણ (શુભ) કર્મો કલ્યાણ ફલવિપાક સંયુક્ત હોય ? હા, કાલોદાયિ ! હોય, હે ભગવન્! જીવોના કલ્યાણ કર્મો કલ્યાણફલવિપાકસિતત કેમ હોય? હે કાલોદાયિ ! જેમ કોઈ એક પુરુષ સુન્દર, સ્થાલીમાં રાંધવાવડે શુદ્ધ- અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ઔષધમિશ્રિત ભોજન કરે, તે ભોજન પ્રારંભમાં સારું ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy